માધ્યમથી રજૂ કરે છે. અને પછી अधिपति તરીકે જવાબ આપે છે. આ આખી રમત એટલા તાટસ્થ્યથી રજૂ થઈ છે કે એવો આભાસ થાય છે જાણે સવાલ પૂછનાર અને જવાબ આપનાર બેઉ જુ દી વ્યક્તિ ન હોય! અધિપતિના જવાબો વાચક તરત સ્વીકારી લે છે એવુંય નથી. ‘મારે વિચારવું પડશે’, ‘તમારા કહે વા પર ધ્યાન આપવું પડશે’, ‘એકદમ બધું ગ્રહણ કરાય એમ તમે નહીં માનો. એવી આશા પણ નહીં રાખતા હો…’ જ ેવા વળતા જવાબો પણ આપે છે. ગાંધી વાચક પાસે જ ે પ્રતિપ્રશ્નો કરાવે છે તેના પરથી કહી શકાય કે આ માણસને વિશાળ પ્રજામાનસ પારખતાં આવડતું હતું. દલીલોમાં અંતિમે પહોંચી જાય, તાર્કિક જવાબ ન સૂઝે ત્યારે ગાંધી કેવા મજા પડે એવા ચાલાક જવાબો આપે છે તેનો એક નમૂનો જુ ઓ : અધિપતિ : સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો, અવગુણથી તો ચોપડી ચીતરી શકું છુ .ં વાચક : આ બધું લખેલું સંચાની મદદથી છપાશે, તેની મદદથી વહેં ચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ? અધિપતિ : ઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી. સંચો મરતાં મરતાં બોલી જાય છે કે સંભાળજો ને ચેતજો; મારામાંથી તમે લાભ નથી લેવાના…’ (પૃ. ૧૦૩) દરે ક સવાલના જવાબમાં દૃષ્ટાંતો આપીને, સરખામણી કરીને વાતને ગળે ઉતારવા મથામણ થઈ છે. દા. ત., વાચક જ્યારે હિં દના દાદાએ વળી શો ઉપકાર કર્યો? — એવું પૂછ ે છે ત્યારે ગાંધી કહે છે : ‘તેમણે પોતાની જિંદગી હિં દને અર્પણ કરી છે. હિં દનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે… જ ે પગથિયેથી આપણે 284
ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ં ન મારવી એ ડહાપણ છે…’ (પૃ. ૨૭). ગાંધી પગથિયું, સીડી, બાળપણ, યુવાની વગેરેનાં દૃષ્ટાંતો દ્વારા કઈ રીતે દાદાભાઈનું કામ પાયાના પથ્થર જ ેવું છે તે વાચકને ગળે ઉતારે છે. એકાદ લીટીમાં ગાંધી મોટી વાત કરી શકે છે. કૉંગ્રેસે એ સમયે સંગઠનની દૃષ્ટિએ કેવું મહત્ત્વનું કામ કર્યું હતું તેની નોંધ લેતા ગાંધી નોંધે છે : ‘કૉંગ્રેસે જુ દા જુ દા ભાગમાં હિં દીઓને એકઠા કરી તેઓને ‘એક પ્રજા છીએ’, એવો જુ સ્સો આપ્યો… કૉંગ્રેસે સ્વરાજનો રસ હિં દને ચખાડ્યો. (પૃ. ૩૦) અધિપતિ વાચકને ટોકે છે, ટપારે છે, ધમકાવે પણ છે : ‘તમે અધીરા થયા છો. મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય.’ (પૃ. ૨૭). ‘તમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃ તિ બતાવે છે.’ (પૃ. ૨૮). અધિપતિ વાચકને જુ દી જુ દી બાબતે ટોકે છે તેમાં કેટલુંય એવું છે જ ે આજના સમયે પણ પ્રસ્તુત છે. દા. ત., ‘આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ એ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો…’, ‘આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે…’ (પૃ. ૨૮). ‘જો હિં દુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિં દુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે…’ (પૃ. ૪૦) અહિં સા બાબતે એમના વિચારો ત્યારે પણ કેટલા સ્પષ્ટ હતા? યુદ્ધો અને હથિયારોની વાત કરતા તેઓ કહે છે : ‘દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જણાવે છે કે દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે.’ (પૃ. ૮૪). ‘સત્યાગ્રહ’ બાબતે દુનિયાને નવો રસ્તો બતાવનાર ગાંધી એનો પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કરી ચૂકેલા. સત્યાગ્રહ આપભોગ માગે છે, આત્મબળ માગે છે એવું કહે તાં ગાંધી [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