થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ધીરુભાઈની—ગાંધીજીની આત્મકથાને માત્ર ૫૦ રૂપિયામાં વેચાણની—જાહે રાતને આવકારવાની સાથે થોડો પૂરક સૂર ઉમેરતા એમ કહ્યું હતું કે, ‘…પણ ગાંધીના પુસ્તક માટે જ ે પણ કિંમત આપવી પડે એ કિંમતે આ દેશ એને સ્વીકારવા તૈયાર થશે ત્યારે દેશ કંઈક જુ દો જ હશે.’ છેલ્લે, ‘પ્રભાવ અને સ્વભાવ, બંને અસાધારણ હોય અને છતાં સાધારણ જીવન જીવે એ વ્યક્તિ ઉત્તમ કહે વાય’ કહી ઉત્તમચંદ શાહનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તમચંદ એવી વ્યક્તિ હતી કે જ ેમણે ગાંધીજી અને સરદાર પટેલના શબ્દોને જીવનમાં ઉતારીને સતત તેનો પ્રચાર કર્યો. મોરારિબાપુએ ધીરુભાઈની નવજીવનને એક કથા આપવાની વિનંતીનો પણ સહર્ષ સ્વીકાર કર્યો હતો ને એમાં ‘જામવંતોને પૂછીને હનુમાન ઊભા થાય એટલે કે વડીલોના માર્ગદર્શન હે ઠળ યુવાનો’ આ કથાના આયોજનમાં જોડાય ને ગાંધીજીને નખશિખ સમજ્યા હોય એવા વિદ્વાનો રામકથા પહે લાં અડધો કલાક-કલાક ગાંધીજીની વાત કરે ને આ રીતે નવી પેઢી ગાંધીજી સાથે જોડાય એવી લાગણી વ્યક્ત કરી હતી. નવજીવન પરિવારના દર્શિની ઉપાધ્યાયના મુખેથી ઉચ્ચારાયેલી પ્રાર્થના ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’થી પ્રારં ભ થયેલા કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ભાગ્યેશ જહાએ કર્યું હતું. દરે ક વક્તવ્યમાં પૂરક વિગતો ટાંકતા તેમણે આજના સમયની પાંચ ક્રાઇસિસ ઍથિક્સ, એનર્જી, ઍક્સેલન્સ, એજ્યુકેશન અને એન્વાયર્નમેન્ટ માટે અનુક્રમે પાંચ પાંડવોની સજ્જનતાને યાદ કરતા મહાભારતની પ્રસ્તુતતા અંગે પણ વાત કરી હતી.
અને બીજો, ગાંધીજી કહે તોય કૉંગ્રેસનું વિસર્જન દેશહિતમાં નથી. પ્રશ્ન એ થયો કે ભાગલા અંગેનો નિર્ણય ગાંધીજીને ગળે કોણ ઉતારે ? આ કામ સરદારે પોતાને માથે લઈ લીધું. સરદારની કાર્યશૈલી વાસ્તવમાં ગીતાશૈલી કે કૃ ષ્ણશૈલી હતી. એક વાર વિચારપૂર્વક નિર્ણય લેવાય પછી કોઈ અવઢવ નહીં. અનિશ્ચય કે અનિર્ણયના કેદી હોય એવા નેતાઓ સામર્થ્ય ગુમાવીને દેશને ગરીબ રાખે છે. એમણે ગાંધીજીને સમજાવ્યું કે ભાગલા સિવાય છૂટકો નથી. સરદારની વ્યવસાયાત્મિકા બુદ્ધિનો એ વિજય હતો.’ કાર્યક્રમના મુખ્ય વક્તા મોરારિબાપુએ નવરૂપ પામેલા નવજીવનની મુલાકાત લેતા જાણે ‘તલગાજરડાથી તીર્થ કરવા’ આવ્યાની લાગણી અનુભવી હતી. આ દિવસે ડૉ. બાબાસાહે બ આંબેડકરની જન્મતિથિ હોઈ તેમનું સ્મરણ કરીને વક્તવ્ય આગળ ધપાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગુણવંત શાહના આ અગાઉ પ્રકાશિત થયેલા રામાયણ પરના ભાષ્ય માટે ‘માનવતાનું મહાકાવ્ય’ શીર્ષક જાણ્યું ત્યારે આનંદ થયો હતો એ વાત સંભારીને, હવે મહાભારત પરનું ભાષ્ય લખવા જઈ રહ્યા છે ત્યારે તેનું શીર્ષક શું હશે તેની ઇંતેજારી હતી એમ નિખાલસપણે જણાવ્યું હતું. અને જ્યારે જાણ્યું કે મહાભારત પરના ભાષ્યનું મથાળું ‘માનવસ્વભાવનું મહાકાવ્ય’ છે, ત્યારે આના કરતાં બીજુ ં કોઈ મથાળું યોગ્ય ન કહે વાય, તેમ કહી તેનો પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. ગુણવંત શાહના મહાભારત પરના આ ગ્રંથને વ્યાસકાર્ય ગણાવતા તેમણે જ ેમાં ‘પ્રાચીન સત્ય છે, અર્વાચીન—આજના કાળને જરૂર પડે એવા ઉપાયો છે, અને ભવિષ્ય માટે જબરદસ્ત માર્ગદર્શન છે’ એવા મહાભારતનું ગાંધીના શબ્દતીર્થમાં લોકાર્પણ
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]
113