Navajivanno Akshardeh - December 2019

Page 1

પરમેપાને શ્વરીઆઝાદીની સત્તાનું અનુલડતની કરણ હાકલ... ‘નવજીવન’ના

વર્ષૹ ૦૭ અંકૹ ૧૨ સળંગ અંકૹ  ૮૦ •  ડિસેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

“જવાહરલાલ જ ેવા આળા સ્વભાવના અને તોછડા મિત્રના વફાદાર સાથી; સરકારના સુકાની અને રાજાઓના રાજશ્વેર; ભારતના પ્રહરી, ઐક્યવિધાયક અને સંરક્ષક; નેહરુની સાથોસાથ અંગ્રેજી સલ્તનતના વારસદાર; સ્વાધીનતા અગાઉ મહાત્માનું સ્થાન લઈને કૉંગ્રેસની નીતિના ઘડવૈયા; અહમદનગરના જ ેલખાનામાં અજંપાથી આંટા મારતો સિંહ; ‘ભારત છોડો’ આંદોલનના અવિશ્રાંત સંયોજક; કૉંગ્રેસ પક્ષ અને મુખ્યપ્રધાનોના કડક સ્વામી; અંગ્રેજી રાજના કેદી ને તેની સામે પડકાર ફેં કનાર; બારડોલીના ઓજસ્વી સેનાપતિ; ગાંધીજીના અડીખમ સહાયક; સંભાળ રાખનાર મિત્ર અને મશ્કરી કરવામાં એક્કા; બીજાઓ માટે હં મેશાં હસતા મુખે ખસી જનાર— જિદં ગીની શરૂઆતમાં વિઠ્ઠલભાઈ માટે અને પાછળથી જવાહરલાલ માટે જગા કરી આપનાર; અમદાવાદ વકીલમંડળના સખત ચહે રાવાળા, છેલ્લી ફૅ શનનાં વસ્ત્રોમાં સજ્જ અને તોછડા વિજ ેતા; હં મેશાં મહત્ત્વાકાંક્ષા ધરાવનાર; લંડનમાં મોટી ઉંમરના અને મોજશોખમાં ક્ષણ પણ ન બગાડનાર વકીલાતના વિદ્યાર્થી; ગોધરા અને બોરસદમાં બધાને ડરાવનાર વકીલ; ઉદાસ, વહાલસોયી અને રહસ્યમાં વીંટળાયેલી યુવાન ઝવેરબાના મૂક પતિ; પોતાની જાત પર સખ્તાઈ આચરનાર અને પોતાને તુચ્છ ગણનારને પાઠ ભણાવનાર યુવાન; નોંધપાત્ર કિશોર; ગરીબ ખેડૂત કુ ટુબ ં નો ઉપેક્ષિત ચોથો છોકરો; નડિયાદનાં લાડબા અને કરમસદના ઝવેરભાઈને ત્યાં જન્મેલો બાળક.” — રાજમોહન ગાંધી [‘સરદાર : એક સમર્પિત જીવન’માંથી]

૪૩૨ ૩૨૦


વર્ષૹ ૦૭ સળંગ અંકૹ ૮૦ •

અંકૹ ૧૨ ડિસેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે

ગાંધી – સરદાર – નેહર‌ુ

૧. મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી. . . . . . . . . . . . . . . . . . . . . . પ્રકાશ ન. શાહ . . ૩૯૯

૨. દેશના સરદાર, ગાંધીજીના સિપાઈ . . . . . . . . . . . . . . . . . . . . . ઉર્વીશ કોઠારી . . ૪૦૩ ૩. લોકાધિકારી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ . . ૪૧૧

સાજસજ્જા

૫. ‘ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ–૧૯૧૪-૧૯૪૮’ : પુસ્તકની ભીતર.સોનલ પરીખ . . ૪૧૮

કપિલ રાવલ અપૂર્વ આશર

૬. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી : ભાગ-૬. . . . . . . . . ડૉ. રં જના હરીશ . . ૪૨૧

૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં . . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૪૨૪ ૯. નવજીવનનાં નવાં પ્રકાશનો . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૪૨૮

વાર્ષિક લવાજમ ઃ

લવાજમ અંગે

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

િાડીલાલ ડગલી

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

વિદેશ િસિાટનાં સંભારણ

દુિનયાના દેશો િવશેની માિહતી તો સંખ્યાબંધ ટૂ�રસ્ટ ગાઇડોમાં મળે છે. દરેક દેશ ઉપર સંખ્યાબંધ પુસ્તકો પણ મળે છે તો �વાસકથાની શી જરૂર? તમને �પાન ઉપર બસો પુસ્તકો મળે, પણ રવીન્�નાથ �પાન �ય ત્યારે તેમની આંખે નવું જ �પાન દેખાય. વ્ય�ક્તએ વ્ય�ક્તએ �વાસકથા બદલાતી રહે. �વાસકથાનું ખરું મૂલ્ય એ છે કે એ �દેશનો લેખકના િચ�માં શો �િતભાવ પડ્યો? આવો �િતભાવ �ટલો આગવો તેટલી �વાસકથા સાિહત્યની વધુ ન�ક.

વિતેન્દ્ર દેસાઈ

વિદેશ િસિાટનાં સંભારણાં

વિતેન્દ્ર દેસાઈ

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������������������������������� ૪૩૦

લવાજમ મોકલવાનું સરનામું

ભાઈશ્રી જિતેન્દ્ર દેસાઈ લંડ ન કૉલેિ ઑફ જરિનન્ટગ ં માં મુદ્રણકળા શરીખવા માટે ગયા તે દરજમયાન તેમણે ઇંગલૅંડ મનનરી આંખ ઉઘાડરી રાખરી હતરી. એક વરસ પછરી દેશ આવયા તયારે તે રિવાસનરી માં લેખમાળા શરૂ કરરી. હવે ‘જવદેશ વસવાટનાં સંભારણા ગ્ંથરૂપે આવયું છે તે આપણ ં’ રી ભાષા માટે સારા સમાચ ાર છે. રિવાસકથાનું ખરં મૂલય એ છે કે એ રિદેશનો લેખકના જચત્તમ ાં શો રિજતભાવ પડ્ો? આવો રિજતભાવ િ ેટલો આગ વો તેટલરી રિવાસકથા સાહહ તયનરી વધુ નજીક. લેખકનરી આંખમાં જશશુસહિ કુ તૂહલ છે. આવા કુ તૂહલ સાથે ઝરીણ રી આંખે જોવાનરી ટેવ ભળે તયારે કજવતા અને જીવન એકસાથે વહે વા માંડ.ે આથરી એમનરી રિવાસકથા બુજધિ અને હૃદય બંનેને સંતોષ પમાડ ે છે. આ રિવાસકથામાં એક રિકારનરી એવરી નક્કરતા છે કે આપણને લાગે કે કશું પાનાં ભરવા માટે અહીં લખયું નથરી. જવલાયતનરી વાસતજવકત ા પામવાનો ગંભરીર રિયતન અહીં િણાય છે. આ બધાંને કારણે આ રિવાસકથા કયારે ક કયારે ક તો સથળકાળનાં બંધનો ફગાવરી દઈ શુધિ સાહહતય તરરીકે જવહરે છે.

૮. નવજીવનમાં સરદારકથા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દિવ્યેશ વ્યાસ . . .૪૨૬

આવરણ ૪ કલ્યાણ રાજ્યમાંથી લોકરાજ્યની દિશામાં [હરિજનબંધુ, ૦૭-૦૧-૧૯૫૬]

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

િાડીલાલ ડગલી

વિદેશ િસિાટનાં સંભારણાં

આવરણ ૧ સરદાર પટેલ

૪. અજોડ સરદાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .પ્યારે લાલ . . ૪૧૪

વિતેન્દ્ર દેસાઈ

પરામર્શક

વિદેશ િસિાટનાં સંભારણાં

તંત્રી

ૅંડ ં માં મુદ્રણકળા શરીખવા માટ ે ઇંગલ િ ઑફ જરિનન્ટગ માં શ ભાઈશ્રી જિતન્ે દ્ર દેસાઈ લંડન કૉલે દે પછરી વરસ એક . આંખ ઉઘાડરી રાખરી હતરી ગયા તે દરજમયાન તેમણે મનનરી ં સંભારણાં’ ા શરૂ કરરી. હવે ‘જવદેશ વસવાટના માળ ખ લે નરી રિવાસ તે ે આવયા તયાર . છે ા માટ ે સારા સમાચાર ગ્ંથરૂપે આવયું છે તે આપણરી ભાષ ાવ પડ્ો? રિદેશનો લેખકના જચત્તમાં શો રિજતભ કે રિવાસકથાનું ખરં મૂલય એ છે એ લેખકનરી ક. નજી વધુ રી તયન સાહહ તેટલરી રિવાસકથા આવો રિજતભાવ િ ેટલો આગવો વ ભળે ટે નરી જોવા ે ા કુ તૂહલ સાથે ઝરીણરી આંખ આંખમાં જશશુસહિ કુ તૂહલ છે. આવ ધિ અને જ બુ કથા રિવાસ નરી એમ રી આથ વહે વા માંડ.ે તયારે કજવતા અને જીવન એકસાથે છે કે રતા નક્ક એવરી રિવાસકથામાં એક રિકારનરી હૃદય બંનેને સંતોષ પમાડે છે. આ લખયું ીં અહ ે માટ ા ભરવ ં પાના ં કશુ આપણને લાગે કે ભરીર ગં વાનો પામ ા નથરી. જવલાયતનરી વાસતજવકત ે આ કારણ ે ન ં બધા આ . છે ાય િણ ીં રિયતન અહ ધનો બં નાં કાળ સથળ રિવાસકથા કયારેક કયારેક તો . છે ે જવહર ે તરરીક તય સાહહ ધિ શુ ફગાવરી દઈ

ISBN 978-81-7229-118-1

9

788172

291181

_ 200

ISBN 978-81-7229-118 -1

9

સુજ્ઞ વાચકોને . . .

788172

291181

_ 200

પા. 224+2 (રં ગીન) | 140 × 215 mm

સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૯૮

િવદેશ વસવાટનાં સંભારણાં ₨ ૨૦૦

પુસ્તકો મેળવવા ઃ ઑન-લાઇન www.navajivantrust.org ઇમેલ  |  ફોન sales@navajivantrust.org · રૂબરૂ

૦૭૯–૨૭૫૪૦૬૩૫, ૨૭૫૪૨૬૩૪

નવ�વન �કાશન મં�દર ગૂજરાત િવ�ાપીઠ પાછળ, આ�મ રોડ, અમદાવાદ–૧૪

‘કમર્ કાફે ’ (મંગળ–રિવ, 12થી 9) • નવજીવનના વેચાણ િવભાગ (સોમ–શિન, 10થી 5)

૪૩૧

વિતેન્દ્ર દેસાઈ


ગાંધી-સરદાર-નેહર‌ુ સરદાર પટેલના જીવન વિશે માઈલસ્ટોન કહે વાય તેવું રાજમોહન ગાંધીલિખિત પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ (પ્રથમ આવૃત્તિ : જુ લાઈ ૧૯૯૪) લખાયું ત્યારે સરદારના જીવનઆધારિત નાનાંમોટાં થઈને ચાળીસ જ ેટલાં જીવનચરિત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખાઈ ચૂક્યાં હતાં. સરદાર વિશે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં સરદાર પટેલને નવીન પરિપ્રેક્ષ્યમાં રાજમોહન ગાંધીએ મૂકી આપ્યા. પણ સમય બદલાય છે તેમ ઇતિહાસની ઘટનાવ્યક્તિને નવી પરિપાટી પર મૂકી આપવાનો અવકાશ હોય છે; એટલે સરદારના નિર્વાણમાસ [૧૫ ડિસેમ્બર, ૧૯૫૦]માં તેમના વિશે અંક અહીં પ્રસ્તુત કરીએ છીએ. સરદાર પટેલના જીવનનાં અજાણ્યાં પાસાં તેમના સમકાલીન સાથી મહાદેવભાઈ દેસાઈ અને પ્યારે લાલે મૂકી આપ્યાં છે. ‘ગાંધીજીના સિપાઈ’ લેખમાં ગાંધીજી-સરદારના સંબંધોને આરં ભથી અંત સુધી મૂલવીને મૂકવામાં આવ્યા છે. અગ્રલેખમાં સરદાર, નેહરુ અને ગાંધીજીના અરસપરસ સંબંધોનું એક તટસ્થ આલેખન મળી રહે તે હે તુથી તેનો સમાવેશ કર્યો છે. સરદાર પટેલની વાત આવે ત્યારે નેહરુ, ગાંધીજીનું નામ અચૂક લેવાય છે. આ ત્રિપુટીનો દેશ પર ઊંડો પ્રભાવ રહ્યો છે અને આજ ે પણ રાજકીય વાતાવરણમાં તેઓનું નામ ગુંજતું રહે છે. આ ત્રણેયના સંબંધમાં અરસપરસ મતભેદ હોવા છતાં એકબીજા પ્રત્યે સન્માન આપવામાં ક્યારે ય ઓટ દેખાઈ નથી. દેશના અત્યંત ઘટનાપ્રચુર અને નાજુ ક સમયમાં પણ તેઓએ સંવાદ કરીને સંતુલિત નિર્ણયો લીધા છે, તેમાં કેન્દ્રવર્તી ઉદ્દેશ પ્રજાહિતનો છે. દેશનાં આરં ભિક વર્ષોમાં મજબૂત નીંવ મૂકનારા આ ત્રણેયના સંબંધો બાબતે કેટલીક ભ્રાંતિ છે. તેનું તટસ્થ આલેખન જૂ જ જોવા મળે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ચર્ચા થાય છે, ત્યારે તેમાં નેહરુના પક્ષે મહદંશે ટીકાઓ આવે છે. પરં તુ આ ત્રણેયનો એકમેક સાથેનો મનમેળ-કાર્યમેળ કેવો હતો, તે દર્શાવવાનો પ્રયાસ અહીં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે અગ્રલેખમાં કર્યો છે.

મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી પ્રકાશ ન. શાહ

ગાંધીનેહરુપટેલ... એક મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી! સ્વરાજસંગ્રામ અને

સ્વરાજનિર્માણની જોડકડી એમણે એકમેકની વિશેષતા, એકમેકની મર્યાદા અને એકમેકના મતભેદ વચ્ચે સુપેરે સાચવી જાણી. બેઉ અર્થમાં કદ અને કાઠીએ જુ દા. વયમાં વળી પિતા, મોટાભાઈ અને નાનાભાઈ સરીખાઃ એક વાણિયો, બીજો બ્રાહ્મણ, ત્રીજો પટેલ. ત્રણે કે’દીના નાતજાતની વંડી ઠેકી ગયેલા, અને નવયુગી નાગરિકતા સારુ મથનારા. આ જોડકડીને સારુ નાજુ કનિર્ણાયક ઘડી ૧૯૪૭માં સ્વરાજની ઉષા વેળાએ સ્વર્ણગૈરિક એટલી જ રક્તિમ પરિસ્થિતિમાં હતી. ઇસ્લામને આધારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એના હિં દુ અડધિયા પેઠ ે રાષ્ટ્રવિચાર શક્ય હતો. વિભાજનની વિભીષિકા અને શોકાન્તિકા વચ્ચે એને સારુ સહજ સ્વીકૃ તિ પણ સંભવતી હતી. પણ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

399


મુંબઈના બિરલા હાઉસમાં ગાંધીજી, જવાહરલાલ નેહર‌ુ અને સરદાર પટેલ

મહાત્મા, પંડિત અને સરદાર ત્રણેએ પોતપોતાની રીતેભાતે બિનસાંપ્રદાયિક બંધારણનો પથ પ્રશસ્ત કર્યો. એક ધર્મપુરુષ, બીજા બૌદ્ધિક તો ત્રીજા હાડના કિસાન. જૂ નાગઢની નવાબી કાળધર્મ પામી અને સોમનાથના પુનર્નિર્માણની સહજ લાગણી સામે આવી તે હાડના કિસાને સંકલ્પ રૂપે જાહે ર કરી, બૌદ્ધિકે એના પ્રશ્નો અને ઉપયોગિતા બેઉ છેડથે ી વલણ પ્રગટ કીધું, કૅ બિનેટ એ તરફ આગળ વધી પણ મહાત્માએ કહ્યું કે બિનસાંપ્રદાયિક મુલક કોઈ એક ધર્મસ્થાનની સીધી જવાબદારી લે એ ચીલો દુરસ્ત નથી. કૅ બિનેટમાં આપણા કિસાને (સરદારે ) આગ્રહ રાખ્યો કે બાપુની સલાહ જોતાં આપણે પબ્લિક ટ્રસ્ટનો રાહ લેવો જોઈએ. ત્રણે એમના મતભેદ સાથે એક બિનસાંપ્રદાયિક એકંદરમતી પર આવી ઠર્યા. પટેલ અને નહે રુ બેઉ ગાંધીને બાપુ કહે તા. પણ પટેલ અને ગાંધી વચ્ચે વયનું અંતર આખાં છસાત વરસનું હતું. ગાંધી અને જવાહર વચ્ચે ખાસાં વીસ 400

વરસનું અંતર હતું. મૌલાના આઝાદે પાછળના ગાળામાં નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા વલ્લભભાઈને પૂછ્યું પણ હતું કે વડાપ્રધાનપદ માટે તમે કેમ આગ્રહ ન સેવ્યો. પટેલે મૌલાનાને કહ્યું હતું કે આપણે અહમદનગર જ ેલમાંથી છૂટ્યા — તમે, જવાહર ને હં ુ — ત્યારથી હં ુ તો શરીરે કોરાઈ ગયેલો છુ ં અને ગમે ત્યારે ઢબી પડીશું. મારાથી ૧૪ વરસ નાના જવાહર પાસે એ સ્વાસ્થ્ય અને એ વર્ષો છે જ ે મારી પાસે નથી. વલ્લભભાઈ ખરે જ વહે લા ગયા, ૧૯૫૦ના ડિસેમ્બરમાં. રિયાસતોના વિલીનીકરણપૂર્વક પ્રજાસત્તાક બંધારણ સમ્પન્ન કરીને. તે પૂર્વે ઇંદોરમાં એમણે કસ્તૂરબા ટ્રસ્ટના કાર્યક્રમમાં લગભગ છેલ્લાં ભાષણો પૈકી કહી શકાય એવું જ ે ભાષણ કર્યું એમાં કહ્યું કે બાપુ મને જ્યાં મૂકીને ગયા ત્યાં છુ ં અને જવાબદારી નિભાવું છુ .ં જવાહરલાલ આપણા નેતા છે એવું પણ એ પક્ષનાં વર્તુળોમાં અંદરબહાર તહે દિલ કહે તા. બાપુ સોંપી ગયા તે માત્ર બીજા ક્રમનો હોદ્દો [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નહોતો — પિતાએ મોટા ભાઈને નાના ભાઈની જ ે જવાબદારી ભળાવી હતી એ પણ હતી. પિતાની તરફનું ખેંચાણ અને નાના ભાઈ માટેનો વાસ્તવવત્સલ દાયિત્વબોધ! તમે જુ ઓ તો ખરા જાન્યુઆરી ૧૯૪૮ પછી પોતે એક વાર ગંભીર તબિયતે લગભગ ડેલીએ હાથ દઈ આવ્યા છે. પાછા ફરવાનું થયું ત્યારે દાક્તરજોગ પહે લો જ ઉદ્ગાર છે : હં ુ બાપુ પાસે જતો’તો, ને તમે મને કેમ રોક્યો. બાપુ પાસે જવું છે, પણ નાના ભાઈની ફિકર ઓછી તો નથી. ભાગલા પછી ચાલુ હિજરતદોર જોતાં નહે રુલિયાકત વાતચીત વાટે હલ જરૂરી હતો. લિયાકત, વલ્લભભાઈને મળવા આવ્યા એ વિશે મણિબહે નની ડાયરી બોલે છે  : બાપુએ (પિતા વલ્લભભાઈએ) લિયાકતને કહ્યું કે જવાહર તખતે છે ત્યારે સમાધાન કરી લો ને. (મારી પાસે તો વર્ષો નથી પણ જવાહર પછી જ ે આવશે તે આટલો શાંતિપ્રિય અને સમજશીલ ન પણ હોય.) આગળ ચાલતાં મણિબહે ન ઉમેરે છે : વાત કરતાં કરતાં બાપુ (વલ્લભભાઈ)ની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં — મને થાય છે કે બાપુ (ગાંધીજી)નું થયું એવું તો જવાહરનું નહીં થાય ને — રાતે એની ચિંતામાં ઊંઘ ઊડી જાય છે. અને હવે જુ ઓ. સમજૂ તી થઈ. બંગાળમાં એ બાબતે અજંપો અને ઉદ્રેક, બલકે રોષની લાગણી પણ છે. મોટો ભાઈ નાનાને કહે છે : તારું કામ નહીં. મારી જ ે છાપ છે એને જોરે બંગાળને હં ુ સમજાવી શકીશ. અને પોતે બાદલી તબિયતે કોલકાતા પહોંચી સમજૂ તીની તરફે ણમાં વાતાવરણ બનાવે છે. હાસ્તો, ત્રીસમી જાન્યુઆરીની સાંજ ે શાસન અને જાહે ર જીવનમાંથી બાપુને મળેલ સૌથી છેલ્લા જણ પોતે હતા અને તારે જવાહર સાથે રહે વાનું છે એ બાપુના બોલે વીંધાયા એટલા જ પ્રોવાયા પણ હતા. નાનો ભાઈ વાયકા પ્રમાણે જરી બેકદર જણાતો હશે, પણ એની સમજ પાછી સહૃદય ને સાબૂત છે. સંસદના પરિસરમાં સરદાર વિશે કશુંક લખવાનું છે ને સૌ મૂંઝાય છે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સોજ્જું શબ્દઝૂમખું સુઝાડે છે — લખો કે ‘એકતાના સ્થપતિ’.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

