વાંધો તો હોઈ શકે નહીં. મુશ્કેલી એક રીતે હોય, કામની આડે આવે ત્યારે . ગાંધીજીના સાદાઈના સિદ્ધાંત તેમની કામ કરવાની રીત જોતાં બરાબર હતા. ગાંધીજીની પાછળ વીસ માણસો તેમની સાદાઈની સંભાળ રાખતા. બીજી જગ્યાએ જ ે કામ એક માણસ કરે તે વીસ જણનું બની જતું. એમ સમજો કે મારું કામ એક સ્ટેનોગ્રાફર, એક ટાઇપિસ્ટ જ ેને શૉર્ટહૅ ન્ડ આવડતું હોય, અને ટાઇપરાઇટરથી ચાલે છે. તેને બદલે ત્યાં દસ આદમી હોય, જ ેઓ હાથે કાગળો લખતા હોય. અહીં અમે આજની એફિશિયન્સી(કાર્યક્ષમતા)નાં સાધનોનો ઉપયોગ કરવા માગીએ છીએ. મારી વાત લો. મારા પર રોજ હજારો કાગળો આવે છે. તેને માટે કાળજીથી વ્યવસ્થા ન થાય તો કોને જવાબ આપું ને કોને ન આપું? જલદી જવાબ આપવાનો હોય, આ છે, તે છે, એવું બધું છે ત્યાં મારું કામ ન ચાલે. ગાડુ ં અટકી જાય. એટલે કામ કરવાની એક ટેક્નિક (પદ્ધતિ) હોય છે. ગાંધીજીની ટેક્નિક તેમને માટે ઘણી વાજબી હતી. એક રીતે તેમની સાથેનાં સૌ સાદાં હતાં. પણ બે માણસનું કામ વીસ માણસોને કરવું પડતું. ચોધરી : પછી તો થર્ડ ક્લાસ(ત્રીજા વર્ગ)માં બેસવાની વાતમાં પણ એમ થાય કે દસ માણસની જગ્યા એક માણસ લઈ લે છે. નેહરુ : એ તો છે જ. એટલું જ નહીં, વીસ પોટલાં છે. દરે ક માણસ એક એક પોટલું લઈને જાય છે. થાય છે ને એમ? એમાં ગાંધીજીની ખૂબી હતી, બહુ ભારે ખૂબી હતી. તે એ કે તેઓ દરે ક વાત હિન્દુસ્તાનનો સામાન્ય ખેડૂત કરે તે રીતે કરવા માગતા હતા. બહુ મોટી વાત હતી. એથી આત્મીય ભાવ પેદા થતો, એથી તેઓ બીજાની નજીક પહોંચતા. પણ એ વાત એમને શોભતી હતી. આપણા જ ેવા કરવા જાય તો મજાક જ ેવું થાય, नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]
હસવા જ ેવું થાય. એટલે કે એક મોટા માણસની નકલ થઈ જાય. ચોધરી : હા, વાત તો સાચી. (હસાહસ) નેહરુ : અને એ રીતે બધા ભેગા મળીને કામ કરે તે ન ચાલે. અને તમે જ ે આ પ્રધાનોના એશઆરામ વિશે લખ્યું છે તે બધું શું લખ્યું છે તેની વાત કરું? ચોધરી : મેં એ બધું સાદાઈ માટે લખ્યું છે. નેહરુ : ઉઘાડી વાત છે કે એ બધું વ્યક્તિગત હોય છે. શું કરવું શું ન કરવું, કેમ રહે વું. પણ આપણી સેન્ટ્રલ ગવર્નમેન્ટ(કેન્દ્રીય સરકાર)ના અને બીજી જગ્યાઓના પ્રધાનો માટે આ એક સામાન્ય ફરિયાદ ચાલે છે. મને એ બહુ સાચી નથી લાગતી. એટલે મેં તમને કહ્યું તેમ, અમુક અંશે સાચી હોય; કોઈ ઘમંડ રાખીને ચાલે વગેરે. એ તો વ્યક્તિગત વાત થઈ. સામાન્ય રીતે દરે ક પ્રધાન બીચારો બહુ મુસીબતમાં રહે છે. મને ઇન્કમટૅક્સ (આવકવેરો) વગેરે કપાતાં 1,620 રૂપિયા મળે છે. હા, મકાન મફત મળે છે, નોકર-ચાકર મફત મળે છે એ ખરું. અને એથી મને ઘણી રાહત રહે છે એ ઉઘાડી વાત છે. બીજા પ્રધાનોને બે હજાર પડે છે. પણ તેની સાથે બીજી સગવડો તેમને નથી મળતી. હવે અહીં દિલ્હીમાં સામાન્ય સ્થિતિનો માણસ રહે તો હોય તો તેને પણ આજના બે હજાર રૂપિયા પહે લાંના 500 રૂપિયા બરાબર થતા નથી. કદાચ તેથી પણ ઓછા હશે. તેના પર ઘણી જવાબદારીઓ પણ આ બાબતમાં હોય છે. અને હિન્દુસ્તાની રિવાજ પણ એવો છે (મારો ખાસ એવો નથી) કે કોઈને ત્યાં જઈને જુ ઓ તો તેનું આખું કુ ટુબ ં લાંબું પહોળું આમથી તેમથી તેની આસપાસ એકઠુ ં થઈ જાય છે; સૌ સ્નેહીઓ મિત્રો આવે છે. વીસ પચીસ માણસ રોજનાં રહે વાવાળાં હાજર હોય છે. 177