હોય તો). ભારત જ ેવા દેશમાં તો સામાન્યતઃ એટલા લાંબા ઉપવાસની જરૂર પડતી નથી. ઉપવાસ શરૂ કરતાં પહે લાં દરદીની શારીરિક હાલત અત્યંત નબળી હોય તો જ ઉપવાસની પ્રતિકૂ ળ અસર થવાનો સંભવ રહે છે. ડૉ૰ શેલ્ટને એવાં કેટલાંય ઉદાહરણો આપ્યાં છે જ ેમાં કૂ તરાં, બિલાડીઓ, ભૂંડ વગેરે આકસ્મિક કારણસર પચાસથી સો દિવસો સુધી સાવ ભૂખ્યાં રહ્યાં હોવા છતાં જીવિત મળી આવ્યાં હતાં. એટલે બે કે ત્રણ દિવસના ઉપવાસથી મૃત્યુ થઈ જશે એવો ભય સેવવો નિરર્થક છે. દરદી પહે લેથી મૃત્યુશય્યા પર જ હોય અથવા તેનું કોઈ મહત્ત્વનું અંગ નકામું થઈ ગયું હોય અને એવી સ્થિતિમાં મૃત્યુ લગભગ નિશ્ચિત લાગતું હોય તેવા કિસ્સામાં ઉપવાસ કરાવી ઉપવાસને બદનામ કરવો એ યોગ્ય ન કહે વાય. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપવાસ દરમિયાન તો શરીરની શુદ્ધિ થાય છે, જ્યારે જ્યારે શરીરની શુદ્ધિ થાય છે ત્યારે રોગનાં લક્ષણ (માથું દુઃખવું, પેટનો દુખાવો, કેડનો દુખાવો, શરીર તૂટવું, તાવ, ઊલટી વગેરે) દેખાય છે. ડૉ૰ શેલ્ટન લખે છે કે આ લક્ષણોને હં ુ લાભદાયક માનું છુ .ં આ લક્ષણ જ ેટલાં તીવ્ર હોય તેટલા વધુ લાભ એ સમયે ઉપવાસ કરવાથી દરદીને થાય છે, અને આ લાભ સત્વર થાય છે. તીવ્ર રોગમાં કુ દરતી રીતે અને ઉપવાસમાં આપણી ઇચ્છાનુસાર શુદ્ધીકરણ આરં ભાય છે. ઉપવાસ વખતે પણ તીવ્ર રોગમાં બને છે તેમ ભૂખ લાગતી નથી. શરીરનું શુદ્ધીકરણ શરૂ થયું હોય છે એટલે આ સમયે શરીર પાચનકાર્યમાંથી મુક્તિ ઇચ્છે છે. શરીરની શુદ્ધિ સંપૂર્ણ થાય ત્યારે સ્વાસ્થ્યની પુનઃ ભરતી આવે છે. ભૂખ ફરી લાગવા માંડ ે છે. આહાર લેવાનો આ યોગ્ય સમય છે. જો આ સમયે આહાર લેવામાં ન આવે તો ત્યારથી ભૂખમરાની સ્થિતિ શરૂ થાય છે. સાચી ભૂખ લાગી હોય છતાં આપણે જમીએ નહીં તે સ્થિતિને ભૂખમરો કહે વાય. 138
કુ દરત ભૂખમરાની સ્થિતિમાં પણ મહત્ત્વના અવયવોને છેવટ સુધી સાચવી રાખવા માગે છે. એટલે પહે લાં ઓછી જરૂરિયાતવાળી માંસપેશીઓ ઉપયોગમાં આવવા માંડ ે છે. આમાંથી બનતો આહાર મહત્ત્વના અવયવોનું પોષણ કરે છે. આ પ્રક્રિયા ત્યાં લગી ચાલે છે, જ્યાં લગી આ પ્રકારનો આહાર મળતો રહે છે. જ્યારે તે મળતો બંધ થાય છે, ત્યારે મનુષ્ય મૃત્યુ પામે છે. આવા મૃત્યુના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ ઉપરથી જાણવા મળે છે કે શરીરના જુ દા જુ દા અવયવોની નીચે દર્શાવેલાં પ્રમાણમાં ક્ષતિ થઈ છેૹ ચરબી ૯૧%, માંસપેશીઓ ૩૦%, બરોળ ૬૩%, યકૃ ત ૫૬%, લોહી ૧૭%, જ્ઞાનતંતુ ૦૦% મગજ તથા કરોડરજ્જુ ૦૦% શ્રી પાશુતીન આ બાબત અંગે લખે છે કે એક વ્યક્તિ ૧૩૨ દિવસ સુધી આહાર ન લેવાને કારણે મૃત્યુ પામી, ત્યારે તેના રક્તમાં લાલકણ ૪૮,૪૯,૪૦૦ દર ઘન મિલીમીટરે અને શ્વેતકણ ૭૮૫૨ દર ઘન મિલીમીટરે હતાં. એનો અર્થ એ કે તે સમયે પણ તેના લોહીનું બંધારણ સ્વસ્થ વ્યક્તિના લોહીના જ ેવું જ જળવાઈ રહ્યું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે હૃદય, મગજ, રક્ત વગેરે મહત્ત્વનાં અંગોને મૃત્યુ સુધી કોઈ હાનિ પહોંચતી નથી, એટલે એકબે દિવસના ઉપવાસથી મૃત્યુ થઈ જશે કે કોઈ ગંભીર સ્થિતિ ઊભી થશે એમ માનવું એ ખોટો ભય જ ગણાય. આટલું જાણ્યા પછી પણ જો કોઈને ઉપવાસનો ભય રહે તો હોય તો તેણે ઉપવાસ કરવા જોઈએ નહીં. તીવ્ર રોગ હોય ત્યારે ભૂખ તો હોતી જ નથી, મોઢાનો સ્વાદ બગડેલો છે, કુ દરતી રીતે જ પ્રેરણા થતી હોય કે આહાર નહીં જોઈએ, આવી સ્થિતિમાં ઉપવાસ અને આરામ જ શ્રેષ્ઠ ગણાય. અનુભવથી જણાયું છે કે જ ે લોકોને મલેરિયાનો તાવ વર્ષોથી હે રાન કરતો હતો, દરે ક વખતે ક્વિનાઇનની ગોળીઓ અને ઇન્જેક્શનો લેવા છતાં બીજી ઋતુમાં [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