ગમે તેમ પણ, સ્વરાજ સરકારના પ્રખર ટીકાકાર રહે લા લડાકુ સમાજવાદી મધુ લિમયે એક મુદ્દે ગાંધી પર વારી ગયેલ છે. અને તે એ કે આ માણસે જાહે ર જીવનમાં પોતાની પછીની પેઢીની ખેવના અને બઢતીને અચ્છી અગ્રતા આપી જાણી. વારુ, કોણ છે આ નેહરુ? પૂછો ક્રાંતિવીર ભગતસિંહને. એમણે લખ્યું છે કે અમારી સામે (નવી, યુવા પેઢી સામે) વારે વારે આવતાં ને ઊભરતાં બે નામ જવાહર અને સુભાષનાં છે. ધારો કે એ બેમાંથી કોઈ ચોક્કસ પસંદગી કરવી હોય તો — રહો, તમે તરત સુભાષબાબુનું નામ લો એ પહે લાં ભગતસિંહને સાંભળો : સુભાષ નહીં પણ જવાહર; કેમ કે સુભાષ જ ેટલા ભાવાવેશી છે એટલું વિચારનારા નથી. જવાહર ભાવનાપ્રવણ જરૂર છે, પણ આર્થિક-સામાજિક વિચારણમાં અત્યંત સભાન ને સજ્જ છે. તો, ‘વંદે માતરમ્’ના ભાવનાપ્રવણ નારાથી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના (આર્થિક-સામાજિક ન્યાય અને સમતાલક્ષી ક્રાંતિ)ના નારા લગી ભગતસિંહ સાથે જ ે સંક્રાન્તિ થઈ એને બૂજનારા અને સમજનારા પૈકી કૉંગ્રેસ તરુણાઈમાં જવાહર છે. જરા જુ દી રીતે જોઈએ તો સ્વરાજ સાથે નેહરુપટેલ સરકારમાં પેઠા અને બેઠા છે. ગાંધી સરકારની બહાર છે, કેમ કે તે ગાંધી છે. ગાંધી લોકમોઝાર છે માટે સ્તો આઝાદીના જશન વેળાએ સુદૂર બંગાળમાં છે. ભાગલા સ્વીકારવાની અનિવાર્યતા વચગાળાની સરકાર દરમ્યાન સ્વાનુભવે સમજાતાં નેહરુપટેલ એક અર્થમાં ગાંધીને બાદ રાખીને આગળ ચાલ્યા છે. પણ બંનેનો પિંડ ગાંધીસંપર્કે બંધાયેલો હોઈ તે નકરા રાજવટીલા નથી પણ લોકમાંહેલા પણ છે. આ લોકમાંહેલા હોવું તે શી વસ છે, સમજીએ જરી. ગાંધીએ દાંડીકૂ ચ વાટે નમકનાં જ ે ડંકાનિશાન વજડાવ્યાં — નાતજાતકોમવરણથી ઉફરાટે — લોકસમસ્તની જીવન જરૂરતનાં, એમાં દેશભક્તિના ગર્જનતર્જનની કે ભારતમાતા જ ેવાં કોઈ અમૂર્ત ખયાલાતવશ અંધાધૂંધ વર્તનને અવકાશ નહોતો. એમાં નરવાનક્કુર માનવ્યની વાત જરૂર હતી. છેક ૧૯૨૨માં ગુજરાતની પહે લી અંત્યજ પરિષદ મળી 401


ત્યારે અતિથિવિશેષ વલ્લભભાઈએ પરિષદસ્થળે શું જોયું? જ ેમને સારુ, બલકે જ ેમની પરિષદ હતી તે વરણ આખી છેવાડે બેઠલ ે ી હતી. વલ્લભભાઈ જ ેનું નામ, એમણે કથિત મંચ છોડી એમની વચ્ચે પોતાની બેઠક લીધી — અને એ સાથે પરિષદનું કેન્દ્ર ગુણાત્મક રીતે બદલાઈ ગયું. લોકશાહી રાજવટમાં સરદાર એ કોઈ મોરચા પરની અગર તો સરકારી પાયરી પરની ઓળખ હોય તો હોય, ન હોય તો ન હોય; પણ તમે ક્યાં છો, કોની સાથે છો એ તમારી વાસ્તવિક સરદારીનું દ્યોતક છે. ગાંધીસૂચવ્યા નેહરુપટેલ સ્વરાજનિર્માણની દૃષ્ટિએ આંબેડકરને બરકે છે. માઈસાહે બે (ડૉ. શારદા કબીર ઉર્ફે સવિતા આંબેડકરે ) સંસ્મરણોમાં લખ્યું છે કે અમારાં લગ્ન પછી અમને કોઈ કૅ બિનેટ પ્રધાને સર્વપ્રથમ જમવા બોલાવ્યા હોય તો તે સરદારે !) બારડોલીની લડતને તો હજુ વાર છે, પણ કોઈએ સરદારચરિત્ર લખવું હોય તો તે અંગે ખરે ખરની કટ ઑફ લાઇન તમને વલ્લભભાઈના અંત્યજપ્રસંગમાંથી મળી રહે છે. સરદાર હોવું તે માત્ર રાજવટનો ને રાજદ્વારોનો મામલો નથી. લોકશાહીમાં સરદારીનાં મૂળિયાં લોકમોઝાર હોવાં જોઈએ. જવાહર પણ તમે જુ ઓ. ૧૯૩૫ના બંધારણ પ્રમાણે પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઝુંબેશ વેળા કોઈ ગામમાં રાતવરત પહોંચ્યા છે. લોક રાહ જોતું બેઠુ ં છે; અને જ ેવા એ પૂગ્યા, ‘ભારતમાતા કી જય’ સાથે પડ જાગતું અને ગાજતું થઈ ગયેલ છે. જવાહર પૂછ ે છે, ભાઈ — આ ભારતમાતા શું છે. કોઈ નદીનાળાંનું, હિમાલય ને ગંગાનું નામ લે છે. કોઈ વળી ભૂગોળ આખી ચીતરવા જ ેવું કરે છે. ‘ભાઈ,’ જવાહર કહે છે, ‘જય તો લોકોની હોય. તમારા ચહે રા પરની મુસ્કાન તે ભારતમાતાનું સ્મિત; ને તમારી આંખમાં આંસુ તે ભારતમાતાનાં આંસુ.’ રાષ્ટ્ર નામની કોઈ અમૂર્ત ને નકરી ભાવાવેશી ખયાલાતથી હટીને મૂર્ત માનવ્યનો આ મહિમા ગાંધીને સેવનારા પંડિત અને કિસાન બેઉને, બૌદ્ધિક અને

કર્મઠ બેઉને બરાબર છે અને એ એમની દેશભક્તિને ઝનૂની ચોકઠાની બહાર લોકકેન્દ્રી બનાવી રહે છે. સ્વરાજસંગ્રામ વેળા, એકદા, જવાહર લંડનમાં સભા સંબોધવાના છે ત્યારે એમની ઓળખ ‘હિં દનો અવાજ’ એમ અપાઈ છે. જવાહર બોલવા ઊભા થાય છે ને કહે છે, અવાજ હં ુ હોઈશ, પણ હૃદય તો વર્ધા(સેવાગ્રામ)માં છે. જવાહરલાલના આ હૃદયબોલ એમને અને વલ્લભભાઈને મતભેદ છતાં લગભગ એક જ તરં ગલંબાઈએ મૂકી આપે છે. એમના મતભેદો પત્રવ્યવહારમાંયે સચવાયા છે. એક પત્રમાં વલ્લભભાઈ લખે છે, ‘તમે આવું કેમ કહ્યું (કે કર્યું), બાપુને એથી કેટલું દુઃખ હશે તે તમે જાણતા નથી. જોયું તમે, મોટો ભાઈને નાના ભાઈ બંધુવત્સલ ઠપકો આપે છે કે બાપુને કેવું દુઃખ તારાથી પહોંચ્યું હશે એનો વિચાર તો કર. તમે જોયેલો છેલ્લામાં છેલ્લો દીનહીન માણસ, એને કેન્દ્રમાં રાખીને કરવો જોઈતો જ ે તે નિર્ણય, આ ગાંધીનો મેનિફે સ્ટો. જવાહરલાલના સમાજવાદમાં સામ્યવાદ નહીં પણ લોકશાહી સમાજવાદમાં — ચાલના તો આ જ વિચારની. અને વલ્લભભાઈ ઉદ્યોગપતિઓના મિત્ર ખરા. પણ કેવા મિત્ર? અમદાવાદનું નગરસંચાલન સંભાળ્યું ત્યારે પાણીવેરા લેખે એમની પાસેથી વધુ રકમ વસૂલ કરી; કેમ કે ઘરવપરાશનું પાણી એક વાત છે અને ઔદ્યોગિક વપરાશનું પાણી બીજી વાત છે. ગાંધીનેહરુપટેલની ચર્ચામાં આપણે ત્યાં, એમને સામસામે મૂકીને વિવાદ અને મુલવણીનો ચાલ છે. પણ, વિશ્લેષણની દૃષ્ટિએ એ ઠીક હોય તોપણ, સમજની રીતે એ ત્રણે ક્યાં ને કેવા એકત્ર મળે છે એ જોવું ઘટે છે. અને ત્યારે સમજાઈ રહે છે કે સ્વરાજનિર્માણના આરં ભકાળે મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટી થકી કેવી નસીબવંતી પ્રજા આપણે છીએ. o

402

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


દેશના સરદાર, ગાંધીજીના સિપાઈ ઉર્વીશ કોઠારી ‘સરદાર વલ્લભભાઈનો જય હો… એ ન હોત તો મારાથી જ ે કામ થઈ શક્યું તે ન થયું હોત, એટલો શુભ અનુભવ મને તેનાથી થયો છે’ એટલાં અવતરણ કરતાં ઘણો વઘારે વ્યાપ ધરાવતા ગાંધીજી અને સરદારના સંબંધોનાં વિભિન્ન પાસાં.

ગાંધીટોપી કૉંગ્રેસનો બિનસત્તાવાર ગણવેશ હતી,

પણ ગાંધીટોપી પહે રેલા સરદારનો ફોટો જોયો કદી? સરદાર ગાંધીજીના સંપર્કમાં છેક ૧૯૧૬થી આવ્યા, છતાં એ કદી સાબરમતી આશ્રમમાં રહ્યા ન હતા. સ્વાતંત્ર્યસેનાની અને આખાબોલા ડૉક્ટર સુમંત મહે તાએ એટલી હદ સુધી લખ્યું છે કે “ગાંધીજી સાથે રહે નારામાંથી કોઈનું વ્યક્તિત્વ ખીલ્યું હોય એવું મારા જાણવામાં નથી. ઘણા તો કેવળ ‘પૅસિવ એજંટ’ થઈ ગયા છે… વલ્લભભાઈ પટેલમાં ‘સેન્સિટિવનેસ’ ઓછી હોવાથી એ પોતાનું સ્વત્વ સાચવી શક્યા.” ખરે ખર કેવો હતો ગાંધીજી-સરદાર વચ્ચેનો સંબંધ? ફક્ત ગુરુ-શિષ્યનો? સેનાપતિ-સિપાઈનો? શિક્ષક-વિદ્યાર્થીનો? ભગવાન-ભક્તનો? એક પણ લેબલ તેમના સંબંધને બરાબર બંધ બેસે એવું નથી. ગાંધીજી ગુરુ હતા, પણ સરદાર ગાડરિયા મનોવૃત્તિ ધરાવતા નિર્માલ્ય ભક્ત ન હતા. ગાંધીજીને સેનાપતિ તરીકે સ્વીકારવામાં ‘સિપાઈ’ વલ્લભભાઈનાં કોઈ અંગત સ્વાર્થ કે અપેક્ષા-આકાંક્ષા ન હતાં. ખુદ વલ્લભભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ કહ્યું હતું : “વિલાયતથી પાછા આવ્યા પછી (હં ુ) વકીલાતમાં ને પૈસા કમાવામાં ગૂંથાયો. દેશના રાજકારણનું નિરીક્ષણ કરતો હતો, પણ ધ્યેય સુધી પહોંચે એવો કોઈ નેતા જોવામાં આવતો નહોતો. જ ે હતા તે બધા ખાલી બકવાદ કરનારા હતા, એટલે હં ુ રોજ સાંજ ે વકીલોની ક્લબમાં જતો ને પાનાં ટીચતો. સિગારે ટનો ધુમાડો કાઢવો એ જ મારી તે વખતની મોજ. દરમિયાન કોઈ વક્તા આવી પહોંચતો તો તેની ઠેકડી ઉડાડવામાં પણ મજા આવતી.” “એક દિવસ અમારી ક્લબમાં ગાંધીજી આવ્યા.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

એમને વિશે કંઈક વાંચ્યું હતું ખરું. એમનું ભાષણ મેં કંઈક ગમ્મતથી સાંભળ્યું. તે વાત કરતા હતા ને હં ુ સિગારે ટના ધુમાડા કાઢતો હતો. પણ અંતે જોયું કે આ માણસ વાતો કરીને બેસી રહે એવો નથી, કામ કરવા માગે છે. પછી વિચાર થયો કે જોઈએ તો ખરા, માણસ કેવો છે. એટલે હં ુ તેમના સંપર્કમાં આવ્યો. તેમના સિદ્ધાંતોનો વિચાર મેં નહોતો કર્યો. હિં સા-અહિં સા સાથે મારે કંઈ લેવાદેવા નહોતી. માણસ સાચો છે, પોતાનું જીવનસર્વસ્વ અર્પણ કરીને બેઠો છે, દેશની આઝાદીની એને લગની લાગી છે અને પોતાનું કામ જાણે છે, આટલું મારે માટે પૂરતું હતું.” ગાંધીજી વલ્લભભાઈ કરતાં છ વર્ષ મોટા હતા. તેમ છતાં, પત્રોમાં તે સરદારને ‘ચિ. વલ્લભભાઈ’ને બદલે ‘ભાઈ વલ્લભભાઈ’ તરીકે સંબોધતા હતા, એ નવાઈ લાગે એવું છે. પત્રોમાં ‘મોહનદાસના વંદે માતરમ્’ની જગ્યાએ ‘બાપુના આશીર્વાદ’ ૧૯૨૪થી આવી ગયા હતા, પણ ‘ચિ. વલ્લભભાઈ’ છેક ૧૯૪૬માં આવ્યું. એ પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું : “ચિ. થી શરૂ કર્યું છે એટલે ભૂંસીને ભાઈ નથી કરતો. જ ે છો તે છો.” ત્યાર પછી ગાંધીજીએ લખેલા તમામ પત્રોમાં ‘ચિ. વલ્લભભાઈ’ જ વાંચવા મળે છે. વલ્લભભાઈ પર આદરભાવે મુકાતો એક આરોપ એવો છે કે એ ગાંધીજીના અંધ અનુયાયી હતા. બીજા તો ઠીક, સરદાર માટે પૂજ્યભાવ ધરાવનાર તેમના અંગત સચિવ વી. શંકરે સરદાર માટે ‘ગાંધીજીના યસમેન’ જ ેવો શબ્દપ્રયોગ વાપર્યો છે. (‘યસમેન’ શબ્દ હાજીયો પૂરનાર હજૂ રિયા માટે વપરાય છે.) શક્ય છે કે ત્યારે એ શબ્દ સરદાર માટે છૂટથી વપરાતો હોય, પણ ગાંધીજીએ પોતાના જીવનના 403


૧૯૪૪ના અરસામાં એક રેલવેસ્ટેશન પર ગાંધીજી સાથે સરદાર પટેલ

અંતિમ તબક્કામાં એ વિશે ચોખવટ કરતાં કહ્યું હતું, “સરદાર હવે મારા ‘હાજી હા’ કરનારા (યસમેન) રહ્યા નથી. તે એટલા સમર્થ છે કે કોઈનાય ‘હાજી હા’ કરનારા તે બની શકે નહીં. હં ુ જ ે કંઈ કહે તો એ તેમને સહે જ ે અપીલ કરતું હતું એટલે તે પોતાની જાતને મારા ‘હાજી હા’ કરનાર તરીકે ઓળખાવા દેતા હતા.” આ જ વાત ગાંધીજીના વેવાઈ અને ટોચના કૉંગ્રેસી આગેવાન સી. રાજગોપાલાચારીએ જરા જુ દી રીતે કહી હતી, “બાપુજીના બીજા ‘અંધ અનુયાયી’ હશે, પણ સરદાર તો અંધ નહોતા જ. તેઓ હં મેશાં બાપુજીની દૃષ્ટિએ જોવાનો પ્રયત્ન કરતા ખરા, પણ તેમની પોતાની દૃષ્ટિ નહોતી એવું નથી. છતાં બાપુજીની જ નજરે જોવાની ખાતર તેઓ જાણીજોઈને પોતાની આંખે પાટા બાંધતા.” સરદારે ૧૯૨૯માં કહ્યું હતું, “મને ઘણા ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે. હં ુ ઇચ્છું છુ ં કે સાચે જ મારામાં અંધ ભક્ત થવાની શક્તિ હોય. પણ તે નથી. હં ુ તો સામાન્ય બુદ્ધિનો દાવો કરનારો 404

છુ .ં મારામાં સમજશક્તિ પડેલી છે; મેં જગત પણ ઠીક ઠીક જોયું છે, એટલે સમજ્યા વિના, એક હાથની પોતડી પહે રીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો હં ુ નથી. મારી પાસે ઘણાને ઠગીને ધનવાન થાઉં એવો (વકીલાતનો) ધંધો હતો, પણ તે છોડ્યો, કારણ હં ુ એ માણસ (ગાંધીજી) પાસે શીખ્યો કે ખેડૂતનું કલ્યાણ એ ધંધો કરીને ન થાય. એને માર્ગે જ થાય. એઓ હિં દુસ્તાનમાં આવેલા ત્યારથી જ હં ુ એમની સાથે છુ ં અને આ ભવમાં તો એમની સાથેનો સંબંધ છૂટે એમ નથી.” સરદારે જ ેમની સાથે ભવનો સંબંધ બાંધ્યો હતો, એ ગાંધીજી શિસ્ત અને સિપાઈના ગુણો પર ઘણો ભાર મૂકતા હતા. બોરસદ સત્યાગ્રહ વખતે ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈ વલ્લભભાઈની મદદમાં હતા. એ બંને ગાંધીજીને મળવા આવ્યા, એટલે ગાંધીજીએ “આવો, બોરસદના રાજા” કહીને વલ્લભભાઈને આવકાર આપ્યો અને મહાદેવભાઈને કહ્યું, “તમારા [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વિશે મેં સાંભળ્યું. તમે તો પેલા યુધિષ્ઠિરના કૂ તરાની જ ેમ, વલ્લભભાઈ કહે તેમ કરી રહ્યા છો. તે દિવસના તારા બતાવે તો તારા કહો છો અને રાતના સૂરજ બતાવે તો સૂરજ કહો છો. મને એ બહુ ગમ્યું. એ જ રીતે કામ થાય.” (લેખના આરં ભે મૂકેલું ડૉ. સુમંત મહે તાનું વિધાન યાદ છે?) ‘એ જ રીતે કામ થાય’ તે સમજતા વલ્લભભાઈએ પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં કહ્યું હતું, “આપણામાં તાલીમ અને વ્યવસ્થાની ખામી છે, સિપાઈગીરીની ખામી છે, આપણને હુકમ ઉઠાવવાની ટેવ નથી પડી. આ વ્યક્તિસ્વાતંત્ર્યના જમાનામાં આપણે સ્વચ્છંદને સ્વતંત્ર માનીને બેઠા છીએ. હિં દુસ્તાનનું દુઃખ… આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે. સિપાઈગીરીના અભાવનું છે.” સરદારનું નિદાન ચોટદાર હતું, પણ સિપાઈ બન્યા પછી સરદારપણાનો મિજાજ ટકાવી રાખવાનું બધા માટે શક્ય હોતું નથી. સરદાર એ બંને ભૂમિકાઓને ન્યાય આપી શકતા હતા, એ તેમની વિશિષ્ટતા હતી. સરદારની શક્તિઓ અને સ્વતંત્ર વ્યક્તિત્વ વિશે ગાંધીજી બિલકુ લ ભ્રમમાં ન હતા. તેમણે અંગ્રેજ પત્રકાર પેટ્રિક લેસીને ૧૯૩૧માં કહ્યું હતું, “વલ્લભભાઈ પટેલ તો સૈનિક છે. એ પોતાની જાતને ભૂંસી નાખવામાં માને છે… એમ નથી કે એમને પોતાના વિચારો નથી; પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં જ્યારે સંપૂર્ણપણે સંમતિ છે ત્યારે વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો કંઈ અર્થ નથી… સિદ્ધાંતોની બાબતમાં કોઈ દિવસ અથડામણ ઊભી થઈ નથી. જો એવું હોત તો અમે છૂટા પડ્યા હોત.” સરદાર વિશે ગાંધીજીના એ જ ધ્વનિનો વિચારવિસ્તાર કાકાસાહે બ કાલેલકરે આ રીતે કર્યો : “ગુરુએ આપેલો મંત્ર આખો જન્મારો ઘૂંટ્યા જ કરે એવો એ શિષ્ય નથી. એક વાર સાંભળી લીધું, જાણી લીધું, ગળે ઉતારી લીધું એટલે બસ, ફરી ફરી પૂછવાનું શું હોય? અને ફરી ફરી વિચારવાનું પણ શું હોય? શ્રીરામચંદ્રનું એકપત્નીવ્રત હતું. એક બાણનું વ્રત હતું… વલ્લભભાઈએ જાણે એક વિચારનું વ્રત

