વર્ષના શાસનના સંધિકાળે હં ુ ત્રિભેટ ે આવીને ઊભો છુ .ં ઇતિહાસે સર્જેલી અનોખી પળે જ ે કસોટીમાંથી મારે પસાર થવાનું છે તેમાં યોગ્ય નિર્ણય લેવાનું મને બળ આપજો. પ્રજાજનો અમને રાજવીઓને પૃથ્વીપતિ, ભૂપતિ કે પૃથ્વીશ તરીકે સંબોધે છે. પણ અમે ક્ષત્રિયો તો આ ભૂમિની રખવાળી કરનારા છીએ. અમારી શક્તિ અનુસાર અમે પ્રજાનું પાલન, પોષણ અને જતન કર્યું છે. ભૂમિનો ઉપભોગ કરનારા તો પ્રજાજનો છે. તેમના વિશ્વાસે અમે રાજકાજ કર્યાં. આજ ે તેમનું જ ે છે તે તેમને જ સોંપીને અમે મુક્ત થઈ શકીએ, કૃ તાર્થતા અનુભવીએ એવો મારો સંકલ્પ છે. અમારા પૂર્વજોએ જ્યાં કશી ક્ષતિ કરી હોય ત્યાં અમને ક્ષમા પ્રાપ્ત થજો એ જ મારી પ્રાર્થના, હે દેવ, તમે સ્વીકારજો.
રીતે સત્તા પકડીને બેસી રહે વાથી સત્તા, લાભ કે યશ કશું મળવાનું નથી. મળે તોપણ તે સારું તો નથી. દેશનું અહિત કરીને મેળવવું કે રાખવું તેનો અર્થ શો? એટલે જ મારી ચિંતા એ છે કે દેશની એકતા ટકી રહે તે માટે મારે શું કરવું જોઈએ? મારે કેવો ભોગ આપવો જોઈએ જ ેથી આ અટકે? આ માટેના પ્રયાસો મેં શરૂ કરી દીધા છે.’ ‘આપ તેમાં કઈ રીતે આગળ વધવા માગો છો?’ ‘મેં નિશ્ચય કર્યો છે કે મુક્ત થઈ જવું, રાજ્ય પ્રજાને સુપરત કરી દેવું, જ ેનું જ ે છે તેને તેનું આપી દેવું. પ્રજાનું છે તે પ્રજાને સોંપી દેવું, જ ેથી દેશના બીજી વારના ભાગલાના સાથીદાર થવું ન પડે.’ કુ મારને લાગ્યું કે બાપુ પોતાના નિર્ણયમાં ઘણા મક્કમ છે. મહારાજાના અંતરમનમાં રટણા ચાલતી હતીૹ હે કાળદેવતા! મારા સૂર્યવંશી ગોહિલકુ ળના ૭૦૦
ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાના પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલાં ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે. – સં.
મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨
नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]
ઈ બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com 405