સર્જક-પરિચય સર્જન કરવાની શક્તિ કેવી તો જન્મજાત હોય છે એનો એક દાખલો આપણા નવલકથાકાર પન્નાલાલ પટેલ છે તો બીજો એક દાખલો કવિ રાવજી છે – રાવજી છોટાલાલ પટેલ. જન્મ 15 નવેમ્બર 1939 અને, નાની વયે જ આ ઉત્તમ સર્જકનું અવસાન : 10 ઑગસ્ટ 1968. ડાકોર પાસેના નાનકડા ગામ વલ્લવપુરામાં જન્મેલો આ સામાન્ય સ્થિતિનો ખેડતૂ પુત્ર અમદાવાદ આવ્યો, સ્કૂલમાં ભણ્યો, કૉલેજમાં બે વર્ષ ર્ક્યાં; નિર્વાહ માટે મીલમાં, પુસ્તકાલયમાં નાની-સરખી નોકરીઓ કરી. આ એક સંઘર્ષ, ને શહે રમાં ગામ-ખેતર તીવ્રતાથી યાદ આવ્યા કરે એ બીજો મનોસંઘર્ષ. રાવજીનાં સંવેદના ને ચેતના એટલાં તો વેગવાળાં કે ગુજરાતીના કવિઓની કવિતા વાંચતાં વાંચતાં જ કવિતાનું ઝરણું ફૂટયું – ને જોતજોતામાં રાવજી પટેલ તે સમયની આધુનિક કવિતાનો એક મહત્ત્વનો કવિ બની ગયો – અદમ્ય સર્જકશક્તિનો જાણે ચમત્કાર ! ભણ્યો, વાંચ્યું, લખ્યું તે બધું જ તરવરાટથી ને વલવલાટથી – ઊંડે ડૂબકી મારીને. નાનપણના અપોષણને કારણે ક્ષય થયો, લાગણીની તીવ્રતાવાળા આ કવિએ એ ગણકાર્યું નહીં, રોગ વકરતો ગયો, એને હોસ્પિટલમાં દાખલ કરાયો – પણ એ બચ્યો નહીં. 30 વર્ષની નાની વયે આપણી વચ્ચેથી એ વિદાય થયો... જીવ્યો એ દરમ્યાનમાં, કૃ ષિ-ચેતના તેમજ આધુનિક ચેતનાનાં ખેંચાણવાળી – લાગણી અને સમજના અદ્ભુત સમન્વયવાળી કવિતા લખી. અવસાન પછી એનો, કવિમિત્રોએ, સંગ્રહ કર્યો : `અંગત’ (1970). એ ઉપરાંત બે નવલકથા લખી `અશ્રુઘર’(1966) અને `ઝંઝા’ (1967). વાર્તાઓ લખી – `વૃત્તિ અને વાર્તા’ (1977). એક રોગગ્રસ્ત અશક્ત વ્યક્તિ, એક સશક્ત સર્જક.
L