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

લીધું છે.” જવાહરલાલ નેહરુએ ૧૯૩૫-૩૬માં લખેલી આત્મકથામાં જણાવ્યું હતું, “પોતાના કામમાં આગ્રહી અને સખત છતાં ગાંધીજી અને તેમના આદર્શોકાર્યપદ્ધતિઓ પ્રત્યે અત્યંત આદરભક્તિ ધરાવનાર વલ્લભભાઈની જોડનો ગાંધીજીનો બીજો વફાદાર સાથી હિં દભરમાં નહીં હોય. મેં પોતે આ આદર્શોને એ જ રીતે સ્વીકાર્યા હતા, એવો દાવો મારાથી પણ થાય એમ નથી.” સરદારના યુવાન સાથીદાર અને આગળ જતાં દેશના વડાપ્રધાન બનેલા મોરારજી દેસાઈએ પણ નોંધ્યું છે, “મગજને તાળું મારીને ચાવી ગાંધીજીને આપી દીધી છે, એવું સરદાર કોઈક વખત કહે તા હતા.” અલબત્ત, મોરારજી એ નોંધવાનું પણ ચૂક્યા નથી કે “સરદાર ગાંધીજીને દરે ક બાબતમાં નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય આપતા હતા. પરં તુ એમના (ગાંધીજીના) નિર્ણયને એ તરત જ સ્વીકારી લેતા હતા અને એ પોતાનો નિર્ણય હોય એ જ પ્રમાણે કામ કરતા હતા.” કારણ? મૂળભૂત બાબતોમાં જ્યારે સંપૂર્ણપણે સંમતિ હોય, ત્યારે વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો શો અર્થ? સરદારની ગાંધીભક્તિનું એક સંભવિત કારણ કાકાસાહે બ કાલેલકરના મતે કૌટુબિ ં ક પરં પરા હતું. “કુ ળપરં પરાથી તે સ્વામીનારાયણ સંપ્રદાયના હતા. એ સંપ્રદાયમાં જ ે એક જાતની ખાસ વ્યક્તિનિષ્ઠા મળે છે, તે એમનામાં ખાસ હતી. એ નિષ્ઠા એમના કૌટુબિ ં ક જીવનમાં અને ખાસ કરીને તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તરફ તેઓ જ ે આદર રાખતા, તેમાં વ્યક્ત થઈ છે. એવી જ અનન્ય નિષ્ઠા એમણે ગાંધીજી પ્રત્યે પણ દર્શાવી.” (વલ્લભભાઈ સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા ન હતા અને તેમાં ચાલતી ગાદીની ખેંચતાણના ટીકાકાર હતા, એટલી સ્પષ્ટતા.) ધર્મધુરંધરોથી જરાય નહીં અંજાનારા વલ્લભભાઈ ગાંધીજી પ્રત્યે અપાર આદર ધરાવતા હતા. બારડોલીમાં મળેલી ‘સરદારી’ પછી પણ તેમના મનમાં હવા ભરાઈ ન હતી. ગાંધીજી બારડોલીના મહે માન બન્યા ત્યારે , એક રાત્રે સરદાર અને રવિશંકર 405


મહારાજ વચ્ચે થયેલા સંવાદ : સરદાર : ‘અલ્યા મહારાજ! મોડી રાત સુધી ક્યાં ગયેલો?’ મહારાજ : “હં ુ તો (ગાંધીજીની સૂચનાથી) લગ્ન કરાવવા ગયેલો, પણ તમારે મોડી રાત્રે શું ધાડ પડી હતી?’ સરદાર : “બાપુએ નવો પ્રોગ્રામ ઘડ્યો છે. તેમણે મને તે કહી સંભળાવ્યો. મેં એક કલાક સુધી મારા ઓરડામાં આંટા મારતાં મારતાં તેને પચાવવા મહે નત કરી. છતાં બરાબર બેઠુ ં નહીં. તેથી ફરી પાછા બાપુને ઉઠાડીને તેમની પાસે સમજવા ગયો હતો. બાપુએ પાંથી પાડીને સમજાવ્યો. હવે ગેડ બેઠી. પણ મહારાજ, બાપુની શી વાત કરું? આપણે તો જીવતાં જ આ શરીરની ખાલ ઉતારીને એનાં કપડાં સિવડાવીએ તોયે બાપુનો બદલો વાળી શકાય તેમ નથી.’ ગાંધીજી વિશેની એ લાગણી ફક્ત કહે વા પૂરતી ન હતી. તેમની ઇચ્છાથી સરદાર એકથી વધુ વાર કૉંગ્રેસના પ્રમુખપદની હરીફાઈમાંથી ખસી ગયા હતા. તેમ છતાં, કર્તવ્યપાલનની વાત આવે ત્યારે એ ગાંધીજી ભણી મીટ માંડીને બેસી રહે એવા નબળા પણ ન હતા. તેમણે કહ્યું હતું, “આપણે આપણી શક્તિ ખોઈ બેઠલ ે ા છીએ, હં મેશાં એમના તરફ જોઈને બેસીએ તો એ શક્તિ આવવાની નથી. હં મેશાં જ દરે ક સ્થાને એમની આશા રાખીએ તો આપણું કામ કેમ ચાલે? મૈસુરમાં એઓ (ગાંધીજી) માંદા હતા, ત્યારે અનેક જણે એમને તાર કરે લા કે (ગુજરાતના) પ્રલયનિવારણ માટે આવો. એમણે મને તાર કર્યો કે ‘આવું?’ મેં એમને લખેલું કે દસ વર્ષ થયાં તમે ગુજરાતને જ ે મંત્ર આપ્યો છે, તે પચ્યો છે કે નહીં, તે જોવું હોય તો આવશો નહીં. બારડોલીમાં પણ મારા જ ેલમાં પુરાયા પછી જ એમને આવવાનું મેં કહે લું.” ગાંધીજી સાથે રમૂજ કરવાની બાબતમાં પણ સરદાર જ ેટલી છૂટ ભાગ્યે જ બીજા કોઈ નેતાએ લીધી હશે. ‘સરદાર’ તરીકે પ્રતિષ્ઠા મેળવ્યા પછી પણ સૈદ્ધાંતિક બાબતોમાં ગાંધીજી પાસેથી માર્ગદર્શન મેળવવાનો ક્રમ તેમણે ચાલુ રાખ્યો હતો. સામે પક્ષે, 406

ગાંધીજી પણ ‘પાંથી પાડીને’ વાત સમજાવ્યા પછી, છેવટનો નિર્ણય સરદારની વિવેકબુદ્ધિ પર છોડતા હતા. બારડોલી સત્યાગ્રહ દ્વારા ‘ખેડૂતોના આગેવાન’ તરીકે પ્રસ્થાપિત સરદારને ૧૯૩૫માં અલાહાબાદની એક કિસાનસભામાં પ્રવચન આપવાનું હતું. પ્રવચનની નકલ તેમણે ગાંધીજીને મોકલી આપી. વળતી ટપાલે તેમને ગાંધીજીનો જવાબ મળ્યો, “તમારું ભાષણ વાંચી ગયો. એ ન ચાલે. અત્યારે સરકારની નીતિની ચર્ચા તમે જ ે સૂરમાં કરી છે, તે સૂરમાં ન થાય. આ યુગ સરકારનીતિ કે જમીનદારનીતિનું નિરીક્ષણ કરવાનો નથી, પણ આત્મનિરીક્ષણ કરવાનો છે. આપણું ઘર સાફ કરવાનો ને રાખવાનો છે. એટલે હમણાં તમે મારે મોઢેથી આપણે શું કરવું ઘટે છે એ સિવાયની આશા ઓછી રાખજો. આવી પ્રસ્તાવના કરીને કિસાનોનું કર્તવ્ય બતાવવું ને સરકારનું નામ સુધ્ધાં ન લેવું, એ મને તો સૂઝે… પણ જો આ વાત તમને ન ઊગે તો પછી હૃદયના સ્વામી જ ે સુઝાડે તે બોલજો.” અન્ય એક પત્રમાં ગાંધીજીએ એવી પણ સલાહ-કમ-સૂચના આપી હતી કે, “યુ.પી. જશો એ સારું જ છે. તમે જ ે કહે શો તે કોઈને ખટકશે નહીં. તમારા સાચા નાયક જવાહર છે. અમે તો તેના ટ્રસ્ટી તરીકે જ તમારી પાસે ઊભીએ. એ તાણો બનાવીને જ ે વાણો ભરવો હોય તે ભરજો.” ૧૯૪૨ની ‘હિં દ છોડો’ ચળવળ વખતે કૉંગ્રેસ અહિં સાની નીતિ તજ ે એવી શક્યતા ઊભી થઈ હતી. એ વખતે વલ્લભભાઈને તેમનો ધર્મ સમજાવતાં ગાંધીજીએ લખ્યું હતું, “તમારી તબિયત અલાહાબાદ (કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં) જવાય એવી ન હોય તો ન જતા, પણ તમારા વિચાર તમારે જણાવી દેવા જોઈએ. જો કૉંગ્રેસ હિં સાનીતિ અખત્યાર કરે તો તમારે નીકળી જવું જોઈએ એમ મને લાગે છે. આ સમય એવો નથી કે કોઈ પોતાના વિચાર દબાવી બેઠા રહે . ઘણી બાબતમાં કામ ઊંધું ચાલી રહ્યું છે. એ જોયા કરવું બરોબર લાગતું નથી. ભલે લોકો નિંદો કે વંદો.” સાથીદારોને ફક્ત ‘કામના માણસ’ તરીકે ન [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જોતાં, તેમની સાથે હૃદયના સંબંધ બાંધવાની ખાસિયત ગાંધીજીની જ ેમ સરદારમાં પણ હતી. યરવડા જ ેલમાં તેમને ગાંધીજી સાથે રહે વાનું થયું, ત્યારે તેમણે ગાંધીજીને માતાના વાત્સલ્યનો અનુભવ કરાવ્યો હતો. ૧૯૩૩ના અંતમાં હરિજનયાત્રા પર નીકળેલા ગાંધીજીએ તેમની ચિંતા કરતા સરદારને, સવારના સવા ત્રણ વાગે ઇટારસીની ધર્મશાળામાંથી જવાબ લખ્યો હતો : “…હં ુ તો જાણું જ છુ ં કે તમારો આત્મા મારી પૂંઠ ે ફર્યા જ કરે છે, એ કંઈ મારું રક્ષણ નહીં કરતો હોય? તમારામાં માનો પ્રેમ ભર્યો છે એનું દર્શન ક્યાં પ્રતિક્ષણ યરોડા (યરવડા)માં નથી કર્યું? એ ગુણ તમારા કાગળોમાં જ્યાંત્યાં ઝર્યા કરે છે ને એ ગુણ સર્વવ્યાપી છે એ પણ મેં જોયું છે. એટલે ત્યાં બેઠા ઝીણવટથી તમે બધાની પાછળ જોયા જ કરો છો.” ગાંધીજી પ્રત્યેના અનન્ય આદરને કારણે સરદારે તેમના પુત્ર ડાહ્યાભાઈનું લગ્ન ગાંધીજીની ઉપસ્થિતિમાં આશ્રમમાં થાય એવો આગ્રહ રાખ્યો હતો. ગાંધીજીએ લગ્નમાં હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સરદારનાં પુત્રી મણિબહે ન વિશે પણ ગાંધીજીએ ૧૯૨૭ના એક પત્રમાં ‘ભાઈશ્રી વલ્લભભાઈ’ને લખ્યું હતું, “મણિલાલ (કોઠારી) કહે તા હતા કે મણિબહે નને ઊંડે ઊંડે પરણવાનો ઇરાદો છે. મેં ખૂબ તપાસ કરી છે. તે નહીં પરણે એમ હમણાં તો નિશ્ચય છે. આપણે તેને ઉત્તેજન આપીએ. તમે તેની ચિંતા છોડી જ દેજો, તેની ચિંતા હં ુ ભોગવી જ રહ્યો છુ ં અને ભોગવીશ.” ગાંધીજીના ચુસ્ત અનુયાયી તરીકે સરદારની છાપ એટલી પ્રચલિત થઈ કે તેમનો રસ્તો ગાંધીજીના માર્ગથી ફં ટાયો હોય એવા ઘણા પ્રસંગો લોકસ્મૃતિમાંથી ભૂંસાઈ ગયા છે. એવા પ્રસંગોમાં સ્પષ્ટ રીતે જણાય છે કે ગાંધીજીના પ્રભાવ તળે સરદારનું પોતાનું વ્યક્તિત્વ અને તેમની વિચારસરણી કચડાઈ ગયાં ન હતાં. ૧૯૩૪માં ગાંધીજીએ સત્તાવાર રીતે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. બન્યું એવું કે કૉંગ્રેસની કાર્યપદ્ધતિથી અસંતુષ્ટ ગાંધીજીએ તેના બંધારણમાં કેટલાક

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

ક્રાંતિકારી ફે રફારો સૂચવ્યા હતા. તેમની આગળ દેખાડો કરવાને બદલે સરદારે કહ્યું, “કૉંગ્રેસના બંધારણમાં ગાંધીજીએ સૂચવેલા સુધારા મુંબઈ ખાતેના અધિવેશનમાં ફગાવી દેવામાં આવે, એમ હં ુ ઇચ્છું છુ .ં કારણ કે રાષ્ટ્રિય કૉંગ્રેસમાં ઠરાવો પસાર કર્યા પછી એ પ્રમાણે કાર્ય ન કરીએ તો એ રાષ્ટ્રના હિતમાં હાનિકારક થઈ પડે.” સરદારને મન ગાંધીજી સાથે છડેચોક છેડો ફાડવા કરતાં, તેમની ‘હા’માં ‘હા’ મિલાવ્યા પછી તેમના આદર્શો પ્રમાણે ન ચાલવું એ મોટો દ્રોહ હતો. અગાઉ ૧૯૨૯માં પણ તેમણે કહ્યું હતું, “આ બધાં વર્ષો આપણે ગાંધીજીના નામને વટાવી ખાધું છે. એ ક્રિયાને મારે સદંતર દાબી દેવી છે. આપણે પ્રામાણિક બનવું ઘટે. એમણે ચીંધેલા કાર્યક્રમમાં આપણને શ્રદ્ધા ન હોય તો આપણું નાવ સંભાળવાનું આપણે એમને ન કહે વું જોઈએ.” ૧૯૩૯માં સરદારની એક ટિપ્પણી ગાંધીજી સુધી પહોંચી : “બાપુએ આપણને જવાહરલાલને સોંપ્યા. હવે આપણે તે કહે તેમ કરવું રહ્યું.” ગાંધીજીએ તરત સરદારને લખ્યું, “આ તો મજાક સમજુ ં ના? મેં તમને કોઈને સોંપ્યા નથી… તમે બધા તમારી સ્વતંત્રતા નહીં વાપરો ને તેની જવાબદારી મારી ઉપર ઢોળશો તો તે ચાલવાનું નથી.” મૂઝ ં ાયેલા સરદારે મહાદેવભાઈને લખ્યું, “દિલ બાપુ તરફ છે, પણ એ માર્ગે આગળ આંધળી દીવાલ દેખાય છે. એટલે રસ્તો સૂઝતો નથી. બાપુની વફાદારી 'કન્વીક્શન’નો સવાલ છે... જો વર્કિંગ કમિટીનું સ્ટેટમેન્ટ થતાં પહે લાં બાપુએ પોતાના હાલના વિચાર જણાવ્યા હોત તો જુ દી જ સ્થિતિ હોત. અત્યારે તો એ સ્ટેટમેન્ટમાંથી અમે ખસી શકીએ એમ નથી.” બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનને મદદરૂપ થઈ શકાય કે નહીં, એ બાબતે ગાંધીજી અને બીજા નેતાઓ વચ્ચે ઉઘાડો મતભેદ થયો. સરદાર સહિત બીજા નેતાઓ માનતા હતા કે બહારથી આક્રમણ થાય એ સંજોગોમાં લોકોના રક્ષણ માટે કૉંગ્રેસે અહિં સાની નીતિ છોડવી જોઈએ. કૉંગ્રેસ માટે અહિં સા ફક્ત સ્વરાજ્યપ્રાપ્તિ પૂરતી સીમિત હતી, જ્યારે ગાંધીજી 407


માટે તે ધર્મ હતો. ગાંધીજીએ કૉંગ્રસને દોરવણી આપવાની જવાબદારીમાંથી મુક્ત થવાની માગણી મૂકી, જ ે કૉંગ્રેસે અને સરદારે પણ ભારે હૈ યે સ્વીકારી. સરદારે કહ્યું, “બાપુજી આપણી પાસે આંધળી વફાદારી નથી ઇચ્છતા. આપણી શક્તિ કેટલી છે એ આપણે તેમને સાફસાફ કહી દેવું જોઈએ. કૉંગ્રેસની અંદર જ ે વસ્તુ નથી, તે છે એમ કહી ચલાવતા જઈશું તો ચાલવાનું નથી.” સામે ગાંધીજીએ લખ્યું, “ભલે અત્યારે સરદાર અને હં ુ નોખે માર્ગે જતા દેખાઈએ, પણ તેથી કાંઈ અમારાં હૃદય થોડાં જ જુ દાં પડે છે? નોખા પડતાં હં ુ એમને રોકી શકતો હતો, પણ એમ કરવું મને યોગ્ય ન લાગ્યું.’ સરદારને તેમણે લખ્યું. “મૂંઝાઓ છો શાના? તમે જ ે કરો તે વાજબી જ ગણું. કેમ કે છેવટે માણસ પોતાની પ્રેરણા અથવા શક્તિ પ્રમાણે જ ચાલી શકે. ભૂલ થતી હોય તો પણ તે કરવાથી જ સુધારાય ના?’ ઉપર જણાવેલા અને એ પ્રકારના બીજા નાનામોટા મતભેદોમાં કેન્દ્રસ્થાને એક જ વાત હતી : ગાંધીજી ઉચ્ચ આદર્શની વાત કરતા અને સરદારને જ્યારે લાગે કે કૉંગ્રેસ પાસે એ પ્રકારના આદર્શની અપેક્ષા ફળે તેમ નથી, ત્યારે એ ગાંધીજીના 'યસમેન’ બની રહે વાને બદલે, તેમની સમક્ષ પોતાની અને કૉંગ્રેસની નબળાઈનો એકરાર કરતા હતા અને બીજો રસ્તો પકડતા હતા. સરદાર અને ગાંધીજી વચ્ચે સૌથી ગંભીર મતભેદો ભાગલાના સ્વીકાર અને કોમી હિં સા બાબતે થયા. અલબત્ત, એ દ્વિપક્ષી મતભેદો ન હતા. તેમાં સરદાર માટે ફે લાવાતી ગેરસમજણ અને સરદાર-ગાંધીજી વચ્ચેના ભૌગોલિક અંતરનો ફાળો મોટો હતો. ૧લી જુ લાઈ, ૧૯૪૬ના એક પત્રમાં ગાંધીજીએ બીજી કેટલીક બાબતો પ્રત્યે સરદારનું ધ્યાન દોર્યા પછી લખ્યું હતું, “સંજોગનો દોષ છે. તેમાં તમે કે હં ુ શું કરી શકીએ? તમે તમારા અનુભવ ઉપર ચાલો, હં ુ મારા ઉપર… તમે કમિટીમાં બહુ તપીને બોલો છે એ પણ નથી ગમતું…. આમાં ક્યાંય ફરિયાદ નથી, પણ આપણે નોખી દિશામાં જઈ રહ્યા છીએ એમ 408

સરદાર અને ગાંધીજી વચ્ચે સૌથી ગંભીર મતભેદો ભાગલાના સ્વીકાર અને કોમી હિંસા બાબતે થયા. અલબત્ત, એ દ્વિપક્ષી મતભેદો ન હતા. તેમાં સરદાર માટે ફેલાવાતી ગેરસમજણ અને સરદાર-ગાંધીજી વચ્ચેના ભૌગોલિક અંતરનો ફાળો મોટો હતો

જોઉં છુ .ં તેનું દુઃખ પણ શું હોય? ફરિયાદ તો નહીં જ. સ્થિતિ સમજીએ.” તેના જવાબમાં સરદારે લખ્યું, “...મારો દોષ હશે. મને હજી સમજાયો નથી એ દુઃખની વાત છે… જુ દા માર્ગે જવા ઇચ્છતો નથી. ઇલેક્શનમાં આપનો મત વિરુદ્ધ હતો. મૌલાના અને કમિટીનો આગ્રહ હતો. એ કામ ન કર્યું હોત તો વખતે કૉંગ્રેસને માથે દોષ રહી જાત, એમ સમજી કર્યું. …કમિટીમાં હં ુ ગરમ થઈ બોલ્યો એ તો એક પ્રકારનો પ્રકૃ તિદોષ જ. જવાહર સાથે એમ કોઈ કોઈ વખત થાય છે ખરું. બાકી તે બોલવા પાછળ કાંઈ બીજુ ં છે જ નહીં.” દેશમાં કૉંગ્રસ અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર બની, ત્યારે કોમી વાતાવરણ ડહોળાઈ ચૂક્યું હતું. ગૃહખાતું સરદારે મુસ્લિમ લીગને આપવાને બદલે ધરાર પોતાની પાસે રાખ્યું, તેનાથી ઘણા કટ્ટર મુસ્લિમો નારાજ થયા હતા. સરદાર પર સત્તાની લાલચનો આરોપ પણ થયો હતો. નાજુ ક સમયમાં લીગને ગૃહખાતું ન અપાય, એ જાણતા સરદાર બધાં અપમાન ઘોળીને પી ગયા, છતાં મુસ્લિમો પ્રત્યે કડવાશ રાખી નહીં. અલબત્ત, કાયદો અને વ્યવસ્થામાં સખત હાથે કામ લેવાની તેમની પદ્ધતિને કારણે ઘણા મુસ્લિમો છાશવારે ગાંધીજી પાસે પહોંચી જતા. એવા લોકોની સતત રજૂ આતને કારણે ગાંધીજી દુઃખી થયા હતા. બંને વચ્ચેના ભૌગોલિક અંતરને કારણે શાંતિથી બેસીને મોકળા મને વાત થઈ શકે, એ શક્ય નહોતું. [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


૩૦મી ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ ગાંધીજીએ સરદારને લખ્યું, “તમારા વિશે અસંતોષ બહુ સાંભળ્યો. ‘બહુ’માં અતિશોયક્તિ હોય તો તે અજાણપણે છે. તમારાં ભાષણો લોકોને રીઝવનારાં ને ઉશ્કેરનારાં હોય છે. હિં સા-અહિં સાનો ભેદ નથી રાખ્યો. ‘તલવારનો જવાબ તલવારથી’નો ન્યાય લોકોને શીખવી રહ્યા છો. જ્યારે ફાવે ત્યારે મુસ્લિમ લીગનું અપમાન કરવાનું ચૂકતા નથી. આ બધું સાચું હોય તો બહુ હાનિકારક છે. હોદ્દાને ચોંટવાની વાત કરો છો એ પણ જો કરતા હો તો ખૂંચે એવી છે. જ ે સાંભળ્યું તે વિચાર કરવા સારું મૂક્યું છે. આ સમય બહુ નાજુ ક છે. આપણે જરાક પણ પાટેથી ઊતરશું તો નાશ જ છે.” હિં દુ-મુસ્લિમ એકતાની બાબતમાં ગાંધીજી ફક્ત નેહરુ પર વિશ્વાસ મૂકતા હતા એ સરદારને ખૂંચતું હતું, પણ કોમી હિં સા અને પાકિસ્તાનને આપવાના રૂ. ૫૫ કરોડના મામલે સરદાર-નેહરુ બંને ગાંધીજીના વાંકમાં આવ્યા પાકિસ્તાનને તેના હિસ્સાના બાકી પડતા રૂ. ૫૫ કરોડ મળી જાય અને દિલ્હીમાં પોલીસ કે લશ્કરની મદદ વિના પરિસ્થિતિ કાબૂમાં આવે, એવા આશયથી ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ઉપવાસ કર્યા. મૃત્યુના ૧૭ દિવસ પહે લાં ૧૩મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ શરૂ થયેલા એ ઉપવાસ સરદારની મુસ્લિમવિરોધી નીતિઓ સામે છે, એવી હવા ફે લાવવામાં આવી. કેટલાકે ત્યાં સુધી કહ્યું કે એ ઉપવાસ સરદારનો હૃદયપલટો કરવા માટે છે. સરદાર વિશેનો ઝેરી પ્રચાર એટલો વધ્યો કે ગાંધીજીએ જાહે ર કરવું પડ્યું, “હિં દુ-મુસ્લિમ એકતાના અને બીજા કેટલાક સવાલોની બાબતમાં સરદારનું વલણ તથા તેમની કામ કરવાની રીત મારા તથા પંડિત નેહરુથી જુ દાં છે, પણ તેમને 'મુસ્લિમવિરોધી’ કહે વા એ તો સત્યની વિડંબના છે. સરદારનું દિલ સૌને સંઘરવા જ ેટલું વિશાળ છે.’ ગાંધીજીને બચાવવા માટે નેહરુ અને સરદારે પાકિસ્તાનને રૂ. ૫૫ કરોડ આપવાનું તો કબૂલી લીધું, પણ તેનાથી ગાંધીજીના ઉપવાસનો અંત આવ્યો નહીં.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

