કામનાઓ પૂરી કરવા માટે અસંખ્ય દેવદેવીઓની કલ્પના કરીને તેમની મૂર્તિઓ બનાવીને આરાધના કરવાની પરં પરા સર્જી છે. આ પરં પરાનું પરિણામ વર્ણવતાં તેમણે લખ્યું છેૹ ઈશ્વરપ્રેમ અને ઈશ્વરનિષ્ઠાને લીધે સમાજ ઉન્નત થાય છે, તેમાં સદ્ગુણ રહે છે અને વૃદ્ધિ પામે છે. પણ કેવળ આરાધનાની પાછળ પડેલો સમાજ કામનિક અને દુર્બળ બને છે. (વિ. સા. પૃ. ૪૩)
અહીં કાર્યકારણના સંબંધને ઊતરાવી શકાય તેમ છે. એક પ્રજા તરીકે આપણે દુર્બળ હોવાથી આપણી કામનાઓની તૃપ્તિ માટે આપણા પોતાના પુરુષાર્થ પર આધાર ન રાખતાં દેવદેવીઓ, ગુરુઓ અને માનવઈશ્વરોની પાછળ લાગ્યા છીએ. આ દૃષ્ટિએ છેલ્લાં પાંચસોસાતસો વર્ષમાં આપણે કેટલાં દેવદેવીઓ, ગુરુઓ અને માનવઈશ્વરો સજ્યાં છે તેનો ઇતિહાસ તપાસવા જ ેવો છે. કર્મકાંડ સ્વરૂપે થતી આપણી કામનિક ઈશ્વરભક્તિનું એક અનિષ્ટ પરિણામ આવ્યું છે. નૈતિક આચરણ કર્યા વિના કેવળ ઈશ્વરભક્તિ કરીએ તોપણ પુણ્ય કમાઈને સુખી થઈ શકીએ. એવી માન્યતાને કારણે આપણા સમાજમાં અનૈતિક આચરણ વ્યાપક બન્યું છે. કેદારનાથજીએ લખ્યું છેૹ કર્મકાંડથી પરમેશ્વર સંતુષ્ટ થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપમાંથી મુક્ત થવાય છે, એવી ખોટી શ્રદ્ધા રાખીને સમાજ સાથે પ્રામાણિક રહે વાનો વિચાર જ આપણે કદી કરતા નથી. ક્રિયાકાંડથી પ્રાપ્ત થતા પુણ્યના બળે ઇહલોકમાં અને પરલોકમાં આપણને સુખ જ મળશે એ શ્રદ્ધા પર આપણે સમાજદ્રોહ કરીએ છીએ. (વિ. દ. પૃ. ૪૫)
હિં દુ ધર્મના પાયામાં રહે લાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કર્યો છે. વ્યક્તિને એનાં नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]
કર્મોનું ફળ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભોગવવું જ પડે છે, એટલે કે વ્યક્તિ તેનાં જ ે કર્મોનું ફળ તેના વર્તમાન જન્મમાં ન ભોગવી લે તે ભોગવવા માટે તેને પુનર્જન્મ લેવો પડે છે. હિં દુ ધર્મનો આ એક પ્રસ્થાપિત મત છે. તેથી કર્મમાંથી ઉદ્ભવતાં બંધનોમાંથી મુક્ત થવાના માર્ગો આપણે શોધ્યા છે. કેદારનાથજીએ આ પ્રસ્થાપિત મત સ્વીકાર્યો નથી. તેને બદલે તેમણે સામૂહિક કર્મો અને તેનાં સામૂહિક પરિણામો – ફળોનો ખ્યાલ રજૂ કર્યો છેૹ દરે ક માણસનાં જુ દાં જુ દાં કર્મો માનવામાં આવે અને તેનાં ફળ ભોગવવા માટે તેને પુનર્જન્મ ક્રમ પ્રાપ્ત હોય એવો નિયમ વિશ્વમાં હોય એમ લાગતું નથી. આપણા બધાનાં અને વિશ્વનાં કર્મો એટલાં બધાં સેળભેળ છે અને એકબીજા સાથે ગૂંચવાયેલાં છે કે તેમાંનું કયું કર્મ આપણું એકલાનું અને તેમાંના કયા કર્મનું કયું પરિણામ, એની કોઈ પણ શોધ કરી શકે એમ લાગતું નથી. કોઈ પણ કર્મ કે કાર્ય સ્વતંત્ર, એકલું, કે જુ દું હોતું નથી, પણ અનેક નાનાંમોટાં કારણનું એટલે કે જુ દાં જુ દાં કર્મોનું અને ક્રિયાઓનું પરિણામ હોય છે… આવી સ્થિતિમાં કોઈ પણ કર્મ તત્ત્વતૹ કોઈનું એકલાનું હોઈ શકતું નથી. (વિ. સા. પૃ. ૧૧૭)
આ મુદ્દાને સમજવા જ ેવો છે. વ્યક્તિ જ ે કર્મો કરે છે તેનો ઘણો મોટો ભાગ જ ે તે સમાજની સાંસ્કૃતિક પરં પરા પ્રમાણે થયેલો હોય છે. દા. ત., આપણે માંસાહાર ન કરતા હોવાથી પશુઓની હિં સાનો દોષ વહોરતા નથી, જ ે લોકો માંસાહારી છે તેમને જીવોની હિં સા પર નભવું પડે છે. ભારતના સમાજમાં વૃદ્ધ માતાપિતાને સાચવવાં તે પુત્રોની નૈતિક ફરજ છે, પરં તુ પશ્ચિમના સમાજમાં સંતાનો પર એવી કોઈ નૈતિક જવાબદારી લાદવામાં આવેલી નથી. 381