નોઆખાલીમાં ઠક્કરબાપા કાન્તિલાલ શાહ
વર્ષોથી ગાંધીજીના સંપર્કમાં રહે વાને કારણે અને ક્રમ સાચવીને ગાંધીજીએ પોતાનું આરોગ્ય ઠીક ઠીક ખાસ કરીને યરવડાના ઉપવાસ પછી બાપાને ગાંધીજી પ્રત્યે અને તેમનાં માનવસેવાનાં કામો પ્રત્યે ખૂબ જ મમતા બંધાઈ ગઈ હતી. તે એટલે સુધી કે, દેશના કોઈ પણ કટોકટીના પ્રસંગે, ખાસ કરીને તે માનવસેવાને લગતો હોય ત્યારે , તેઓ ગાંધીજીનો સાથ કદી છોડતા નહીં. ગમે તેવી અગવડો વેઠવાની હોય, કષ્ટ સહન કરવાનું હોય, જોખમ ખેડવાનું હોય અને મુસીબતો બરદાસ્ત કરવાની હોય, તોપણ તેઓ હં મેશાં ગાંધીજીની સાથે જ રહે વાનો આગ્રહ સેવતા; અને દુઃખમાં, કષ્ટમાં હં મેશાં ભાગીદારી નોંધાવતા. નોઆખાલીના હત્યાકાંડ અને બહે નો ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારો, બળાત્કારો, ખૂન, લૂંટ અને આગ વગેરે અમાનુષી કૃ ત્યોએ ગાંધીજીનું હૃદય મૂળમાંથી હચમચાવી નાખ્યું હતું. પરિણામે, જ્યારે તેમણે ‘કરેં ગે યા મરેં ગે’નો શાંતિ-સ્થાપનાનો મંત્ર લઈ નોઆખાલી જવાનો મક્કમ નિરધાર કર્યો, ત્યારે બાપાએ પણ એમની સાથે જવા ઇચ્છા દર્શાવી. ગાંધીજી આ ઉંમરે પ્રવાસ ખેડ,ે મુસ્લિમ લીગના કોમવાદી વિષપ્રચારથી ઉન્મત્ત બનેલા લોકોએ જ્યાં જોરજુ લમ, ભય, ત્રાસ, આગ, લૂંટ, ખૂન અને બળાત્કારનું નરક કરતાંયે ભયંકર વાતાવરણ સર્જ્યું હતું એ વૈરાગ્નિથી સળગતા પ્રદેશમાં જવાનું નક્કી કરે , તે જો એક પ્રકારનું સાહસ હતું, તો ઠક્કરબાપા માટે એ વિશેષ સાહસ હતું. ગાંધીજીની ઉંમર એ વખતે સિત્યોતેર વરસની હતી. બાપાની પણ લગભગ તેટલી જ હતી. સામાન્ય રીતે અનેક પ્રકારના નિયમો, સાવચેતી અને સારવારનો 392
જાળવી રાખ્યું હતું. પણ વર્ષો સુધી નિર્દયપણે શરીર પાસેથી કામ લેવાને પરિણામે છેલ્લાં એકાદ-બે વર્ષથી બાપાનું શરીર ઠીક ઠીક ખળભળ્યું હતું. ઉપરાંત, એમની આંખે મોતિયા આવવા શરૂ થયા હતા અને રાતના કોઈની મદદ વગર એકલા ચાલી શકે તેવી સ્થિતિ ન હતી. વળી ત્યાં કોઈ દુષ્કાળના સીધા રાહતકાર્ય કે એવા બીજા કામના સંચાલન માટે જવાનું ન હતું, જ ેથી કરીને ત્યાં મુકરર વ્યવસ્થા હોય. આ તો અંધારામાં કૂ દકો મારવાનો હતો. ત્યાં કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો હશે, તેનો ખુદ ગાંધીજીને પણ પૂરો ખ્યાલ ન હતો. આમ છતાં બાપાનો અંદરનો ઉત્સાહ એટલો અસીમ હતો, ગાંધીજી પ્રત્યેનો પ્રેમ અને મમતા એટલાં અખૂટ હતાં, નોઆખાલીનો બનાવ એટલો કરુણ અને ભયંકર હતો, ત્યાંના પીડિતો અને બહે નોની ચીસ એટલી તીવ્ર અને મર્મભેદી હતી, કે આ વખતે બાપા દિલ્હીમાં પગ વાળીને બેસી રહે એ બને તેમ ન હતું. ગાંધીજી જ્યારે પોતાની જાતને કસોટીએ ચડાવતા હોય ત્યારે પોતે દિલ્હીમાં શાંતિથી કેમ બેસી રહે ? એમણે પણ પોતાના એકાદ-બે સાથીઓને લઈ ગાંધીજીની સાથે નોઆખાલી જવાનું નક્કી કર્યું, અને એ માટે એમની રજા માગી. બાપાની ઉંમર અને તબિયત જોતાં અન્ય પ્રસંગે ગાંધીજી કદાચ તેમને આવવાની સલાહ ન આપત, પણ આ પ્રસંગ અનોખો હતો. પોતાની અહિં સા પરની શ્રદ્ધાને કસોટીએ ચડાવવા, તે તન, મન — સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થયા હતા. એટલું જ નહીં, પણ પોતાના જ ે પ્રિયજનો હતા — વર્ષો સુધી એમના પ્રત્યે શ્રદ્ધા રાખીને એમને પગલે પગલે ચાલ્યા હતા, એ [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