તેમના ઉપવાસ ‘હિં દની મુસ્લિમ લઘુમતીની અને પાકિસ્તાનમાંની લઘુમતીની સલામતી માટે’ પણ હતા. ઉપવાસમાં ગાંધીજીની કથળતી શારીરિક અને માનસિક સ્થિતિથી દુઃખી સરદારે ગાંધીજીને ૧૬મી જાન્યુઆરીના રોજ પત્રમાં લખ્યું, “ગઈકાલે આપનું દર્દ જોયું ત્યારથી હં ુ અસ્વસ્થ બન્યો છુ … ં મારો આપને વારં વાર બચાવ કરવો પડે એ પણ મારાથી સહન ન થઈ શકે.” ગાંધીજી–સરદારના મતભેદોને રાજકીય હે તુ માટે વટાવી ખાવા ઇચ્છતા લોકોએ ગાંધીહત્યામાં પણ સરદારની નિષ્ફળતા જોઈ હતી. મૌલાના આઝાદ જ ેવા સરદારના સમકાલીનોએ ગાંધીજીનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલા ગૃહપ્રધાન સરદાર પર માછલાં ધોયાં હતાં. કેટલાકે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે “સરદાર હિં દુ ઝનૂનીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. એટલે…” સરદાર અને ગાંધીજી વચ્ચેના સંબંધનો થોડો પરિચય ધરાવનાર કોઈ વ્યક્તિ આવી કલ્પના પણ કરી શકે નહીં. ૨૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજ ે ગાંધીજીની પ્રાર્થનાસભામાં બૉમ્બધડાકો થયા પછી સુરક્ષા વ્યવસ્થા શક્ય એટલી કડક બનાવવામાં આવી હતી. સરદાર પ્રાર્થનાસભામાં આવનાર દરે કની જડતી લેવાય એવું ઇચ્છતા હતા, પણ ગાંધીજી એ માટે સંમત ન થયા. તેમ છતાં, સરદારની લાગણી અને ફરજના તકાદા વિશે ગાંધીજી સભાન હતા. સલામતીનો બંદોબસ્ત વધ્યા પછી એક દિવસ ગાંધીજીના યજમાન (અને સરદારના ગાઢ મિત્ર) ઘનશ્યામદાસ બિરલાએ પૂછ્યું, “બાપુ, આપના માટે આટલું લશ્કર રાખવામાં આવે છે, એ આપના અહિં સાના સિદ્ધાંત મુજબ ‘શોકિંગ’ લાગે છે.” બિરલાના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ કહ્યું, “તમને એ જ ેટલું શોકિંગ લાગે છે એટલું મને નથી લાગતું. આ લોકોને (સરદાર વગેરેને) રાજ્ય ચલાવવાનું છે. એમની જવાબદારી બહુ મોટી છે. તેમ છતાં ૩૦મી જાન્યુઆરીએ થવાકાળ થઈને રહ્યું, ત્યારે સરદારે જબરદસ્ત સ્વસ્થતા દાખવી અને નેહરુ સહિત બીજા 409


લોકોને આશ્વાસન આપ્યું. નેહરુએ “આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે” જ ેવું કાવ્યાત્મક લેખિત પ્રવચન અંગ્રેજીમાં વાંચ્યું. સરદારે કોઈ પણ જાતની તૈયારી વિના હિં દીમાં પ્રવચન કર્યું અને એ જ બાબત પર ભાર મૂક્યો કે, “ગાંધીજીએ આપવા જ ેવું બધું આપણને આપી દીધું છે.” ગાંધીજીની અંતિમ યાત્રા પછી તેમનાં થોડાં અસ્થિને દેશભરમાં વિસર્જિત કરીને, મુખ્ય હિસ્સો તેમનું સ્મારક બનાવીને રાખવો એવું સૂચન થયું હતું. સરદારે તેનો સ્પષ્ટ વિરોધ કરતાં કહ્યું હતું, “આ ગાંધીજીની ઇચ્છા અને ફિલસૂફીને અનુરૂપ નથી. પોતાનું સ્મારક બને એવું ગાંધીજીએ ક્યારે ય ઇચ્છ્યું ન હોત.” પોતાના વિરોધનું કારણ આપતાં એક વાર તેમણે એમ પણ કહ્યું કે, “મુઠ્ઠીભર હાડકાંના બનેલા ગાંધીજીના શરીરમાંથી એટલાં અસ્થિ જ ન મળે, જ ેને આખા દેશની નદીઓમાં ભેળવી શકાય અને બાકી રહે તો હિસ્સો સ્મારકમાં યાદગીરી તરીકે રાખી શકાય. તો પછી “સ્મારકમાં ગાંધીજીના અવશેષો છે”, એમ કહીને ભાવિ પેઢીઓને છેતરવાનો શો અર્થ?” પરં તુ સરદારના વિરોધની અવગણના કરીને પણ ગાંધીજીનું સ્મારક બનાવવાનું નક્કી થયું. ત્યાર પછી સવાલ આવ્યો નાણાંનો. ‘ગાંધી સ્મારક નિધિ’ (ગાંધી મેમૉરિયલ ફન્ડ) માટે નાણાં ઉઘરાવવામાં બીજા કૉંગ્રેસી નેતાઓને ધારી સફળતા મળી નહીં, એટલે એ કામ સરદાર પાસે આવ્યું. સરદાર એ વખતે મસૂરીના ‘બિરલા હાઉસ’માં એક મહિનો રોકાયા હતા. કૉંગ્રેસ માટે ભંડોળ ઉઘરાવવાની કામગીરી સરદારે વર્ષો સુધી નિભાવી હતી. એ કામમાં તેમની ક્ષમતા અંગે બેમત ન હતા અને આ તો પોતાના ગુરુ-કમ-સેનાપતિના સ્મારક માટેનું ભંડોળ! એ માટે મસૂરીમાં જ એક કૉન્ફરન્સનું આયોજન થયું. તેમાં કૉંગ્રેસી આગેવાનો ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિઓવેપારીઓ હાજર રહ્યા અને જોતજોતામાં મોટી રકમ

એકઠી થઈ, જ ે ગાંધી સ્મારક નિધિનો મુખ્ય હિસ્સો બની. (સ્મારક માટે પોતાની અનિચ્છા હતી, પણ એ બનવાનું જ હોય, તો પછી તેની સાથે અસહકાર ન થાય, એવી સરદારની સમજણ હતી.) ગાંધીજીના મૃત્યુ પછી સરદાર અંદરથી તૂટી ગયા અને ક્યારે ય પૂરેપૂરા સ્વસ્થ થઈ શક્યા નહીં. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો, ત્યારે પણ એ ‘બાપુ પાસે જવું છે’નું રટણ કરતા હતા. એ સરદારને ગાંધીજીના મૃત્યુ માટે જવાબદાર ઠેરવનારા લોકોની મનોવિકૃ તિને કયા શબ્દોમાં વર્ણવવી? દુઃખની વાત તો એ છે કે જયપ્રકાશ નારાયણ જ ેવા નેતાએ પણ ગાંધીહત્યા બાબતે સરદારને કસૂરવાર ઠેરવવા માટે ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીના મૃત્યુના થોડા દિવસ પહે લાં સરદાર અને નેહરુ વચ્ચે તકરાર થઈ, ત્યારે સરદારે મંત્રીમંડળ છોડી દેવાનું નક્કી કરી લીધું હતું. ગાંધીજીની હત્યા પહે લાં તેમની સાથે વિતાવેલા એક કલાક પછી, તેમની ઇચ્છાને માન આપીને સરદારે પોતાનો નિર્ણય બદલ્યો. ગાંધીજીના મૃત્યુએ સરદારના બદલાયેલા નિર્ણય પર કાયમી મહોર મારી દીધી. ગાંધીજીને આપેલું વચન પાળીને સરદારે છેવટ સુધી નેહરુનો સાથ છોડ્યો નહીં. પોતાના મૃત્યુના થોડા મહિના પહે લાં જાહે ર પ્રવચનમાં સરદારે કહ્યું, “આપણા નેતા પંડિત જવાહરલાલ નેહરુ છે. બાપુએ પોતાના જીવનકાળ દરમિયાન તેમને વારસ તરીકે નીમ્યા હતા… બાપુના આદેશને અનુસરવાની બાપુના સઘળા સૈનિકોની ફરજ છે… હં ુ કંઈ બેવફા સૈનિક નથી. હં ુ જ ે સ્થાને છુ ં તેનો હં ુ લેશમાત્ર પણ વિચાર કરતો નથી. હં ુ તો એટલું જ જાણું છુ  ં : બાપુએ મને જ્યાં મૂક્યો ત્યાં જ હજી હં ુ છુ .ં ” મૃત્યુનાં પ૪ વર્ષ પછી સરદાર ત્યાં જ છે, જ્યાં બાપુએ તેમને મૂક્યા હતા : એક મહાન દેશભક્ત, કુ શળ સરદાર અને આદર્શ સિપાઈ. [‘આરપાર’ સામયિકના ‘સરદાર’ વિશેષાંકમાંથી] o

410

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


લોકાધિકારી1 બારડોલીના સરદારના1 મોઢાનો ઉપરનો ભાગ જોતાં

લેનિન યાદ આવે છે, નીચેનો ભાગ જોતાં લોકમાન્ય ટિળક યાદ આવે છે, અને એમણે જ ે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે જોતાં બંને યાદ આવે છે. એમની અદ્ભુત વ્યવસ્થાશક્તિથી, અને હિં દના કદાચ સૌથી વધુ ગરીબ સ્વભાવનાં સ્ત્રીઓ અને પુરુષનું ધીમે ધીમે અને સચોટતાપૂર્વક જ ે રીતે એમણે લડાયક મનુષ્યમાં પરિવર્તન કર્યું તે રીતથી, હવે સૌ પરિચિત છે. પણ એમના જીવનના પૂર્વભાગની ઘણાને ખબર નથી. શાળાના દિવસોમાં એ તોફાની અને અતિસાહસિક જુ વાનિયા હતા; વિલાયત જઈ ‘પાકા’ સાહે બ બની આવવા માટે ઈડરના રાજા પાસેથી પૈસા ઉછીના માગવા જનાર સાહસિક જુ વાન હતા, અને ત્યાં એમનો ખ્યાલ ખોટો પડ્યો; પછી જિલ્લા-વકીલાત માટે અભ્યાસ કર્યો, જુ વાનીની મુરાદ પાર પાડવા માટે પૂરતા પૈસા એકઠા કર્યા, વિલાયત ગયા; ત્યાં મોજશોખ તજ્યાં, દુઃખ વેઠ્યું અને પ્રથમ વર્ગમાં આવવાનું માન મેળવ્યું; અને એક પૂરા બૅરિસ્ટર બની આવીને ટૂ કં સમયમાં એક ઝળકતા વકીલ તરીકે નામના મેળવી — આ બધું વિચારતાં લૉઇડ જ્યૉર્જ યાદ આવે   છ.ે પૂરેપૂરા, જાતમહે નતથી ઘડાયેલા જીવનમાં એમની સફળતા, માજી વડાપ્રધાનની સફળતા જ ેટલી જ ઝડપી હતી. બંનેની વચ્ચે સરખામણી થઈ શકે એવા નોંધપાત્ર મુદ્દાઓ છે જ ે, આ બંને યોદ્ધાઓનાં જીવનનો આછો પરિચય કરનાર વિદ્યાર્થીની પણ નજર બહાર ન જાય. લૉઇડ જ્યૉર્જની માફક વકીલ તરીકે બરાબર લડવાનો એમને શોખ હતો. અને એ સખત અને કઠોર રીતે લડતા પણ ખરા. લૉઇડ જ્યૉર્જનું વર્ણન કરતાં મા. ક્લૅમનશોએ એક વખત કહ્યું હતું, ‘એમને વાંચતાં આવડે છે, પણ એ કોઈ દિવસ વાંચતા નહોતા.’ શાળા-મહાશાળામાં 1. The Indian National Heraldના તા. ૨૩-૯-૨૮ના અંકમાં છપાયેલા Tribune of the People નામના, મહાદેવભાઈના લેખનો, આ, અનુવાદ છે.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

મહાદેવ દેસાઈ મળતી વિદ્વત્તાની બાબતમાં લૉઇડ જ્યૉર્જની ઉદાસીનતા વલ્લભભાઈથી ચઢે એવી નહોતી. બંનેએ અનુભવની વિદ્યાપીઠમાં કેળવણી લીધી હતી, અને ચોપડીઓ કરતાં મનુષ્યોનો અભ્યાસ કરવા તરફ વધુ ધ્યાન આપ્યું હતું. અને બંને, માણસના મોટા પરીક્ષકો છે. બંનેનાં વક્તવ્યમાં જણાઈ આવતાં સરખા પ્રકારનાં તેજ અને જોમ એમનાં આગવાં જ છે. લૉઇડ જ્યૉર્જની માફક સરદાર પણ સામા જવાબ દેવામાં એક્કા છે; અને ઉશ્કેરવામાં આવે ત્યારે વ્યંગોક્તિથી સામાને જ ેર કરી શકે છે. એક વખત લૉઇડ જ્યૉર્જ આયર્લાંડને સ્વરાજ આપવાની તરફે ણમાં બોલતા હતા ત્યારે એક ચાંપલો2 વચમાં બોલી ઊઠ્યો, ‘તો નરક માટે સ્વરાજ કેમ નહિ?’ ત્યારે એને લૉઇડ જ્યૉર્જે ઉત્તર આપ્યો, ‘પોતાના દેશ માટે બોલે એ માણસ મને હં મેશ ગમે.’ આમ કહી માથામાં વાગે એવો જવાબ એમણે આપ્યો હતો.3 પઠાણોને રાખવાના કૃ ત્યનો4 બચાવ કરવાનો પ્રયત્ન કરતી મુંબઈ સરકારે જ્યારે એ લોકોના વર્તનને ‘દરે ક દૃષ્ટિએ નમૂનારૂપ’ ગણાવ્યું ત્યારે વલ્લભભાઈએ સુણાવ્યું ‘હં ુ સ્વીકારું છુ ’ં કે સરકારના વર્તનની સાથે સરખાવતાં પઠાણોનું વર્તન નમૂનારૂપ છે.’ પણ અહીં સરખાપણું પૂરું થાય છે. એમના જીવનની એક પરિવર્તનની પળે એ મહાત્મા ગાંધીની અસર તળે આવ્યા. તેમણે એમની પાસે એમનાં બધાં મૂલ્યોનું પરિવર્તન કરાવ્યું, જ ે ભણ્યા હતા તે બધું ભુલાવ્યું, સઘળું તજાવ્યું અને સાચા લોકાધિકારી બનવા પાછળ સઘળી શક્તિઓ ખરચાવી. ‘હં ુ તો એક છેલબટાઉ હતો, અને 2. Wag. 3. જુ ઓ A. G. Gardinerના Prophets Priests and Kings નામના પુસ્તકનું પાનું ૧૩૪. 4. બારડોલીની લડતમાં, મહે સૂલ ન ભરનારની મિલકત જપ્ત કરવા માટે મુંબઈ સરકારે પઠાણો રાખ્યા હતા, એનો નિર્દેશ   છ.ે

411


અદાલતની બહારનો મારો બધો સમય બ્રિજ રમવામાં બગાડતો હતો. એ વખતના રાજકારણનો મને કંટાળો હતો. મારે મન એનું બીજુ ં નામ હતું — નામર્દાઈ અને દંભ. એ ટાંકણે ગાંધી આવ્યા. એમણે મારી આંખો ખોલી, અને મને બતાવ્યું કે રાજકારણમાં સત્ય જ ેવું કાંઈ છે ખરું. એમના હે તુની સચ્ચાઈ અને ગંભીરતાએ મને આકર્ષ્યો અને હં ુ એક નવો આદમી બન્યો.’ સને ૧૯૨૧માં એમણે કરે લા એક ભાષણમાં એ આવું બોલ્યા હતા. એમના તોફાની વિદ્યાર્થીકાળમાં એમને વશ કરવામાં કોઈ શિક્ષક ફાવ્યા નહોતા; તે એટલે સુધી કે આખા શિક્ષકસમુદાય તરફ એમનામાં સહજ અણગમો પેઠો હતો. પણ હવે એમને એમની જિંદગીના સાચા ‘ગુરુ’ મળ્યા; અને કોઈ પણ શિષ્ય એમના જ ેટલો વફાદાર અને ચીવટભરી નિષ્ઠાવાળો હોય નહિ. એમના ગુરુના ઉપદેશનાં મૂળ તત્ત્વો એમણે પકડી લીધાં અને એમનાં સહજ નિર્ભયતાથી અને મહાન પૌરુષથી એ ઉપદેશને અમલમાં મૂક્યો. બહુ ઓછાબોલા હોઈ એમણે કૉંગ્રેસના તખતા ઉપરથી અગર કૉંગ્રેસ કમિટીની બેઠકમાં જવલ્લે જ ભાષણ કર્યું હશે. એક વખત એ જરૂર બોલ્યા હતા — અને એ હતું સને ૧૯૨૩માં દિલ્હીમાં. એ વખતે કૉંગ્રેસના સમાધાનકારી પ્રસ્તાવની તરફે ણમાં એ બોલ્યા1 ત્યારે એમના અવાજમાં ધ્રુજારી હતી. આ, એમના માટે તદ્દન અસામાન્ય હતું. એ બોલ્યા બહુ અનિચ્છાથી. એમને લાગતું હતું કે અસહકારના સિદ્ધાંતમાં બાંધછોડ થતી હતી; પણ એમને એમ પણ લાગ્યું કે એ કરવું 1. સને ૧૯૨૨માં ગાંધીજીને જ ેલમાં પૂરવામાં આવ્યા, પછી અસહકારની ચળવળમાં ઓટ આવી હતી અને બહિષ્કાર કરે લી ધારાસભામાં પાછા જવાની હિમાયત કરતો એક પક્ષ — સ્વરાજ પક્ષ — કૉંગ્રેસમાં પેદા થયો હતો. આ બહિષ્કાર ઉઠાવી લેવાની તરફદારી કરતો અને જ ેને ધારાસભામાં જવું હોય તેને તેમ કરવાની છૂટ આપતો પ્રસ્તાવ, દિલ્હીમાં સને ૧૯૨૩ના સપ્ટેમ્બર માસની તા.   ૧૫થી ૧૯ સુધી મળેલા કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં મૂકવામાં આવ્યો હતો. એ વખતે, કૉંગ્રેસમાં ફાટ ન પડે એ દૃષ્ટિએ એનો વિરોધ કરવાનું માંડી વાળવાનાં કારણો આપતાં વલ્લભભાઈ જ ે બોલ્યા હતા તેનો નિર્દેશ છે.

412

અનિવાર્ય હતું. પણ ત્યાર પછી કમિટીની બહુ ઓછી બેઠકોમાં એ હાજર રહ્યા હતા. મિત્રો માનતા કે એ, વાતને ટાળે છે અગર વાત પર ઠંડુ ં પાણી રે ડ ે છે. એમના બોલવાનો અનર્થ થવા લાગ્યો અને એમના વર્તનને અવળું ચીતરવામાં આવ્યું. આ બધું એમણે સહન કર્યું. પણ સમય આવ્યો ત્યારે એ ભભૂકી ઊઠ્યા. બોરસદની આશ્ચર્યપૂર્ણ ઝડપી અને સફળ લડત પછી મૌલાના શૌકતઅલીએ ‘બરફથી ઢંકાયેલો જ્વાળામુખી’ એમ કહી એમનું વર્ણન કર્યું હતું. અને એ હં મેશ એવા જ રહ્યા છે. નાગપુરમાં પણ આનાં જ દર્શન થયાં.2 એમની રચનાત્મક પ્રતિભાનું જ ે દર્શન એ મ્યુનિસિપાલિટીના પાંચ વર્ષ પ્રમુખ રહ્યા3 તે દરમિયાન, અને પછી, ગુજરાતના રે લસંકટ વખતે થયું તેવું બીજ ે ક્યાંય થયું નથી. એમણે આશ્ચર્ય પમાડે તેવું વ્યવસ્થાતંત્ર રચ્યું. એની આગળ સરકારી અધિકારીઓને પણ નમવું પડ્યું — તે એટલે સુધી કે તેમનું પોતાનું ઉઘરાણું એમને લગભગ સોંપી દીધું એમ કહી શકાય. અને એમનાં ભારોભાર વખાણ કરતાં નાણામંત્રીએ કહ્યું, ‘એ, ગાંધીજીના યોગ્ય વારસ   છ.ે ’4 પણ સને ૧૯૨૭માં જ ેનાં ભારોભાર વખાણ કરવામાં આવ્યાં હતાં તે, ટૂ કં સમયમાં જ બારડોલીના કારણે સરકારી વર્તુળોમાં અત્યંત દોષપાત્ર લેખાયા. એમણે, દુનિયામાંની સર્વથી વધુ તુમાખી સંસ્થાનો પ્રતિકાર કરી, થાય તે કરી લેવા એને આહ્વાન 2. નાગપુર ઝંડા સત્યાગ્રહનો ઉલ્લેખ છે. 3. એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખસ્થાને તા. ૯-૨૨૪થી તા. ૧૩–૪–૨૮ સુધી હતા. પરં તુ એ પહે લાં જુ દી જુ દી કમિટીઓના ચૅરમૅન અને સભ્ય હતા. એ બધા સમય દરમિયાનની એમની કાર્યવાહીનો અહીં નિર્દેશ છે. 4. સને ૧૯૨૭-૨૮માં ગુજરાત–કાઠિયાવાડ ઉપર આવેલા રે લસંકટ વખતે વલ્લભભાઈએ, લોકો પાસેથી પૈસા ઉઘરાવી રે લ-પીડિતાને તાત્કાલિક રાહત આપવા બંદોબસ્ત કર્યો હતો તે ઉપરાંત, સરકાર પાસેથી પણ આશરે એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા જ ેટલી, લાંબા ગાળાની રાહત આપવા–અપાવવા એ સફળ થયા હતા. એ કાર્યમાં પ્રાંતિક સમિતિના પ્રતિનિધિને સાથે રાખવા સરકાર સંમત થઈ હતી. આ કાર્યનો અહીં નિર્દેશ છે.

