મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ જ ેવા રાષ્ટ્રીય નેતાઓનો ઉદય આ સમયે જોઈ લો… આ પ્રકારનું પુસ્તક ભવિષ્યમાં લખી શકાશે તેવું હં ુ
નથી માનતી. કેમ કે તે વખતની નોખી પેઢી અને સ્વતંત્રતા આંદોલનનો એ સમય દુર્લભ હતાં. i
આત્મકથાના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જ ેરાલ્ડીન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનામાંથી : હં ુ શુધા મઝુમદારને ૧૯૭૦માં પ્રથમવાર મળેલી. કારણ હતું બે પેઢી પહે લાંના તેમના મામા શ્રી જોગેન્દ્રો ઘોષ અંગે મારા સંશોધન માટે માહિતી મેળવવાનું. પરં તુ બે-ત્રણ મુલાકાતો બાદ જોગેન્દ્રો ઘોષ અમારી વાતચીતમાંથી પડતા મુકાયા અને શુધા પોતાના જીવનની વાતો કરવા માંડી. વાતવાતમાં તેણે મને ‘કંઈક’ બતાવવાની ઇચ્છા કરી. મેં હા પાડી અને તરત તે પોતાના ખંડમાં જઈને ‘કંઈક’, એટલે કે વર્ષો પહે લાં તેણે લખેલ આત્મકથાની ૫૦૦ પૃષ્ઠની હસ્તપ્રત, લઈ આવી. મને તેની આત્મકથામાં અનહદ રસ પડ્યો… એક ઇતિહાસકારને એક દેશ અને કોઈ વ્યક્તિમાં જ ેટલો રસ પડે તેટલો રસ પડ્યો… હં ુ તે હસ્તપ્રતને મારી સાથે ઇલિનોઈ યુનિવર્સિટી લેતી ગઈ. પાંચ-સાત અમેરિકન પ્રોફે સર મિત્રોએ આ પ્રત વાંચી. અને તેને વ્યક્તિગત જીવનના ચિતાર કરતાં ગાંધીયુગીન સ્વતંત્રતા આંદોલનના જીવંત દસ્તાવેજ તરીકે નવાજી. તેમને મન શુધાની આ હસ્તપ્રત એક અણમોલ દસ્તાવેજ હતી. એક એવો દસ્તાવેજ કે જ ે બ્રિટિશરાજની નોકરી કરતા ભારતીય સિવિલ અૉફિસરની પત્નીએ ઘણા બધા રાજકીય નિયંત્રણો વચ્ચે લખી હતી… ૧૯૭૨માં હં ુ શુધાને મળવા અને તેની હસ્તપ્રતને પ્રકાશિત કરવા માટે સમજાવવા ખાસ ભારત આવી. શુધાના નિવાસસ્થાને તેની હાજરીમાં મેં કદાચ ક્યારે ય ન છપાવવા માટે લખાયેલ, આ હસ્તપ્રતની પ્રેસ કૉપી તૈયાર કરી. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]
પુસ્તકના પ્રકાશનમાં પાંચ વર્ષ લાગ્યાં. એ પાંચ વર્ષ દરમિયાન હં ુ ભારતીય સ્ત્રીના સશક્તિકરણ તથા તેમના વિકાસમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધીજીએ આપેલા ફાળાને બરાબર સમજતી થઈ. અને મારે મન શુધાની આ આત્મકથા એક અમૂલ્ય ખજાનાસમી બની રહી… એ વર્ષોમાં અદનો ભારતીય ગાંધી જીવનમૂલ્યો પ્રમાણે જીવવા પ્રયત્નશીલ હતો. આ પુસ્તક ભારતીયોના એ પ્રયત્નનું જીવંત સાક્ષી છે… ૧૯૦૦થી ૧૯૩૦ દરમિયાન જીવાયેલ એક ભારતીય સ્ત્રીના જીવનનો આ દસ્તાવેજ રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા દ્વારા પ્રેરિત અગણિત ભારતીય સ્ત્રી-પુરુષોનો વિરાટ બ્રિટિશ સલ્તનત સામેના અહિં સક સંઘર્ષની નાટ્યાત્મક, માન્યામાં ન આવે તેવી, કહાણી છે. આ પુસ્તકનું દસ્તાવેજીકરણ ઘણા કારણોસર મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ આ એક વ્યક્તિગત લેખન હોઈ તેમાં અપાયેલા તત્કાલીન સમયના ચિતારને વધુ આધારભૂત બનાવે છે. દ્વિતીય આ એક સ્ત્રીના જીવન અને તેમાં આવેલા અને જિવાયેલા પરિવર્તનની વાત કરે છે. જ ેના પરથી સમગ્ર ભારતીય સ્ત્રીવર્ગના જીવનમાં આવેલ પરિવર્તન સમજી શકાય તેમ છે. અને તૃતીય, આ જીવનકથાને એક ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો ‘કેસ સ્ટડી’ તરીકે મૂલવી શકાય તેમ છે. ૧૯૦૦ થી ૧૯૩૦નો સમય એટલે ગાંધીયુગીન ભારતીય સ્ત્રીઓની જાગૃતિનો પ્રારં ભકાળ. ગાંધીએ સ્ત્રીઓને ઘરનો ઊમરો ઓળંગીને રાજકારણ, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી, અસહકાર અને 253