Navajivanno Akshardeh Setpember 2018

Page 3

ટૉલ્સ્ટૉય : જીવન-પરિચય ચિત્તરં જન વોરા

ઉંમરના વિવિધ તબક્કે ટૉલ્સ્ટૉય

મહાત્મા ટૉલ્સ્ટૉય અને ગાંધીજી આ બંને વ્યક્તિત્વનો તેમના કાળમાં એવો પ્રભાવ રહ્યો હતો કે તેમણે જ ે કંઈ કહ્યું લખ્યું તે તત્કાલિન સમાજ ે કાન દઈને ગંભીરતાથી સાંભળ્યું - વાંચ્યું છે! તેઓએ કહે લા - લખેલા શબ્દોનો મહિમા આજ ે ઘટ્યો નથી, બલકે ઓર વધ્યો છે. રશિયાના લીઓ ટૉલ્સ્ટૉય તેમના જીવનના બહુવિધ અનુભવ અને લેખનથી સદાકાળ મહાન લેખકોમાં સ્થાન પામ્યા છે, જ્યારે ગાંધીજીનું જાહે રજીવન તમામ ભૂમિકાએ અનન્ય અને પૂર્ણરૂપ રહ્યું છે. આ બંને મહાનુભાવોના જીવનકાળમાં ચાર દાયકાનું અંતર હતું. ટૉલ્સ્ટૉયનો જન્મ 1828માં થયો હતો, જ્યારે ગાંધીજીનો 1869. જોકે બન્ને વચ્ચે દેશ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર જ ેવા અનેક અંતર હોવા છતાં વૈચારિક સમાનતા રચાય છે અને આ સમાનતા જન્મે છે; ગાંધીજી દ્વારા આરં ભાયેલા પત્રવ્યવહારથી. ટૉલ્સ્ટૉયને ગાંધીજીનો પ્રથમ પત્ર 1 ઑક્ટોબર, 1909ના રોજ મળે છે. ટૉલ્સ્ટૉય તેનો ઉમળકાભેર ઉત્તર પાઠવે છે અને આમ અરસપરસ સાત પત્રો લખાય છે. 9, સપ્ટેમ્બરના રોજ લીઓ ટૉલ્સ્ટૉયની 190મી જન્મજયંતી છે, ત્યારે ગાંધીજી અને તેમની વચ્ચેના એ પત્રવ્યવહારના સંપાદિત અંશ રજૂ કર્યા છે. પ્રસ્તુત પત્રો દ્વારા સહજતાથી સમજી શકાય છે કે બન્ને મહાનુભાવ રૂબરૂ મળ્યા ન હોવા છતાં તેઓ વચ્ચે કેટલી સહજ રીતે આત્મીયતા કેળવાય છે! એકબીજાના કાર્યો અને વિચારો તરફ આદર સાથે નિ:સંકોચપણે પત્રચર્ચા થાય છે. પ્રસ્તુત અંકમાં આ પત્રવ્યવહારની સાથે ચિત્તરં જન વોરા દ્વારા અનુવાદિત ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ પુસ્તકમાં આલેખાયેલાં અનુવાદકના નિવેદનમાંથી મહાત્મા ટૉલ્સ્ટૉયના જીવનનો સંપાદિત-સંક્ષિપ્ત પરિચય પણ રજૂ કર્યો છે…

…મહાત્મા લીઓ ટૉલ્સ્ટૉય પોતાના જીવનકાળમાં

પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર, ૧૮૨૮એ રશિયાના એક અમીર જાગીરદાર કુ ટુબ ં માં થયો હતો. ચાર ભાઈમાં એ સૌથી નાના હતા. તેમની ઉંમરના નવમે વર્ષે માતાનો અને સોળમે વર્ષે પિતાનો સ્વર્ગવાસ થયો. ચોત્રીસમે વરસે લગ્નજીવનમાં સ્થિર થયા ત્યાં સુધી વિવિધ સંજોગોના ખડતલ અનુભવોમાંથી એમનું જીવન પસાર થયું. नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે ફ્રેન્ચ અને જર્મન શિક્ષકો પાસેથી લઈને એ યુનિવર્સિટીમાં ભાષાવિદ્યા શીખવા ગયા ખરા, પણ એમાં ફાવ્યું નહીં એટલે કાયદાની શાખામાં દાખલ થયા. તેમાં પણ સંતોષકારક પ્રગતિ થઈ નહીં, કેમકે અભ્યાસ કરતાં વધુ તો મિજબાનીઓ અને મેળાવડાઓમાં જ પોતે તો મહાલતા રહે તા. ઓગણીસ વર્ષની ઉંમરે યુનિવર્સિટી છોડીને કૌટુબિ ં ક જાગીરની ખેતી સંભાળવાનું શરૂ કર્યું. તેમાં 271


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.