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આ અત્યંત દુર્ભાગી દેશમાં વલ્લભભાઈ જ ેટલો ભાગ્યશાળી કોઈ નથી. એમના દુશ્મનોના— અને, એક લડવૈયાને દુશ્મનો તો હોય; તેમના — મનમાં એમની હિં મત વિશે અને જ ેલમાં જવાની શક્તિ વિશે શંકા હતી. આવા દુશ્મનોને પણ ખાતરી હતી કે આ વખતે તો એમને જ ેલ કરતાં પણ વધુ વેઠવાનું છે. પણ સરકારે , એમના શત્રુઓને, એ જ ેલમાં પુરાય અેનો આનંદ માણવાનો અવસર ન આપ્યો, અને વલ્લભભાઈને, હસતે મોઢે ફાંસીએ ચઢવાનો આનંદ માણવાનો અવકાશ ન આપ્યો. કોઈ ન ભૂલે કે આપણા સમયના એક બહુ જ સફળ સેનાપતિ લૉર્ડ ફ્રેંચ એક પણ ગોળીનો ઘા ખમ્યા વિના મોટાં ઐતિહાસિક યુદ્ધો લડ્યાં છે. અત્યંત સાદાઈથી રહે નાર એમનામાં જીવનનો ખૂબ ઉલ્લાસ છે. ખેડૂતોમાં એ ખેડૂત છે. એમનાં ભાષણો ઘરગથ્થુ અને સાદાઈના ચમત્કારો છે. તળપદમાંથી અને ખેડૂતની બોલીમાંથી એ પોતાની ભાષા અને ઉપમાઓ લે છે. એ બોલે છે ત્યારે એમની આંખો અંગારા જ ેમ ચળકે છે, એમના વિરોધીઓને બાળી નાંખે એવી ધગધગતી વાણી વહે છે, અને શ્રોતાવર્ગની માટીમાંથી વીરો ઘડે છે. ભારોભાર ગુસ્સાભરી તેમજ પિગળાવતી કરુણાભરી વાણીમાં પણ એમનો ન રોકી શકાય એવો વિનોદ દેખાઈ આવે છે; અને દુઃખો અને વિટંબણાઓ વેઠતી વખતે પણ જીવનની મજા માણવાનો ચેપ એમના અનુયાયીઓને લગાડે છે. નેવું-સો વર્ષ જીવનારાંના કુ ટુબ ં માં એ જન્મ્યા છે. એમના પિતા બાણું વર્ષ જીવ્યા. એમના અવસાન સુધી તેમના બધા દાંત સાબૂત હતા. અને એમનાં માતા — એક પ્રસન્ન અને સાદાં પંચાશી વર્ષનાં વૃદ્ધા — હજી હયાત છે. એ પણ એમનાં માબાપ જ ેટલું લાંબું જીવે અને આખરી યુદ્ધમાં એમના દેશને વિજય તરફ સફળતાપૂર્વક દોરી જાય તો કાંઈ નવાઈ નહિ. એમના ‘ગુરુ’એ એમને એ આશીર્વાદ આપ્યા છે અને તેમનો આશીર્વાદ અફળ જતો નથી.

આપ્યું. વિશ્વાસ — પોતાના કારણના ન્યાયીપણામાં ઉલ્લાસભર્યો અને અક્ષુબ્ધ વિશ્વાસ, — અને હિં મત — દૃઢતાથી એની પાછળ પડવામાં સતત અને કદી પણ નિરાશ ન થતી હિં મત, — વીરત્વના આ એમના ગુણો બારડોલીમાં જ ેટલા તેજથી ઝળક્યા તેટલા તેજથી એમની જિંદગીમાં કદી ઝળક્યા નહોતા. પણ એ, બારડોલીને પોતાની અંગત જીત માનવાની ના પાડે છે. એ તો લોકોને ગેરીબાલ્ડીનો1 યુદ્ધસાદ સંભળાવતા — ‘હં ુ તમને શ્રમનું, મુશ્કેલીઓનું અને યુદ્ધોનું વચન આપું છુ ;ં પણ છેવટે તે આપણે જીતીશું અગર મરીશું.’ લોકોએ આ યુદ્ધસાદ આશ્ચર્ય પમાડે એટલી ઝડપથી અને ઉત્સાહભેર વધાવી લીધો; અને એમણે લોકોને કહ્યું, ‘આપણે જીત્યા, તે તમારા જોરે .’ પણ હવે એ એક મોટી લડાઈના ઘા2 અને આગની વાત કરે છે. એ, વધુ શ્રમ માટે, મુશ્કેલીઓ માટે અને વિટંબણાઓ માટે તૈયાર થવાનું કહે છે; કારણ, હવે એમણે હિં દુસ્તાન માટેનું આખરી યુદ્ધ લડવાનું છે. એ હં મેશ સૈનિક રહ્યા છે, અને પ્રચલિત અર્થમાં સમજીએ છીએ એવી રાજકીય ખટપટની એમણે કોઈ દિવસ પરવા કરી નથી. સંભવ છે, બંધારણ ઘડવા વિશે એ બહુ ન જાણતા હોય; પણ એ જાણે છે કે ઉત્તમોત્તમ બંધારણ અને મોટામાં મોટા શબ્દોમાં કહે લી શાસ્ત્રોક્તિઓ પણ, એની પાછળ, જો લોકોની સંમતિનું પીઠબળ ન હોય તો તે નકામાં છે. આ પાઠ એમણે પોતાના લોકોના હૃદય ઉપર પણ હં મેશને માટે ચાંપીને મુદ્રિત કર્યો હતો. બારડોલીએ સ્પષ્ટ અને અસંદિગ્ધ રીતે એ પીઠબળ બતાવી આપ્યું છે અને દેશના બીજા ભાગોને જ ે કરવું હોય તે કરે , પણ એ પોતે તો એમનું રચનાત્મક કાર્ય આગળ ધપાવ્યે જ રાખવા માગે છે કારણ કે એ રચનાત્મક કાર્ય જ આખરી સામસામાં યુદ્ધ માટેનો માર્ગ રચી શકે. 1. ઑસ્ટ્રિયાની ધૂંસરીમાંથી ઇટલીની મુક્તિ મેળવવાની લડતનો અગ્રેસર. 2. મૂળમાં Sles શબ્દ છે. પણ આવો કોઈ શબ્દ નથી; એટલે, છાપવામાં ભૂલ હશે અને ખરો શબ્દ Slashes હશે એમ માની એનો અનુવાદ — ‘ઘા’ — આપ્યો છે.

[‘મહાદેવભાઈની ડાયરી-૧૨’માંથી] o

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

413


અજોડ સરદાર પ્યારે લાલ

…જ ે ઇમારતના ગાંધીજી શિલ્પી હતા અને પંડિત

નેહરુ પાયાની શિલા છે તેના સરદાર આધારસ્તંભ હતા. હિં દની આઝાદી માટેની લડતના કાળ દરમિયાન સરદારે પોતાની બુદ્ધિ અને ઇચ્છાશક્તિ ગાંધીજીને સંપૂર્ણપણે સમર્પિત કરી હતી. સેનાપતિને તેના મદદનીશે કરે લા આવા સમર્પણનો બીજો દાખલો મારી જાણમાં નથી. ગાંધીજી વારં વાર કહે તા : “હં ુ હાજર હોઉં ત્યારે સરદારની વિચારશક્તિ થંભી જાય છે.” પાછળનાં વરસોમાં આમાં ફે રફાર થવા પામ્યો હતો. પરં તુ ગાંધીજી સાથે તેમને જોડનારાં અંતરની વફાદારી અને અંગત સ્નેહનાં બંધનો છેવટ સુધી જ ેમનાં તેમ ચાલુ રહ્યાં. બેમાંથી કોઈએ એકબીજાની આગળ પરલોકમાં જવાનું નથી, આ મજાક સરદાર અને ગાંધીજી મળે ત્યારે હં મેશાં કરતા. છેવટના દિવસોમાં તેમની આજુ બાજુ બનતી ઘટનાઓથી કોઈ કોઈ વાર ગાંધીજી કકળી ઊઠતા અને તેમની વેદના અસહ્ય બની જતી અને કહે તા કે ઈશ્વર હવે મને ઉપાડી લે તો સારું. આવે વખતે સરદાર ચિડાઈને કહે તા : “ત્યારે તમે વચનભંગ કરી મને એકલો મૂકી ચાલ્યા જશો એમ ને?” ખરે ખર, ગાંધીજી ગયા પછી સરદારને જીવવાની લગીરે ઇચ્છા રહી નહોતી. પરં તુ પોતાના નેતાએ સોંપેલી જવાબદારી ઉઠાવતા રહે વાનું નિશ્ચયબળ તેમનામાં હતું. પોતાના સેનાપતિને તેમણે અર્પી હતી એટલી વફાદારી બીજા કોઈ સિપાઈએ પોતાના સેનાપતિને કદી અર્પી નહીં હોય. ગાંધીજીના અવસાન પછી સરદારે એક વાર મને કહ્યું હતું ઃ “બીજાઓ તો આંસુ સારીનેયે પોતાનો ભાર હળવો કરી શકે. પણ મારાથી રડી શકાતું નથી અને તેથી મારું મગજ લોચો થઈ જાય છે.” તેમના કઠોર દેખાતા ચહે રા પાછળ માનવપ્રેમથી ઊભરાતું તથા દુખિયાંઓનાં દુઃખ જોઈને દ્રવતું અને પ્રેમભાવને પ્રીછતું વિશાળ, હૂંફાળું અને ઉદાર હૃદય ધબકતું 414

હતું. પરં તુ તેઓ પોતાની લાગણીઓથી કદી દોરવાઈ જતા નહીં કે તેમને છતી થવા દેતા નહીં. પોતાના અડગ નિશ્ચયને પાર પાડવામાં તેઓ તેને યોજતા. જ ેને માટે તે જાણીતા થયા એ તેમની વ્યવહારકુ શળતા એ વસ્તુને આભારી હતી. સરદાર મૂડીદારો તથા રાજારજવાડાંઓના મિત્ર છે એમ કહે વામાં આવતું હતું. આમ છતાં તેમણે જ એ રાજારજવાડાંઓની પ્રથાનો અંત આણ્યો, અને તેઓ મૂડીવાદી વ્યવસ્થાના મિત્ર નહોતા એ મૂડીદારો સારી પેઠ ે જાણતા હતા. સરદાર સાથેની પોતાની મૈત્રી ચાલુ રાખવી હોય અને રાજારજવાડાંઓની પ્રથાના થયા તેવા હાલમાંથી બચવું હોય તો મૂડીદારોએ મૂડીવાદી વ્યવસ્થા સુધારવી રહી અને તેમણે સીધી રીતે ચાલવું રહ્યું. માણસો તથા જ ેના તેઓ પ્રતિનિધિ હોય તે પ્રથા કે વ્યવસ્થા એ બે વચ્ચે તેમને મન ચોખ્ખો તફાવત હતો. વ્યક્તિગત મૂડીદારો અને રાજાઓ સાથેની તેમની મૈત્રીનાં મૂળ તેમનામાંયે દેશભક્તિ અને સમજદારી છે એ ધારણામાં રહે લાં છે. તેમનામાં એટલી બધી વ્યવહારુ દૃષ્ટિ હતી કે એ લોકોના અનુભવની પૂરી પિછાન ન કરવાનું તેમને માટે શક્ય નહોતું અને એથી જ એ બંને વર્ગના લોકોની દેશને કેટલી બધી જરૂર છે એ તેઓ બરાબર સમજતા

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હતા. અને તેથી રાજારજવાડાંની પ્રથા તેમણે નાબૂદ કરી. પરં તુ ઘણાખરા દેશી રાજાઓની મૈત્રી અને વફાદારી તેમણે જાળવી રાખી. આજ ે તેમનામાંના કેટલાક પોતાની શક્તિ અને અનુભવ દેશની સેવામાં બહુ સારી રીતે વાપરી રહ્યા છે. ભિન્ન ભિન્ન પોકારો અને વાદોને વિશે તેમને સ્વાભાવિક અવિશ્વાસ હતો. અને ખાસ કરીને દંભ તથા શબ્દોના આડંબર પ્રત્યે તેમને ભારે નફરત હતી. તેમણે પોતાની સગી આંખે જોયું હતું કે મૂડીદારો પર વધુમાં વધુ ગાળો વરસાવનારાઓ તક મળે તો પોતે મૂડીદાર બની જતાં અચકાતા નહોતા અને તેમાંના ઘણા તો પ્રસંગ આવ્યે પોતાના રોજિંદા જીવનનાં નાનાં નાનાં કાર્યોમાં, જ ેમને ગાળો આપતાં તેઓ થાકતા નહોતા તે મૂડીદારોની જ સર્વસામાન્ય નબળાઈઓ, ત્રુટિઓ દાખવતા હતા. સરદારની મોટાઈ એટલી બધી હતી કે અમુક માણસ અમુક વર્ગનો છે એટલા જ ખાતર તેના વિરોધી બનવાનું તેમને માટે શક્ય નહોતું. તેમનું વલણ તત્ત્વતઃ માનવતાનું હતું. બધા માણસોને તેઓ પોતાને માપવાના ગજથી જ માપતા અને પોતાની પાસેથી તેઓ જ ે અપેક્ષા ન રાખે તે તેમની પાસેથી રાખતા નહીં. ડાહ્યા મૂડીદારો સમજતા હતા કે સરદાર તેમને તેમનાથી જ — અને તેઓ ચાહે કે ન ચાહે તોયે — ઉગારવા માગતા હતા અને તેથી તેઓ તેમને વળગી રહે તા. ધ્યેયને અર્થે તેઓ તેમનો ઉપયોગ કરતા. તેઓ એટલા ચતુર હતા કે બીજાઓ તેમનો ઉપયોગ કરી જાય એ અસંભવિત હતું. એક વાર એવી ટીકા કરવામાં આવતી હતી કે સરદાર પ્રત્યાઘાતી છે. પરં તુ તેમના ટીકાકારોને થોડા જ વખતમાં માલૂમ પડ્યું કે તેઓ તેમના કરતાં વધારે ક્રાંતિકારી હતા. બારડોલીમાં તેમણે ક્રાંતિ કરી બતાવી, જ્યારે પેલાઓ તે ક્રાંતિની વાત જ કરતા રહ્યા. ગમે તેવા ઉદ્દામ સુધારા કરવાની તેઓ વિરુદ્ધ નહોતા; શરત એટલી જ કે એ વહે વારમાં મૂકી શકાય એવા અને દેશનું શ્રેષ્ઠ હિત સાધનારા હોવા જોઈએ. ખેડૂતને ઘેર જન્મ્યા અને ઊછર્યા હોવાને લીધે પ્રકૃ તિથી જ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

તેઓ ખેડૂત હતા. અને તેથી હવાઈ કલ્પનાઓ, પોથીમાંના સિદ્ધાંતો અને ખાલી વાતો વિશે તેમને ખેડૂતસહજ અણગમો હતો. તેઓ સીધેસીધી વાત કરતા, મોટાં મોટાં વચનો આપતા નહીં તેમજ ખોટી આશાઓ પણ પેદા કરતા નહીં. પણ લોકો જાણતા કે એક વસ્તુ તેઓ મન પર લે એટલે તે થઈ જ જાણો. સરદાર કંઈ પણ વસ્તુ કહે ત્યારે લોકો જાણતા કે તેઓ શું કહે વા માગે છે. અને તેથી તેઓ તેમના પર પૂરો ભરોસો રાખતા. તેઓ કદી ખોટી ધમકી આપતા નહીં અને કોઈ તેમનેયે ખોટી દમદાટી આપી શકતું નહીં. કેટલાક લોકો તેમને મુસલમાનો તથા પાકિસ્તાનના શત્રુ લેખતા હતા. આ બિલકુ લ ભૂલભરે લો ખ્યાલ છે. દેશની સલામતીને તેઓ બેશક પ્રથમ સ્થાન આપતા. એ બાબતમાં તેઓ કશુંયે જોખમ ખેડવા તૈયાર નહોતા. પરં તુ મને એ પણ બરાબર યાદ છે કે અહીંયાં રહે વા અને આ દેશને પોતાનું વતન ગણવા ચાહતા મુસલમાનોને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ એમ તે દૃઢપણે માનતા હતા. ગાંધીજીના અવસાન બાદ એ પાગલપણાના દિવસોમાં કેટલાક વ્યક્તિગત મુસલમાનોના દાખલાઓમાં થયેલો અન્યાય દૂર કરવાનું કહે વા માટે એક વખત મારે તેમની પાસે જવાનું થયું હતું. એ કામ ગાંધીજીએ મને સોંપ્યું હતું. તેમણે મને પૂરેપૂરો ટેકો આપ્યો અને કેટલાક દાખલાઓમાં અન્યાય દૂર કરવામાં આવ્યો. બીજા કેટલાક દાખલાઓની બાબતમાં તેમણે મને પંડિતજીને મળવા જણાવ્યું. મેં એ વિશે પંડિતજી પર કંઈક આકરી ભાષામાં કાગળ લખ્યો અને તે સરદારને બતાવ્યો. તેમણે કહ્યું, “બરાબર છે, મોકલી આપો.” પછીથી હં ુ મારી બહે ન ડૉ. સુશીલા નય્યરના ઓરડામાં ગયો. એ વખતે તે સરદારના દાક્તર તરીકે તેમની સારવારમાં હતી અને તેમની જોડે જ રહે તી હતી. સરદારના ઓરડાની બહાર મેં પગ મૂક્યો ત્યાં પંડિતજી આવી પહોંચ્યા. તેમનો ચહે રો ફીકો પડી ગયેલો અને ચિંતાગ્રસ્ત લાગતો હતો. અનેક રાતના ઉજાગરાથી તે નંખાઈ 415


ગયેલા દેખાતા હતા. તેમની માનસિક તાણમાં ઉમેરો કરવાનો વિચાર મારે માટે અસહ્ય હતો અને ત્યાં મેં તૈયાર કરે લો પત્ર રદ કરવાનું મેં મારા મદદનીશને કહ્યું. પંડિતજી ગયા કે તરત સરદાર અમે હતાં તે ઓરડામાં આવ્યા. તેમણે પૂછ્યું, “પેલો કાગળ તમે પંડિતજીને આપ્યો?” મેં કહ્યું, “ના.” ઠીક, ત્યારે એ આપશો નહીં. તે આવ્યા ત્યારે તમે તેમનો ચહે રો જોયો હતો? એમના પર ચિંતાનો એટલો બધો બોજો છે કે તમારો કાગળ એમને માટે અસહ્ય થઈ પડત.” મેં તેમને એ પત્ર પર ‘રદબાતલ’ રાતી પેન્સિલથી લખેલું બતાવ્યું એટલે તેઓ નિશ્ચિંત થઈને પાછા વળ્યા. સરદારને તેમના ‘ઇમામભાઈ’ — ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી સદ્ગત ઇમામસાહે બ બાવાઝીર — તથા સદ્ગત અબ્બાસ તૈયબજીની સાથે જ ેમણે જોયા હશે તે જાણે છે કે મુસલમાનો પ્રત્યે તેમને લવલેશ વિરોધભાવ નહોતો. એ બંનેને સરદાર પોતાના સગા ભાઈ લેખતા હતા અને તેમનાં કુ ટુબ ં ને પોતાના કુ ટુબ ં તરીકે લેખતા હતા. વચગાળાની સરકારની રચના પછી તેમનો સૌથી માનીતો અધિકારી ખાસ પોલીસનો ઇન્સ્પેક્ટર જનરલ એક મુસલમાન હતો. એ ચાહના પરસ્પર હતી એ કહે વાની જરૂર નથી અને દેશના ભાગલા પછી એ અધિકારીએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું ત્યાર પછીયે તેમને માટેની સરદારની ચાહના કાયમ રહી. હિં દના આંતરિક સવાલો ઉકેલવાને સરદાર એટલા તો આતુર હતા કે પાકિસ્તાન સાથે ઝઘડો કરવા તેઓ કદી ઇચ્છતા નહોતા. પણ ન્યાયને ધોરણે તેઓ શાંતિ ચાહતા હતા, મનામણાંની નીતિથી નહીં. અને જ્યારે ન્યાયી શરતે પાકિસ્તાન સાથે કરાર કરવાનું શક્ય બન્યું ત્યારે તેમણે પોતાની સઘળી લાગવગ એને પક્ષે વાપરી. નેહરુ-લિયાકતઅલી કરાર થયા પછી તેમણે મને ખાસ બોલાવ્યો — એ બાબતમાં હં ુ કેટલી તીવ્ર લાગણી ધરાવતો હતો તેની એમને ખબર હતી — અને ‘આખરે અમે એ કામ પાર પાડ્યું’ એમ કહે તી વખતે તેમના મોં પર જ ે સંતોષની લાગણી 416

હિંદના આંતરિક સવાલો ઉકેલવાને સરદાર એટલા તો આતુર હતા કે પાકિસ્તાન સાથે ઝઘડો કરવા તેઓ કદી ઇચ્છતા નહોતા. પણ ન્યાયને ધોરણે તેઓ શાંતિ ચાહતા હતા, મનામણાંની નીતિથી નહીં. અને જ્યારે ન્યાયી શરતે પાકિસ્તાન સાથે કરાર કરવાનું શક્ય બન્યું ત્યારે તેમણે પોતાની સઘળી લાગવગ એને પક્ષે વાપરી

મારા જોવામાં આવી તે મને સદા યાદ રહે શે. એ કરારનો અમલ કરવાને તેઓ ભારે ઇંતેજાર હતા અને પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં એને માટે તેઓ કલકત્તા દોડી ગયા. તેમની ધારણા પ્રમાણે એકધારી ઝડપ અને ધગશપૂર્વક કામ થઈ ન શક્યું એ માટે તેમને કેટલી બધી નિરાશા થઈ હતી એ તેમણે મને પછીથી જણાવ્યું હતું. તે દરગુજર કરી શકતા હતા અને અંગત માનાપમાન દરગુજર કરવાની તેમની શક્તિ અપાર હતી. એના દાખલા હં ુ આપી શકું એમ છુ .ં પણ હં ુ એમ નહીં કરું, એ બધી અતિ પવિત્ર વસ્તુઓ છે. ગાંધીજી પણ દરગુજર કરતા હતા. પરં તુ તેઓ ભૂલી જઈ પણ શકતા હતા અને એને લીધે લોકો એમ માનતા કે તેમને છેતરી શકાય છે અને તેથી તેઓ તેમની સાથે છૂટ પણ લેતા. સરદારની દરગુજર કરવાની શક્તિ તો વળી વધારે આશ્ચર્યકારક હતી કેમ કે તેઓ કદી ભૂલી શકતા નહોતા અને લોકો તે વસ્તુ જાણતા હતા. અને એથી કરીને તેઓ તેમની સાથે રમત કરતાં અટકતા. રાજકારણના ક્ષેત્રમાં તેઓ ગાંધીજીના જ ેવા વાસ્તવદર્શી હતા. તેમની નિર્ણયશક્તિ, ઝડપી નિર્ણય કરવાની તથા અડગ શ્રદ્ધા અને કાર્ય દ્વારા તેમનો અમલ કરવાની તેમની તાકાત, તેમની સંગઠનશક્તિ, તેમની અપાર સાવધાની અને જાગૃતિ, ગામડાંઓ પ્રત્યે તથા સરળ ગ્રામવાસીઓ તથા તેમનાં ઉદ્યોગધંધા, રહે ણીકરણી પરત્વેનો તેમનો ઊંડો પ્રેમ તથા તેમનો [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આત્મનિગ્રહ અને સખત કામ કરવાની શક્તિ વગેરે ગાંધીજીની યાદ આપતાં હતાં. એક વખતે તેઓ ખૂબ જ બીડી પીતા હતા. તેઓ મજાકમાં કહે તા કે, “મારા હાથમાં જ ેલરે ખા નથી.” તેમના પહે લા કારાવાસ વખતે સાબરમતી જ ેલના દરવાજા આગળ તેમણે પોતાની છેલ્લી સિગારે ટ કાઢી; પરં તુ કોઈકે કહ્યું કે દરવાજાની અંદર ગયા પછી બીડી પીવા માટે તમારે ખાસ પરવાનગી માગવી પડશે, એટલે તેમણે તે ફેં કી દીધી. પોતાના જીવન દરમિયાન પછીથી તેમણે કદી બીડી પીધી નથી. તેમના પર રાજકાજનો ભારે બોજો આવી પડ્યો તે પહે લાં અમદાવાદમાં પ્રાંતિક સમિતિની ઑફિસમાં બેસી રોજ બેથી ત્રણ હજાર તાર કાંતતા સરદારનું દૃશ્ય હં મેશાં જોવા મળતું. બારડોલીના પોતાના આશ્રમમાં તેઓ તેમની આસપાસના લોકોની પેઠ ે જ રહે તા. ૧૯૩૦ના તેમના પહે લા કારાવાસ દરમિયાન તેમને अ વર્ગમાં મૂકવામાં આવ્યા હતા. પરં તુ अ વર્ગના કેદીઓને મળતા ખાસ લાભો છોડવાનો તેમણે આગ્રહ રાખ્યો અને क વર્ગના સામાન્ય સત્યાગ્રહી કેદીઓને મળતા ખોરાક વગેરેથી ચલાવી લીધું. પિતાની રીતે તેમણે ગાંધીજીના જ ેવી ત્યાગની ભાવના પણ દાખવી. તેમણે ધનસંપત્તિ તજ્યાં એટલું જ નહીં, પણ એક રીતે કુ ટુબ ં નાં બંધનો પણ તજ્યાં. પોતાનાં બાળકોનું શું થશે એની તેમણે કદી પરવા નથી કરી. તેમને તેમણે પોતપોતાનું ફોડી લેવાને પ્રેર્યાં. છેક છેવટ સુધી તેઓ વફાદાર અને શિસ્તબદ્ધ સિપાહી રહ્યા. પ્રસંગ પડ્યે કશી શંકાકુ શંકા કર્યા વિના આજ્ઞા માથે ચડાવવાને તેઓ સદા તત્પર હતા. ગાંધીજી ઇચ્છતા હોત તો એક શબ્દ સરખો પણ કાઢ્યા વિના તેઓ હોદ્દો છોડી દેત અને પોતાની પ્રકૃ તિથી વિરુદ્ધ હોય એવી તેમની આજ્ઞાનું પણ પાલન કરવાને તૈયાર થાત. ગાંધીજી આ જાણતા હતા, પરં તુ એ જો સરદારની પ્રકૃ તિને અનુરૂપ ન હોય તો તેમની આજ્ઞાંકિતતાની શી કિંમત! પોતાની આજ્ઞાના પાલન

કરતાં ગાંધીજી સરદારની પ્રામાણિકતા અને સ્વતંત્ર વૃત્તિની કિંમત વધારે લેખતા હતા. દરે ક સ્ત્રી અને પુરુષ પોતાની પ્રકૃ તિ પ્રમાણે પોતાનો પૂરેપૂરો વિકાસ સાધે એને માટે ગાંધીજી ઇંતેજાર હતા. એ રીતે જ બધા દેશની મહત્તા વધારી શકે અને તેથી તેમણે સરદારને તેમની પ્રકૃ તિ અનુસાર કામ કરવા દીધું. એ જ રીતે સરદાર અને પંડિતજીનાં વલણ અને દૃષ્ટિમાં મોટો તફાવત હતો. આમ છતાં વફાદારીની પોતાની સમજ પ્રમાણે છેવટ સુધી તે પંડિતજીને વફાદાર રહ્યા. અને પંડિતજીને મન પણ તેમની વચ્ચે મતભેદ હોવાનો પોકાર કરનારા અને તેને મોટુ ં સ્વરૂપ આપનારા એકપક્ષી ટીકાકારોના કરતાં સરદારના વફાદારીયુક્ત ટેકાની કિંમત વધારે હતી. ભિન્ન પરિસ્થિતિમાં આ મતભેદો ગંભીર તડ કે ભાગલા પાડનારા નીવડત પણ હિં દના રાજકારણમાં ગાંધીજીએ દાખલ કરે લી અહિં સાને કારણે એ વસ્તુએ જુ દું સ્વરૂપ લીધું. વાગ્યુદ્ધો અને ભિન્ન પ્રકૃ તિની અથડામણ પછી ખરાખરીનો વખત આવે ત્યારે ગાંધીજીના હાથ નીચે તાલીમ પામેલા આ પીઢ અને કસાયેલા સિપાઈઓ ખુલ્લે દિલે દેશને અગ્રસ્થાને મૂક્તા, પોતાના મતભેદો પાછળ રાખતા અને માતૃભૂમિની સેવામાં પોતાના સ્વભાવના ખાંચાઓ ભૂલી જતા. સરદારનું સ્મારક કરવાની વાતો ચાલે છે. આ સ્વાભાવિક ઇચ્છા છે. પરં તુ આપણે યાદ રાખીએ કે ગાંધીજી પેઠ ે તેમને પણ કેવળ ઈંટચૂનાનાં સ્મારકો પ્રત્યે અણગમો હતો. અને ગાંધીજીની બાબતમાં તો એવાં સ્મારકોની તેમની આગળ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો. એક જ એવું સ્મારક છે જ ે તેમને ન્યાય કરી શકે અને તે એ કે આપણે આપણા મતભેદ શમાવી દઈએ, બધી અંગત ગણતરીઓ ભૂલી જઈએ અને માતૃભૂમિની સેવામાં જ ેના તેઓ ઉજ્જ્વળ દૃષ્ટાંતરૂપ હતા એવાં એકાગ્ર પુરુષાર્થ અને એકતા સિદ્ધ કરીએ. [हरिजनबंधु, ૩૦-૧૨-૧૯૫૦] o

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

417


‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ - ૧૯૧૪-૧૯૪૮’: પુસ્તકની ભીતર સોનલ પરીખ

રામચંદ્ર ગુહાનું પુસ્તક ‘ગાંધી : ધ યર્સ ધૅટ ચેન્જ્ડ

ધ વર્લ્ડ — ૧૯૧૪-૧૯૪૮’ પ્રગટ થયાને ઝાઝો સમય નથી થયો. આ પહે લાંનાં એમનાં બે દળદાર પુસ્તકો ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ કરતાં આ પુસ્તક વધારે દળદાર છે અને ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’ની ‘સીક્વલ’ સમું છે. બૌદ્ધિક અપીલ ધરાવતાં આ ત્રણે રસપૂર્ણ પુસ્તકો નવી પેઢીએ ચોક્કસ જોઈ જવા જ ેવાં છે. સંદર્ભો ન પકડાય ત્યાં સુધી પોતે વિશ્વમાં, દેશમાં અને વ્યક્તિગત રીતે કેમ પગલું મૂકવું તેનો સાચો ખ્યાલ આવવો મુશ્કેલ હોય છે. ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’, ગાંધીજી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવવા નીકળે છે ત્યાં પૂરું થાય છે. ‘ગાંધી : ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ એ દરિયાઈ મુસાફરીથી શરૂ થાય છે. જરૂર પડી છે ત્યાં લેખકે ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’માંથી ટૂ કં ા સંદર્ભો આપ્યા છે. પુસ્તકમાં ૧૯૧૪થી ૧૯૪૮નો ભારતનો ઇતિહાસ ગાંધીની સ્વાતંત્ર્યસંગ્રામની લડત સંદર્ભે આલેખાય છે અને એ ઇતિહાસ ગાંધીની હત્યા સુધી લંબાય છે તેની કલ્પના તો જાણે શીર્ષક જોઈને આવી જાય. સ્વાતંત્ર્યસંગ્રામ અને ગાંધીહત્યા સંબંધે ભારત અને ભારતબહારના લેખકોએ ઘણું લખ્યું છે. વાચકોને ઘટનાક્રમ ઘણે ભાગે પરિચિત છે. તો પછી એમનું વિશેષ પ્રદાન શું છે — તપાસીએ. હં ુ રાજકારણની કે ઇતિહાસની મોટી વિદ્વાન નથી, આ એક જાગ્રત વાચક તરીકનો મારો પ્રતિભાવ   છ.ે ૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ભારતના કિનારે ઊતર્યા ત્યારે ગાંધીજી ૪૫ વર્ષના હતા. માતૃભમિથ ૂ ી દૂર રહ્યાને દાયકાઓ થઈ ગયા હતા. કાઠિયાવાડમાં જન્મ અને ઉછેર, લંડનમાં કાયદાનો અભ્યાસ, રાજકોટ

418

અને મુબ ં ઈમાં કરે લા વકીલાતના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં સફળ વકીલાત અને રં ગભેદના અન્યાયી કાયદાઓ સામેની લડતનાં આ વર્ષો ગાંધીજીના બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસનાં પણ હતાં. ભારત બહારના વિશ્વના પરિચયે તેમની ધાર્મિક માન્યતાઓને બદલી નાખી હતી. તેમણે ખોરાક, સમૂહજીવન, સાદગી, અહિં સા અને સત્યાગ્રહના પ્રયોગો પણ કર્યા હતા. લોકોને સાચી માહિતી આપતું અને લોકમત કેળવતું પત્રકારત્વ ખેડ્યું હતુ.ં ભારતમાં ૧૮૮૫માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના થઈ હતી. તેમાં નરમદળ(મૉડરે ટ) અને ગરમદળ (એક્સ્ટ્રીમિસ્ટ) એવાં બે જૂ થ હતાં. નરમદળ બંધારણીય રીતે અને ગરમદળ ઉગ્રતાપૂર્વક બ્રિટિશ સરકાર ભારતને વધારે અધિકારો આપે તેવા પ્રયત્નો કરતું. કૉંગ્રેસ તમામ ભારતીયો માટે કામ કરતી, જ્યારે ૧૯૦૬માં સ્થપાયેલી મુસ્લિમ લીગ મુસ્લિમોના અધિકારો માટે કામ કરતી. ક્રાંતિકારીઓનું એક જૂ થ બૉમ્બ અને હત્યાઓ વડે બ્રિટિશ શાસકોને ભયભીત કરવાની કોશિશમાં હતું. આ બધાં રાજકીય જૂ થો મહદ્ અંશે શહે રી મધ્યમવર્ગનાં બનેલાં હતાં. ભારતનાં લાખો ગામોમાં તેની પહોંચ ન હતી. ગાંધીજીએ આવીને બ્રિટિશ સરકાર સામેની કાર્યવાહીને શહે ર અને શિક્ષિતોમાંથી ઊંચકી લઈ ગામડાંઓ અને અશિક્ષિત વર્ગ સુધી પહોંચાડી. સામૂહિક આંદોલન ખેડૂતો, શ્રમજીવીઓ, કારીગરો અને સ્ત્રીઓ સુધી વિસ્તર્યું. ગાંધીજીના પ્રવાસો અને લડતના વ્યૂહો એવા હતા કે દેશ આખો પરિવર્તનના વિરાટ મોજામાંથી પસાર થયો અને અન્યાય સામેની અહિં સક અને નિર્ભય લડત માટે [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એક થઈ ઊભો રહ્યો. વિદેશી શાસનથી મુક્ત થવું એ ગાંધીજીના મહાન ધ્યેયનું એક ચરણ હતું. કોમી સંવાદિતા એટલે કે હિં દુમુસ્લિમ-એકતા બીજુ ં ચરણ હતું. અસ્પૃશ્યતાનિવારણ ત્રીજુ ં અને આર્થિક સ્વાવલંબન ચોથું. ગાંધીજીનું સ્વ-રાજ આ ચાર પાયા પર ઊભું હતું. જ ેમ કોઈ સંગીતકાર ક્યારે ક વાદ્યની આ ચાવી વાપરે ને ક્યારે ક બીજી, પણ તેમની વચ્ચે એકતાનતા હોય, જુ દા જુ દા સ્વરો એક જ સ્વરરચનાનો ભાગ હોય તેમ ક્યારે ક ગાંધીજી ખાદીકામ લઈને બેઠા હોય, ક્યારે ક હરિજનસેવા ને ક્યારે ક અસહકાર, પણ એ બધાં વચ્ચે મૂળભૂત એકતાનતા હતી. ગાંધીજીનું જીવન અને કાર્ય સતત ચર્ચાનો વિષય રહ્યાં. દરે ક નવાં આંદોલન વખતે તેઓ નવો જ વ્યૂહ ઘડતા. કોઈ તેમને સુધારક માનતા, કોઈ ક્રાંતિકારી તો કોઈ વળી નમાલા સમજતા. શાસકોને માટે તેઓ માર્ગનો કાંટો હતા. તર્કવાદીઓ તેમને મૂર્ખ માનતા, અરશ ્થ ાસ્ત્રીઓ તેમને અજ્ઞાની સમજતા, ભૌતિકવાદીઓને મન તેઓ સ્વપ્નઘેલા હતા, સમાજવાદીઓને મન તેઓ ઘરે ડિયા હતા, મુસ્લિમોને માટે તેઓ સનાતની હિં દુ હતા તો હિં દઓ ુ એમને મુસ્લિમોના પક્ષકાર માનતા. અસ્પૃશ્યો તેમને ઉચ્ચવર્ણના પરં પરાવાદી સમજતા તો સવર્ણો તેમને ઉતાવળિયા સુધારક લેખતા. આ વિરોધાભાસોનો ઉલ્લેખ કરી લેખકે પોતાનાં પુસ્તકમાં ગાંધીજીના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આત્મસુધારને લગતા વિચારોને દર્શાવવાનો ઉપક્રમ રાખ્યો છે. ગાંધીના પ્રશંસકો અને આલોચકોએ પોતપોતાની રીતે એ વિચારો ક્યાંક ને ક્યાંક મૂક્યા જ છે, લેખકે એ વિચારોનું અમુક રીતે પુનર્સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધીજી ભારતનાં સામાજિક અને જાહે ર જીવનનાં લગભગ તમામ પાસાંઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. સામ્રાજ્યવાદની પકડ, સદીઓ જૂ નો જ્ઞાતિવાદ, કોમી સંઘર્ષ, સ્ત્રીઓનો વિકાસ, રાજકારણ અને સમાજના પરસ્પર ગૂંથાતા તાણાવાણા, આર્થિક પુનર્રચનામાં તંત્રજ્ઞાનની ભૂમિકા, સાંસ્કૃતિક વૈવિધ્ય, રાષ્ટ્રઘડતરમાં

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

ભાષાનું સ્થાન — આ બધાં પાસાં ગાંધીજી અને દેશના ઇતિહાસ માટે મહત્ત્વનાં હતાં. ગાંધીજીએ જ ે કહ્યું અને કર્યું, તેને લીધે ભારત બ્રિટિશ સામ્રાજ્ય મટી સ્વતંત્ર અને આપખુદમાંથી લોકશાહી રાષ્ટ્ર બન્યું. ઘરઆંગણાની સમસ્યાઓ સાથે ગાંધીજીએ બે બે વિશ્વયુદ્ધો અને અન્ય પડકારો વચ્ચેથી પસાર થઈ રહે લા વિશ્વ વિશે પણ વિચાર્યું. ગાંધીજીના સિદ્ધાંતો અને લડતની પદ્ધતિએ અનેક દેશોનું ધ્યાન ખેંચ્યું. ખુદ બ્રિટિશ મુત્સદ્દીઓ ગાંધીજી વિશે ઘણું લખતા. બ્રિટિશ પ્રજા પર ગાંધીજીનો એક પ્રભાવ હતો. આ બધાં વિશે લખતાં જઈ લેખક ગાંધીજીનું આત્મપૃથક્કરણ, બ્રહ્મચર્ય, કસ્તૂરબા અને સંતાનો સાથેનો તેમનો સંબંધ, ગાંધીજી સાથે જોડાયેલી વ્યક્તિઓ વગેરેની ચર્ચા કરતા ગયા છે. ઇતિહાસકાર તરીકેની લાંબી કારકિર્દીમાં પોતાના પર મહાત્મા ગાંધીનો પ્રભાવ સતત રહ્યો હોવાનું અને કલેક્ટેડ વર્કસના સો ગ્રંથોમાં સંગ્રહાયેલાં ગાંધીજીનાં પોતાનાં લખાણો અને પચાસથી વધુ આર્કાઇવ્ઝના અભ્યાસ ઉપરાંત પોતાને એક વિશેષ સ્રોતનો લાભ મળ્યો હોવાનું ડૉ. રામચંદ્ર ગુહાએ પ્રસ્તાવનામાં લખ્યું છે. આ વિશેષ સ્રોત એટલે પ્યારે લાલનો ખાનગી સંગ્રહ. ગાંધીજીની હત્યા પછી પ્યારે લાલ સેવાગ્રામ જઈ ત્યાં રાખેલા કાગળોનો મોટો જથ્થો અનેક પેટીઓમાં ભરીને દિલ્હી લઈ આવ્યા હતા. પછીનાં વર્ષોમાં તેનો ઉપયોગ કરી ગાંધીજી વિશે ગ્રંથો લખવાની પ્યારે લાલની નેમ હતી, એટલે ૧૯૬૦-૭૦માં કલેક્ટેડ વર્કસનું કામ ચાલતું હતું ત્યારે તેના મુખ્ય સંપાદક સ્વામીનાથને પ્યારે લાલનો સંપર્ક કર્યો પણ પ્યારે લાલે એમને કશું આપવાનો ઇનકાર કર્યો. ૧૯૮૨માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં થોડા ગ્રંથ પ્રગટ થયા, પછીથી તેમનાં બહે ન ડૉ. સુશીલાએ આ કાગળો નેહરુ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને સોંપ્યા. ભાઈનું અધૂરું કામ પૂરું કરવાનો એમણે પણ પ્રયત્ન કર્યો. ૨૦૦૦માં તેમનું મૃત્યુ થતાં હજારો ફાઈલોમાં સચવાયેલી આ દુર્લભ માહિતી સંશોધકો અને અભ્યાસીઓને સુલભ બની. આ દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરનારા પોતે પહે લા ગાંધીચરિત્રકાર 419


છે એવો લેખકનો દાવો છે. ૯૦૨+૧૫૦ પાનાંના આ પુસ્તકનો મુખ્ય હિસ્સો પાંચ ભાગ અને ૩૮ પ્રકરણમાં વહેં ચાયેલો છે. (૧) ૧૯૧૫-૧૯૨૨ (૨) ૧૯૨૨-૧૯૩૧ (૩) ૧૯૩૧૧૯૩૭ (૪) ૧૯૩૭-૧૯૪૪ (૫) ૧૯૪૪-૧૯૪૮. આ વર્ષોમાં બનેલા મહત્ત્વના બનાવો વિશે વત્તેઓછે અંશે આપણે સૌ જાણીએ છીએ. પણ લેખકનાં નિરીક્ષણો અને અભિવ્યક્તિને લીધે એમને એક નવું પરિમાણ મળે છે. ઉપરાંત એવી બાબતો જ ે ઘણી ચર્ચાયેલી છે, પણ જ ેના વિશે નક્કર માહિતી પ્રમાણમાં ઓછી મળે છે તેના પર લેખકે જજમેન્ટલ થયા વિના નિર્ભીક પ્રકાશ પાડ્યો છે, જ ે પુસ્તકને વધારે રસપ્રદ અને દસ્તાવેજી મૂલ્યવાળું બનાવે છે. આવી બાબતોમાં સરલાદેવી સાથેનો ગાંધીજીનો સંબંધ અને બ્રહ્મચર્યના અંતિમ પ્રયોગનો સમાવેશ કરવો જોઈએ. આ મુદ્દાઓ સ્વતંત્ર લેખ માગે તેવા છે. ઉપરાંત તેમણે ગાંધીજીની હત્યા પછી આજ સુધી ફૂલતાફાલતા રહે લા અને હવે તો દેશના રાજકારણ પર હાવી થઈ ગયેલા હિં દુત્વવાદ પર નિ:સંકોચ ચર્ચા કરવા સાથે આજના સંદર્ભે દલિત સમસ્યા, લિંગભેદ અને નક્સલવાદના મુદ્દાઓ પણ ખુલ્લા મનથી ચર્ચ્યા છે. ડૉ. ગુહાની ભાષા અને શૈલી ખૂબ સુંદર છે. વિષય ઘણો વ્યાપક હોવા છતાં આગલાં બંને પુસ્તકોની

જ ેમ એમણે વિભાગો અને પ્રકરણોથી વિષયની સુંદર ગૂંથણી કરી છે. માંડણી, વિસ્તાર અને અંતની બાબતમાં ચોકસાઈ ન હોય તો પોતાના જ મેદથી આવાં પુસ્તકો હાંફી જાય અને વાચકને પણ થકાવી દે. લેખકનો પોતાની કલમ અને વિવેકબુદ્ધિ પર પૂરો કાબૂ હોવાથી આલેખન સંયત, સંતુલિત અને જકડી રાખતું બન્યું છે. જક્સ્ટાપોઝિશન એટલે કે ઘટનાઓનું સમાંતર આલેખન પણ ધ્યાન ખેંચે તેવું છે. ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં ડૉ. રામચંદ્ર ગુહાએ અમેરિકન એલચી રૉબર્ટ બ્લૅકવિલને ટાંક્યા છે : ‘વિવિધતાઓથી ભરે લી પ્રજા, અસમાનતાઓ વચ્ચે લોકશાહી શાસન, ભારતમાં એ બધું જ છે જ ે એક બુદ્ધિજીવીને પડકાર આપે… ભારતને ફરી ફરી તલાશવા માટે હં ુ આ દેશમાં દસ વાર જન્મ લઉં તોપણ ઓછુ ં જ છે!’ વાત સાચી છે. આપણો દેશ, આપણા રાષ્ટ્રપિતા અને સ્વાતંત્ર્ય અને ભાગલાનો ઇતિહાસ એ એવા અખૂટ વિષયો છે જ ે વ્યક્તિએ વ્યક્તિએ જુ દાં અર્થઘટનો જગાડે, એટલું જ નહીં, એક વ્યક્તિમાં પણ સમજ અને વિચારની જુ દી જુ દી ભૂમિકાએ જુ દાં જુ દાં અર્થઘટનો જગાડે. ડૉ. રામચંદ્ર ગુહાનું એમની અત્યારની ભૂમિકાએ થયેલું આ અર્થઘટન એકવાર જાણી ને માણી લેવા જ ેવું તો ખરું. ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોનો દસ્તાવેજ

પ્યારે લાલ લિખિત પૂર્ણાહુતિ

[ચાર ભાગમાં] • કિંમત : દરે ક ભાગના રૂ. ૧૦૦

ગાંધીજીએ પાર કરવાની હતી તે બાધાઓ હમેશાં કેવળ ભૌતિક ભૂમિકા પરની નહોતી; ઘણુંખરું તે નૈતિક અને આધ્યાત્મિક ભૂમિકા પરની હતી. તે હમેશાં તેમના કહે વાતા વિરોધીઓ તરફથી નહીં, પણ ઘણા પ્રસંગોએ, દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીસ વરસ જ ેટલા લાંબા ગાળા દરમિયાન તેમણે જ ેમની સાથે કામ કર્યું હતું અને જ ેઓ તેમનો દેહ ભસ્મીભૂત થયા પછી મશાલ ઊંચી પકડી રાખશે એવી જ ેમને વિશે તેમણે ગણતરી રાખી હતી, જ ેમને તેઓ છોડી દેનાર નહોતા અને જ ેમને તેમના વિના ચાલી શકે એમ નહોતું, તેમના તરફથી આવી હતી. આ ગ્રંથનાં પૃષ્ઠોમાં શું છે તેનો સાર આપવાનો પ્રયાસ કરવાનું શક્ય નથી અને ઇચ્છવાજોગ પણ નથી. …એ કાર્ય કેટલું બધું મુશ્કેલ અને નાજુ ક છે અને લેખકે તે કેટલું સરસ રીતે પાર પાડ્યું છે. — રાજ ેન્દ્રપ્રસાદ [રાષ્ટ્રપતિ ભવન, ૧૯૫૬]

420

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-૬ ડાૅ. રં જના હરીશ શુધા મઝુમદારની આત્મકથા : ‘અ પૅટર્ન ઑફ લાઇફ’ ‘ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી’ નામની લેખમાળાના પાંચ લેખ અગાઉ नवजीवनનો અક્ષરદેહમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ અંકમાં આ લેખમાળાનો અંતિમ ભાગ મૂકીએ છીએ.

‘ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી’ લેખમાળાના ગત વખતના [જુ લાઈ, ૨૦૧૯] પાંચમા મણકામાં શુધા મઝુમદારની વર્ષ ૧૯૩૦ આસપાસ લખાયેલ તથા ૧૯૭૭માં પ્રકાશિત આત્મકથા ‘અ પૅટર્ન ઑફ લાઇફ'ના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જ ેરાલ્ડિન એચ. ફોર્બના પ્રાક્કથનની ચર્ચા કરી. જ ેરાલ્ડિને આ આત્મકથાને ગાંધીએ ભારતીય સ્ત્રીજીવનના ઉત્કર્ષમાં કરે લ પ્રદાનની એક ‘કેસ સ્ટડી’ તરીકે બિરદાવી છે. પ્રકાશનના કોઈ જ હે તુ વગર લખાયેલ શુધા મઝુમદારની આ આત્મકથાનું સો ટચના સોના સમું મૂલ્ય પારખીને જ ેરાલ્ડિન ફોર્બે ચાળીસ વર્ષથી લેખિકા પાસે પડી રહે લ આ આત્મકથાની હસ્તપ્રતને જહે મતપૂર્વક સંપાદિત કરીને પ્રકાશિત કરી તે વાત આ પુસ્તકનું મૂલ્ય સાબિત કરવા માટે પૂરતી છે. આજ ે મૂળ પુસ્તકનાં લેખિકાની કલમે કંડારાયેલ સ્વતંત્રતા-આંદોલન તેમ જ ગાંધીજીના સંદર્ભની સ્મૃતિઓની વાત આપણે કરશું. વર્ષ ૧૮૯૯માં જન્મેલ શુધા મઝુમદારની આ આત્મકથા એક અનોખી આત્મકથા છે. કેમ કે તે ૨૦મી સદીના પ્રારં ભકાળના દસકામાં ભારતમાં જિવાયેલા સ્ત્રીજીવનનું સાચું ચિત્ર લઈને આવે છે. આ લેખનો હાલનો સંદર્ભ અન્ય હોવા છતાં એટલું તો લખવું જ જોઈએ કે પરં પરાવાદી સ્ત્રીજીવનમાં તે વખતના રીતરિવાજ, પડદાપ્રથા, વ્રત, ઉપવાસ, સ્ત્રી માટે અગણિત નિષેધ જ ેવી કેટકેટલી नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

સામાજિક બાબતોનું દસ્તાવેજીકરણ લેખિકા પોતાની આત્મકથામાં કરે   છ.ે પ્રસ્તુત પુસ્તકની એક વિશેષતા તેના રમૂજપ્રેરક કિસ્સાઓ પણ છે. જ ેમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તુત છે. પાશ્ચાત્ય રં ગે રં ગાયેલ, જમીનદાર પિતા તારાપદ ઘોષ અને પરદાનશીન પરં પરાવાદી માતા ગિરિબાલાની સંતાન શુધાનું બાળપણ સૂડી વચ્ચે સોપારી સમું હતું. પિતા જમવાના ટેબલ પર પોતાના મુસ્લિમ બાવરચીએ રાંધેલ માંસાહારી ભોજન જમતા. જમતાં દીકરીના મોંમાં પિતા માંસાહારી ભોજનનો ટુકડો મૂકી દેતા. પેલી નાનકડી દીકરી તરત ના પાડી ઊઠતી. ‘કેમ?’ પિતા પૂછતા. બાળકી ગોખેલો જવાબ આપતી, ‘પૂજારીજીએ સમજાવ્યું છે કે છોકરી માંસાહાર કરે તો તેનો થનાર પતિ મરી જાય.’ પોતાના પતિને ખુશ રાખવા માતા દીકરીને સમજાવતી, ‘બેટા, પૂજારીજીની વાત સાચી છે કે છોકરીઓએ માંસ ન ખવાય. એમ કરે તો દેવ રિસાય, અને પતિ મરી જાય. પણ પિતાને દુઃખી કરવા જ ેટલું મોટુ ં પાપ બીજુ ં કોઈ નથી. હં ુ તને એક મંત્ર શીખવું છુ .ં એ બોલ્યા બાદ માંસ ખાય તો પાપ નહીં લાગે.’ એ રામબાણ મંત્ર નીચે પ્રમાણે હતો. પિતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, પિતા જ પરમેશ્વર. પિતાને પ્રસન્ન કરવાથી સર્વ પાપ થાય મુક્ત. (પૃ. ૭૫) વિધિની વિચિત્રતા જુ ઓ કે આજ્ઞાકારી દીકરી 421


શુધાએ આ મંત્ર ભણતાં ભણતાં અંગ્રેજી સ્કૂલમાં બે-પાંચ વર્ષ અભ્યાસ કર્યો! ચર્ચમાં ગઈ! લગ્ન પછી સાસરે આવ્યા બાદ મંત્રમાં ‘પિતા'ની જગ્યાએ તેણે ‘પતિ’ શબ્દ મૂકી દીધો અને તે જમાનામાં સ્ત્રીજાત માટે જ ે કાંઈ નિષિદ્ધ હતું તેણે તે બધું કર્યું. એટલું જ નહીં બ્રિટિશ સરકારમાં સિવિલ સર્વન્ટ એવા પતિના નોકરીના નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા-આંદોલન તથા ગાંધીવિચારને પણ તેણે મનોમન અપનાવી લીધા. અલબત્ત પોતે કરે લ આવા અતિક્રમણનું પાપ પિતા કે પતિને ન લાગે માટે શુધા પોતાની માતાએ શીખવેલ મંત્ર ભણતી રહી. અને એમ કરતાં કરતાં એ મંત્રની જગ્યાએ ગાંધીજીના ચરખાના ગુણગાન કરતું તત્કાલીન લોકપ્રિય ગીત ગાવાનું પણ ના ચૂકી. ‘ચરખો મારો પતિ ને પુત્ર/ ને ચરખો મારો પૌત્ર,/મારો ચરખો ઝુલાવે આંગણે સમૃદ્ધિના કુંજર’ (પૃ.૧૮૩-૧૮૪). એક સિવિલ સર્વન્ટ પતિની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા-આંદોલન, કે ગાંધીવિચારનું સમર્થન આપે તે તેને માટે બરાબર નહોતું, પરં તુ આ હિં મતબાજ નવોઢા પતિની નોકરીની શરતો મંજૂર રાખીને દેશદ્રોહ કરે તેવી બીકણ નહોતી. પોતાની આત્મકથામાં તે સ્મરે છે કે ૧૯૨૨ના અંતિમ મહિનાઓ દરમિયાન ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની જાહે રાત કરે લી. પરદેશી કાપડની હોળી નજર પડે ત્યાં જોવા મળતી. માન્ચેસ્ટરમાં વણાયેલ કાપડનો બહિષ્કાર જાણે ચોરે ચૌટે થતી ચર્ચાનો વિષય બની ગયો હતો. સામા પક્ષવાળા એવો તર્ક પણ કરતા કે ભારત જ ેવા દેશને કાપડની આવી હોળી ક્યાંથી પાલવે? ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહે લું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફે રવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફૅ શન બની ગયાં હતાં. આખું ગામ અરસપરસ પૂછતું, ‘તમારે ત્યાં ચરખો ખરો?’ ‘હા, છે ને.’ ગૌરવભર્યો જવાબ મળતો. અને જ ેની પાસે ચરખો ન હોય તેની પાસે કશુંય નથી તેવો ભાવ તેને થતો. દરે કને પોતાનો હાથ ચરખા પર અજમાવવો હતો. રસ્તે કોઈ પણ 422

ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહેલું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફેરવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફૅશન બની ગયાં હતાં. આખું ગામ અરસપરસ પૂછતું, ‘તમારે ત્યાં ચરખો ખરો?’ ‘હા, છે ને.’ ગૌરવભર્યો જવાબ મળતો

મળે તો કાંતણની જ વાત થાય. ‘કાંતવાનું કેમ ચાલે છે? ‘કાંતું તો છુ ં પણ તાંતણો તૂટી જાય છે.’ ‘મારે ય એવું થાય છે. તાર લાંબો થતો નથી. મારી તકલી પર તાર લપેટવામાં તકલીફ પડે છે.’ આ પ્રકારના વાર્તાલાપો સંભળાતા. (પૃ. ૧૦૦). યુવા પેઢીમાં ચરખા પ્રત્યે અદમ્ય ઉત્સાહ હતો. હાથે વણેલ સૂતરમાંથી બરછટ ખાદી વણીને પહે રવી તે જાણે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બની ગયેલું. આ બધો ગાંધીજીનો પ્રભાવ હતો. લેખિકા લખે છે, ‘ગાંધીજીના સમર્થન સાથે ખાદી જાણે સઘળા દેશનો ‘ડ્રેસકોડ’ બની ગયેલી. ભલભલાઓ પોતાનાં ફૅ શનેબલ કપડાં છોડીને બરછટ ખાદી પહે રતા થઈ ગયેલા. ખાદીની ધોતી અને ગાંધીટોપી હવે મોસ્ટ ફૅ શનેબલ ગણાતાં. પ્રાંતીય ભાષાઓનાં વર્તમાનપત્રોમાં ખાદી અને ચરખાની ચર્ચાઓએ મોટુ ં જોર પકડેલું. મને એક મૅગેઝિનની જૅકેટ આજ ે પણ યાદ છે. આ જૅકેટ પર એક સુંદર ફે શનેબલ યુવતી લાલચટક બનારસી સાડી પહે રીને ચરખો ચલાવતી બતાવેલી! તેના અંગ પરના સોનાનાં આભૂષણોની ચમક મને આજ ે પણ યાદ છે... ખાદીના પ્રચારમાં આ તે કેવો વિરોધાભાસ! આજ ેય મને તે સમજાતું નથી. અને લાલચટક બનારસી સાડીવાળી એ સ્ત્રીના ફોટાની નીચે ‘ચરખો મારો પતિ ને પ્રેમી’ ગીત લખેલ હતું.’ (પૃ. ૧૮૪). એ ગીત શુધા જ ેવી અનેક સ્ત્રીઓ ઉમળકાથી ગાતી, જ ેની વાત આગળ થઈ ગઈ છે. [ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


‘અ પૅટર્ન ઑફ લાઇફ’ પુસ્તકમાંથી ગાંધીજી સાથે સંકળાયેલ નીચેનાં સંસ્મરણ વાંચવાલાયક   છ.ે ‘અમારા ઘરથી થોડે દૂર રોડ પરથી આવતા વંદે માતરમ્‌ના સામૂહિક ઘોષ સાંભળવાની અમને ટેવ પડી ગયેલી. હવે અમારા માટે એ રોજબરોજની ઘટના સમાન હતુ.ં એક વખતની વાત છે. મારો નાનકડો પુત્ર રોમુ ઉત્સાહપૂર્વક દોડતો આવીને મારી સોડમાં લપાયો અને રડમસ સ્વરે મને કહે ‘મા, વંદે માતરમ્ એટલે શુ?ં બધા આ ગીત કેમ ગાય છે? અને આ ગાંધી કોણ છે? શું એ કોઈ સંત છે? મને કોઈએ કહ્યું કે બ્રિટિશ સરકારે ગાંધીને જ ેલમાં મોકલ્યા છે! ધોળી પોલીસ તેને ભાલા ભોંકીને મારી નાખવાની છે! જો ગાંધી સંત હોય તો ધોળિયાઓ તેને પજવે છે કેમ? મા, મને બહુ ચિંતા થાય છે. હવે શું થશે? અને મા, મને ભૂખ પણ સખત લાગી છે.’ એક જ શ્વાસમાં મારો નાનકડો રોમુ આ બધી વાત બોલી ગયો. (પૃ. ૧૮૫). સ્વતંત્રતા આંદોલનના એ જમાનામાં ગાંધીજીના નામની બોલબાલા હતી. મારા પતિ બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા. તેમના હોદ્દાની રૂએ સ્વતંત્રતાસેનાનીઓની ગતિવિધિનો રિપોર્ટ તેમણે ટાઇપ કરીને સરકારને મોકલવાનો રહે તો. પરં તુ એ જમાનાના ગાંધીમય માહોલમાં તેમનો એ સરકારી રિપોર્ટ ગુપ્ત રાખી શકે તેવો ટાઇપિસ્ટ ક્યાંથી મળે? છેવટે હં ુ ટાઇપ કરતાં શીખી. મારા દેશબાંધવોની ગતિવિધિને લગતો બ્રિટિશ સરકાર માટેનો રિપોર્ટ મારે બે આંગળીથી ટાઇપ કરવાનો આવ્યો. મારાં આંગળાં રિપોર્ટ ટાઇપ કરતાં અને મારું મન આંદોલનકારીઓ માટે કકળતુ.ં (પૃ. ૧૯૫). તે જમાનામાં સ્વતંત્રતા માટે હિં સાનો છોછ ન રાખનાર સુભાષચંદ્ર બોઝ તથા તેમના અનુયાયીઓને લોકો ‘સ્વદેશી ડાકુ ઓ’ નામે બોલાવતા. (પૃ. ૧૯૯)... વળી પ્રત્યેક સ્વતંત્રતાસેનાની માટે એક જ નામ હતું ‘ગાંધી'. એક વાર અમારા ઘરની સામે થોડા જુ વાનિયાઓએ ભેગા થઈને રાષ્ટ્રધ્વજ લહે રાવ્યો.

જાણ થતાંની સાથે જ બ્રિટિશ પોલીસ ઑફિસરે આવીને એ ધ્વજને નાનકડા ડંડા પરથી ફૂલને ચૂંટી લે તેમ ચૂંટી લઈને ગડી કરીને પોતાના ગજવામાં મૂકી દીધો! ધ્વજ લહે રાવનાર જુ વાનિયાઓને પોલીસ પકડી ગઈ. આ ઘટનાના બીજ ે જ દિવસે કંઈક બન્યું અને પોલીસ ફરીવાર જુ વાનિયાઓને પકડી ગઈ. મેં કામવાળીને પૂછ્યું, ‘શું થયું?’ પેલી બોલી, ‘પેલા ગાંધીઓને ધોળિયા પકડી ગયા.’ (પૃ. ૨૨૬). કેવો એ જમાનો હશે? કે જ્યારે પ્રત્યેક સ્વતંત્રતાસેનાની ‘ગાંધી’ કહે વાતો હશે? અને દરે કને ચરખો કાંતવાની હોંશ હશે? દેશ માટે ફના થવાની તૈયારી હશે? લેખિકા પોતાના પુસ્તકના અંતિમ ભાગમાં જણાવે છે કે વર્ષ ૧૯૨૬ના જૂ ન મહિનાના ‘ઇલસ્ટ્રેટડે વીકલી’ મૅગેઝિનમાં તેમની ટૂ કં ી વાર્તા પ્રકાશિત થયેલી અને તે જ અંકમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદનું અગિયારમું પ્રકરણ પણ પ્રકાશિત થયેલું. સિવિલ સર્વન્ટ એવા પતિની દેશપ્રેમી પત્ની લખે છે, ‘કેવા ગૌરવની વાત! મારું કેવું ધનભાગ્ય કે એક જ અંકમાં મારું અને ગાંધીજીનું લેખન પ્રકાશિત થયેલું!’ (પૃ. ૨૦૦). આવા નાનામોટા અત્યંત સૂચક પ્રસંગો દ્વારા ગાંધીજી તથા તેમના સમયને સુપેરે વ્યક્ત કરતી શુધા મઝુમદારની આત્મકથા વ્યક્તિગત જીવનનાં સંભારણાં ઉપરાંત સ્વતંત્રતા-આંદોલન તેમજ ગાંધીના નેતૃત્વનો આંખેદેખ્યો અહે વાલ પ્રસ્તુત કરે છે. બાપુના પ્રભાવ તળે ભારતીય સ્ત્રીજીવનની ઊઘડતી જતી ક્ષિતિજોનો દસ્તાવેજ પણ આ પુસ્તક રચે છે. પરં તુ આ સઘળું લેખિકા એક ‘આઉટસાઇડર-ઇનસાઇડર'ની ભૂમિકામાં લખે છે. પોતે બ્રિટિશ સરકારના એક વફાદાર ઑફિસરની પત્ની છે તે વાત તેઓ ક્યારે ય વીસરતા નથી. તા.ક. ગાંધીસ્મૃતિના આ રમૂજભર્યા અમૂલ્ય દસ્તાવેજને વાંચ્યા વગર સુયોગ્યપણે બિરદાવી શકાય તેમ નથી. o

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

423


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

ડિસેમ્બર માસમાં ગાંધીજીનો મુખ્ય એજન્ડા પંજાબની સ્થિતિ છે, જ ે અંગે नवजीवनમાં તેમણે લખ્યું છે. જોકે, પંજાબમાં અશાંત સ્થિતિ વચ્ચે પણ તેઓ ખિલાફત આંદોલન અંગે લોકોને જાગ્રત કરે છે. ખિલાફતનું આંદોલન ઠર્યું નથી અને તે વિશે ગાંધીજી સભાઓમાં વિસ્તારથી હિં દુ પક્ષે આ આંદોલનમાં કેમ મદદ કરવી જોઈએ તે અંગે તર્ક આપે છે. એક સ્થાને ભાષણમાં તેઓ કહે છે : “આપણે એક પ્રજા હોઈએ, જો આપણે ભાઈપણાનો દાવો કરતા હોઈએ તો હિં દુ, પારસી, ઈસાઈ, યહૂદી જ ેઓ હિં દમાં જન્મ્યા છે તેઓની સ્પષ્ટ ફરજ છે કે તેઓએ પોતાના દેશભાઈ મુસલમાનોને તેમના દુઃખમાં મદદ કરવી.” મદદ કરીને તે અંગેનો દૃષ્ટિકોણ કેવો રાખવો તેની પણ ગાંધીજીએ રે ખા દોરી બતાવી છે, તેઓ કહે છે : “મદદ બદલો માગે છે તે ભાડૂ તી મદદ છે. તે ભાડૂ તી મદદ એ ભાઈચારાની નિશાની ન કહે વાય. ભેગવાળી સિમેંટ જ ેમ પથ્થર બાંધી નથી શકતી તેમ જ ભાડૂ તી મદદથી ભાઈબંધી ન થાય.” લડતમાં સામેલ થવું અને જાહે ર કાર્યોમાં ‘શુભ પરિણામ’ લાવવા માગતા હોઈએ તો જાત પાસેથી ઊંચી અપેક્ષાય રાખવાનું ગાંધીજી સૂચવે છે. એક સભામાં તેઓ કહે છે : “આપણે ધીરજ, દૃઢતા, સત્ય, નિર્ભયતા, ઇત્યાદિ ગુણોનું સેવન કરવું પડશે. સારાં કામો કર્તાનાં અશક્તિ, અજ્ઞાન, મૂર્ખાઈ, ઉતાવળ, રોષથી બગડેલાં આપણે જોઈએ છીએ. આપણે હાથેથી ખૂનામરકી ન કરવી એટલું જ બસ નથી. જીભથી પણ ખૂનો થયાં આપણે જોયાં-સાંભળ્યાં છે. તેથી આપણે જ ેમ હાથપગને વશ રાખવાની જરૂર છે તેમ જ આપણી જીભને વશ રાખવાની જરૂર છે.” ગાંધીજીનાં લખાણ, પ્રવાસ અને મુલાકાતોની વિગતોમાંથી પસાર થઈએ ત્યારે જાહે રજીવનની વ્યસ્તતા અને તેની મુશ્કેલીનો અંદાજ પણ આવે છે. તેઓ આ મહિનામાં દિલ્હીથી અમૃતસર ત્યાંથી લાહોર, ગુજરાનવાલાનો પ્રવાસ ખેડીને ફરી દિલ્હી આવે છે. દિલ્હીમાં ખિલાફત પરિષદમાં બે દિવસ ભાગ લઈને ફરી લાહોર અને ગુજરાનવાલાનો પ્રવાસ ખેડ ે છે. ગાંધીજીના જીવનમાં અતિ પ્રવાસનો ક્રમ ખૂબ ઓછા ઠેકાણે તૂટ્યો છે. આ વચ્ચે नवजीवन અને यंग इन्डिया અર્થે લખાણ પણ લખી રહ્યાં છે અને પત્રોનો ક્રમ તો હં મેશની જ ેમ નિયમિત છે. नवजीवनમાં લખેલા ‘સ્વદેશીમાં સ્વરાજ’ લેખમાં એક વાક્ય જ હિં દુસ્તાનનું પોત તેઓ કેવી રીતે ઓળખી શક્યા હતા તેનો ઉત્તમ નમૂનો છે, તેઓ લખે છે : “ગૃહઉદ્યોગ સિવાય હિં દુસ્તાનના ખેડૂતનું તો આવી જ બન્યું સમજવું.” ગાંધીજીના લખાણમાં વેરાયેલાં મોતી તો અનેક ઠેકાણે મળે છે. બ્રિટિશ પત્રકાર એડમંડ કૅ ન્ડલરે લખેલાં પત્રમાં તેઓ લખે છે કે, “સત્યના વિકટ માર્ગે ચાલતાં અને તેને અનુસરતાં મેં ક્વચિત્ મારા વહાલામાં વહાલા જીવોને એટલે કે સ્ત્રી અને પુત્રોને પણ મૂંઝવણમાં મૂક્યાં હશે, પણ તેથી એમ ઠરતું નથી કે હં ુ મારાં વહાલાંઓનો વિરોધી હતો. તેવી જ રીતે હં ુ બ્રિટિશનો વિરોધી હોઈ શકું નહીં.”

424

ડિસેમ્બર  ૧૯૧૯

૧ રામનગર. હાફીઝાબાદ. ૨ હાફીઝાબાદ. સાંગલા. ૩ સાંગલા. ૪ લાહોર. અમૃતસર. ૫ શેખપુરા : ઉતારો હોશકરાયને ત્યાં. ૬ લાહોર ચુહારખાના. ૭ ચુહારખાના. લયલાપુર. ૮ લયલાપુર.

૯ લાહોર. ૧૦ લાહોર : થી નીકળ્યા. ૧૧ દિલ્હી : આવ્યા; ઉતારો સૅંટ સ્ટિવન્સ કૉલેજમાં પ્રો. રુદ્રને ત્યાં. સેવા મંડળના ઉત્સવમાં પ્રવચન. કોર્ટના તિરસ્કારના મુદ્દા અંગે મુંબઈ હાઈકોર્ટને લખી દીધું કે તમારી સૂચના મને માન્ય નથી. વધુમાં, તમે જ ે સજા

[ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કરશો તે માથે ચઢાવીશ.1 બ્રિટિશ ગીઆનામાં હિં દીઓના વસવાટની યોજના લઈને આવેલું પ્રતિનિધિમંડળ મળવા આવ્યું. ૧૨થી ૨૨ લાહોર. ૨૩ દિલ્હી : ખિલાફત પરિષદમાં હાજર. ૨૪ દિલ્હી : ખિલાફત પરિષદમાં હાજર. જાહે ર સભા.

1. અમદાવાદમાં વકીલાત કરતા, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, જીવણલાલ વ્રજરાય દેસાઈ, ગોપાલરાવ રામચંદ્ર દાભોલકર, કૃ ષ્ણલાલ નરસિંહલાલ દેસાઈ, મણિલાલ વલ્લભરામ કોઠારી, કાળીદાસ જસકરણ ઝવેરી વગેરેએ સત્યાગ્રહ પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ કરે લી હોવાથી, એમને વિશે કાંઈ કરવા જ ેવું છે કે કેમ તે અંગે, ડિસ્ટ્રીક્ટ જજ મિ. કેનેડીએ તા. ૨૨-૪-૧૯ના રોજ મુંબઈ હાઈકોર્ટને પત્ર લખ્યો હતો. આ પત્ર ‘યંગ ઇન્ડિયા’ના તા. ૬-૮-૧૯ના અંકમાં છપાયો હતો. અને એ જ અંકમાં એ વિશે ‘Shaking Civil Resisters’ શીર્ષકવાળી નોંધ તંત્રીએ (ગાંધીજીએ) લખી હતી. આ બંને ‘ગુના’ અંગે માફી માગવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું. એના જવાબમાં આ પત્ર લખવામાં આવ્યો.

૨૫ અમૃતસર. ૨૬ અમૃતસર : બ્રિટિશ ગીઆનાવાળું પ્રતિનિધિમંડળ મળવા આવ્યું. સ્થળ કૃ ષ્ણમંદિર. ૨૭ અમૃતસર : જીવદયા પરિષદમાં પ્રમુખપદે. ૨૮ અમૃતસર : સામાજિક કૉંગ્રેસમાં દલિત કોમો વિશે બોલ્યા; પ્રમુખ હં સરાજ, સ્થળ કૉંગ્રેસ મંડપ. ૨૯ અમૃતસર : કૉંગ્રેસની બેઠકમાં હાજર, દક્ષિણ આફ્રિકાના હિં દીઓની હાડમારી અંગેનો ઠરાવ રજૂ કર્યો. ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગની બેઠકમાં હાજર, સ્થળ વંદેમાતરમ્ હૉલ. ૩૦ અમૃતસર : કૉંગ્રેસની બેઠકમાં, પંજાબ અને ગુજરાતમાં થયેલાં રમખાણો વખોડતો ઠરાવ રજૂ કર્યો. ૩૧ અમૃતસર : કૉંગ્રેસની બેઠકમાં હાજર. ખિલાફત પરિષદમાં હાજર.

o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

જાન્યુઆરી, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી

સુશ્રી ભારતીબહે ન દી. ભટ્ટ, હિસાબ વિભાગ સોમનાથ ર. જોષી, બાઇન્ડિંગ વિભાગ અશોકભાઈ ર. દાતણિયા, બાઇન્ડિંગ વિભાગ રાજેન્દ્રભાઈ રા. મૌર્ય, બાઇન્ડિંગ વિભાગ શંકરજી દો. ઠાકોર, બાઇન્ડિંગ વિભાગ કાનજીભાઈ શા. પરમાર, બાઇન્ડિંગ વિભાગ શશિકાંત ભા. ભાવસાર, ઑફસેટ વિભાગ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

• જ. તા. ૩૦–૦૧–૧૯૬૦ • ૧૮–૦૧–’૬૦ • ૨૭–૦૧–’૫૯ • ૨૫–૦૧–’૬૬ • ૨૮–૦૧–’૬૫ • ૨૫–૦૧–’૬૦ • ૩૦–૦૧–’૫૯

425


નવજીવનમાં સરદાર કથા દિવ્યેશ વ્યાસ

મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી તથા ગાંધીજી

સ્થાપિત નવજીવન સંસ્થાની શતાબ્દીના મંગળ ટાણે નવજીવન દ્વારા ૧૬-૧૭ નવેમ્બરે બે-દિવસીય સરદાર કથાનું આયોજન કરાયું હતું. બે દિવસ સરદારના જીવનકાર્ય વિશે વક્તવ્ય આપતાં ‘ગ્રામગર્જના’ તંત્રી મણિલાલ એમ. પટેલે જણાવ્યું હતું કે વલ્લભભાઈમાં હતા તેવા લડાયક નેતા, સૈનિક, સેનાપતિ, સેવક, શાસક, સંગઠક અને સાધુના વિશિષ્ટ ગુણો એકસાથે ભાગ્યે જ કોઈ નેતામાં જોવા મળે. વડાપ્રધાનપદ સ્વેચ્છાએ જતું કરીને તેમનો અનાસક્ત, ત્યાગી અને સાધુચરિત વ્યક્તિત્વની દેશને પ્રતીતિ કરાવી છે. ભારતનો નકશો, સોમનાથ મંદિર, અમૂલ, નર્મદા યોજના અને વલ્લભવિદ્યાનગર તેમનાં જીવંત સ્મારકો છે. સરદાર કોઈ જ્ઞાતિ કે ધર્મના નહીં પણ દેશપ્રેમી કડક શાસક હતા. તેમણે ગાંધીના આદર્શો ને સિદ્ધાંતોને જીવનભર સમજપૂર્વક અપનાવ્યા હતા. મણિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરદારમાં વીરવૃત્તિ ભારોભાર હતી, પરં તુ વેરવૃત્તિ તલભાર પણ નહોતી. આઝાદી આંદોલનના અન્ય નેતાઓએ પોતાની ડાયરી લખી, આત્મકથા કે સંસ્મરણો લખ્યાં, પરં તુ સરદારે ભાગ્યે જ કશું લખ્યું હોવાથી તેમના નામે ઘણી ગેરસમજો અને ખોટી માહિતી ફે લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સરદારના મૃત્યુને આટઆટલાં વર્ષો થયાં છતાં લોકો માને છે કે સરદાર જ ેવા નેતા હોવા જોઈએ, સરદાર દેશના પહે લા વડાપ્રધાન હોવા જોઈતા હતા, - એ બતાવે છે કે આ નેતાની કીર્તિ આજ ે પણ લોકોના હૃદયમાં જીવંત છે. સરદાર એક માત્ર નેતા ગણાતા જ ેઓ ગાંધીજીને પણ મોઢામોઢ પોતાની વાત કહી શકતા. પરં તુ નોંધનીય છે કે સરદાર આજીવન ગાંધીજીના શિસ્તબદ્ધ અને સમર્પિત સિપાઈ રહ્યા હતા. ઘણા લોકો ગાંધી અને સરદાર વચ્ચે ભાગલા પાડીને જુ એ છે પણ

426

આપણે ન ભૂલવું જોઈએ કે સરદાર ગાંધીચીંધ્યા માર્ગે જ ચાલ્યા હતા. જો ગાંધીજી ન હોત તો આ દેશને સરદાર મળ્યા ન હોત. સરદારને દેશના પહે લા વડાપ્રધાન નહિ બનવાનો જરાય અફસોસ કે અસંતોષ હોય એવું ક્યાંય જોવા મળતું નથી. ઊલટુ ં નાયબ વડાપ્રધાન તરીકે તેમણે સક્રિયતા દાખવી હતી. બંધારણની રચના હોય કે વિભાજન પછીની સ્થિતિને થાળે પાડવાની કામગીરી હોય કે પછી રજવાડાંઓનું ભારતમાં વિલીનીકરણ હોય, સરદારે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી અને એકથી વધુ ભાષણોમાં જવાહરલાલ અમારા નેતા છે, એવું બોલેલા છે. નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા, પરં તુ તે સામાન્ય પ્રકારના હતા અને તેમને બંનેને પરસ્પર સ્નેહ અને સન્માનની ભાવના હતી. સરદાર જમણેરી હતા, મૂડીવાદીઓના મિત્ર હતા કે મુસ્લિમવિરોધી હતા, એવા આક્ષેપો કેટલા ખોટા હતા, એની વાત પણ તથ્યો સાથે મણિલાલ પટેલે રજૂ કરી હતી. મણિભાઈએ સરદારનો નવજીવન સાથેનો નાતો પણ સંભાર્યો હતો. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકેની સરદારની યશસ્વી કામગીરીને યાદ કરીને જણાવ્યું હતું કે અમદાવાદમાં આજ ે પણ સરદારસાહે બનાં અનેક જીવંત સ્મારકો મોજૂ દ છે.

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હતી. કથાનું આયોજન ને વ્યવસ્થા नवजीवनનો અક્ષરદેહના સંપાદક કિરણ કાપુરે, મિલન ઠક્કર તથા ધર્મેશભાઈ વગેરેએ સફળતાપૂર્વક જહે મત ઉઠાવીને કર્યાં હતાં. સર્વધર્મપ્રાર્થનાનું ગાન ગૌતમ પટેલે કર્યું હતું. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠનાં કુ લપતિ ને ગાંધીઆશ્રમનાં અધ્યક્ષા ઇલાબહે ન ભટ્ટ, વરિષ્ઠ પત્રકારો પ્રકાશ ન. શાહ, હરિ દેસાઈ, ટીના દોશી, સર્વોદય અગ્રણી હસમુખ પટેલ, મંદા પટેલ, નવજીવનના ટ્રસ્ટીઓ વિવેક દેસાઈ, યોગેશભાઈ શાહ, કપિલ રાવલ, કાલુપુર બેંકના ડિરે ક્ટર કૌશિક પટેલ, ડૉ. પ્રભુદાસ પટેલ, ગાંધી કથાના ગીતગાયિકા ભદ્રાબહે ન તથા વિક્રમભાઈ સવાઈ, સરદાર સ્મૃતિ ટ્રસ્ટના મહે ન્દ્ર ચાવડા, ડૉ. ગીતેશ શાહ, અમૂલ કામદાર મંડળના મહામંત્રી અરુણ દેસાઈ, પૂર્વ રોટરી ગવર્નર જોઈતારામ પટેલ અને ‘સરદારજ્યોત’ના તંત્રી ભીમજી નાકરાણી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અનુકૂળતા મુજબ ઉપસ્થિત રહ્યાં હતાં.

મણિભાઈએ સરદારની રમૂજોને યાદ કરીને શ્રોતાઓમાં આનંદની છોળો ઉડાડી હતી તો સરદારના જીવનના લાગણીસભર પ્રસંગોની રજૂ આત કરીને લોકોની આંખો પણ ભીની કરી હતી. સરદારકથામાં વલ્લભભાઈના જીવનના હૃદયસ્પર્શી પ્રસંગો, મહત્ત્વપૂર્ણ ઘટનાઓ, સરદારના ગુણો અને આઝાદી-આંદોલનમાં તેમની ભૂમિકા તથા આઝાદ ભારતમાં દેશના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનની ઝલક આપવામાં આવી હતી. કથામાં ગાંધીજી, નેહરુ, સુભાષચંદ્ર વગેરે રાષ્ટ્રીય નેતાઓ સાથેના સરદારના સંબંધો, પત્રો ને લખાણો સાથે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રારં ભમાં તેમણે ગાંધી, સરદાર અને નવજીવન વચ્ચેના નાતાની વિગતો આપી હતી ને જણાવ્યું હતું કે કથા કોઈ રાષ્ટ્રીય નેતાને વગોવવા કે વખોડવા નહીં પણ સરદારનાં જીવન કાર્યને ઉજાગર કરવા માટે છે. આ પ્રસંગે નવજીવનના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈએ સ્વાગત-પ્રવચન તથા આભારવિધિ કરી o

૱ 500

ÝíÜïÜÜì ôÜعÍÜÚÏÜÜØ ¡å‰†å ´ÜÜå ÄÜÜØÁÜß, ÃÜå÷Óà †ÃÜå ÆÜüåêÜÃÜÜ ÆÜÂÑÜÜôÜÜåÃÜÜ ‘ÜÓ±Üå †Ü”Ü¹ ÍÜÜÓ´Ü ô³ÜÆÜÜÑÜàØ †ÃÜå ïÜÞø´ÜíÜØ´Ü ËÜÃÑÜàØ. ÄÜÜØÁÜßÃÜß ËÜÜËÜ´ÜÏÜÜØ ÉÓè †¹Ü ‘ÓíÜÜ ÆÜâÓ´ÜÜå †ÃÜå ÃÜå÷ÓàÃÜß ËÜÜËÜ´ÜÏÜÜØ ÆÜâÓ´ÜÜ ÆÜÂÏÜܱÜÏÜÜØ †Ü ÷‘ß‘´ÜÜåÃÜÜå ôíÜß‘ÜÓ ‘Óß êÜåíÜÜÏÜÜØ †ÜíÜå “å, ÆÜ±Ü ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †Ü ôíÜß‘äÝ´Ü †Ý´ÜïÜÑÜ ÏÜÑÜÜÚݹ´Ü ÆÜÂÏÜܱÜÏÜÜØ ÏÜìß “å. ôÜØ™ÜÆÜÂÏÜàƒÜ ÓÜèåúÆÜÂôÜܹå ôÜÃÜ 1959ÃÜÜ ÏÜå ÏÜÜôÜÃÜß 13 ´ÜÜÓ߃Üå ÆÜÜå´ÜÜÃÜß ²ÜÑÜÓßÏÜÜØ ÃÜÜÇÁÑÜàØ “å ´ÜåÏÜ ``èåÃÜÜ ÝíÜïÜå ÝíÜœÜÜÓ ‘Óß ïÜ‘ÜÑÜ †ÃÜå íÜÜ´Ü ‘Óß ïÜ‘ÜÑÜ ´ÜåíÜàØ ÍÜÜÓ´Ü †Ýô´Ü´íÜÏÜÜØ “å, ´ÜåÃÜÜå ÑÜïÜ ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜß ÏÜà´ôܼßÄÜßÓß †ÃÜå ôÜàÀ° íÜ÷ßíÜüß ‘àÃÜå÷ÃÜå ÉÜìå ¡ÑÜ “å.'' ÓÜèåúÆÜÂôÜÜ¹å ‹ÏÜåÑÜàÛ “å ``´ÜåÏÜ “´ÜÜØ †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ †ÜÆܱÜå ´ÜåÏÜÃÜß ‹ÆÜåšÜÜ ‘Óß ÓûÜ “߆å.'' †ÜÁÜàÝÃÜ‘ ÍÜÜÓ´ÜÃÜÜ †å‘ †Ý´ÜïÜÑÜ ÃÜÜÇÁÜÆÜÜµÜ ôÜàÆÜàµÜÃÜÜ ¢íÜÃÜ ÆÜÓ ÆÜܳÜÓíÜÜÏÜÜØ †ÜíÜåêÜÜå †Ü °ÜØ‘ÝÆÜ“Üå²Üå ´ÑÜÜÓ ÆÜ“ßÃÜÜ ‘ÜìÏÜÜØ ÆÜ±Ü øÑÜÜÓå‘ è †ÃÜå †ÆÜâÓ´ÜÜ ÆÜÂÏÜܱÜÏÜÜØ ‹«ÜíÜÜÑÜÜå “å. †Ü Æܲ¹Üå ôÜØÆÜâ±ÜÚ´Ü: ‹«ÜíÜß êÜåíÜÜå †ÃÜå ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜàØ ¢íÜÃÜ †ÜèÃÜß ÆÜå°ßÃÜß ÃÜèÓÏÜÜØ †Ü±ÜíÜàØ ´Üå ôܹÖÍÜÜÄÑÜ ÏÜÃÜå ôÜÜØÆܲÒàØ “å. ôÜÓ¹ÜÓÃÜß ‘³ÜÜ ÆÜâ±ÜÚ ÏÜÜÃÜíÜßÃÜß ‘³ÜÜ ÃܳÜß. ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜß ÏÜÑÜÜڹ܆Üå “àÆÜÜíÜß Ó܃ÜíÜÜÃÜß ÏÜÜÓß ‡œ“Ü ÃܳÜß †ÃÜå ÏÜÇ †ÜíÜÜå ÆÜÂÑÜÜôÜ ÆÜ±Ü ‘ÑÜÜåÚ ÃܳÜß. ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜÜ ¢íÜÃÜ †ØÄÜå ¡±Ü‘ÜÓß ÏÜåìíÑÜÜ ÆÜ“ß ³ÜÜå²Ü™Ü±ÜÜ ƒÜÓÜ êÜÜå‘ÜåÃÜå ôÜÏÜè ÆܲïÜå ‘å ôÜØèÜåÄÜÜå ôÜÜÓÜ ÷ÜåÑÜ ´ÑÜÜÓå, ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †÷ÜåÍÜÜíܳÜß ÑÜܹ ‘ÓíÜÜ ¡å‰†å †ÃÜå èÏÜÜÃÜÜå ËÜÜÓß‘ †ÃÜå ¹à:ƒÜ¹ÜÑÜß ÷ÜåÑÜ ´ÑÜÜÓå ÍÜÜÓ´ÜÃÜß ´ÜÜ‘Ü´ÜÃÜÜ ‹¹Ü÷Ó±ÜéÆÜå ´ÜåÏÜÃÜß ÑÜܹ ´ÜÜ¢ ‘ÓíÜß ÆܲïÜå. †Ü”ܹ ÍÜÜÓ´ÜÃÜÜ ÆÜ÷åêÜÜ íÜ²Ü ÆÜÂÁÜÜÃÜÃÜß ÆÜôÜعÄÜß ‘ÓíÜÜÃÜß šÜ±Üå ÏÜ÷Ü´ÏÜÜ ÄÜÜØÁÜ߆å ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †ÃÑÜÜÑÜ ‘ÑÜÜåÚ ÷´ÜÜå ‘å ÃÜ÷Î ´Üå œÜœÜÜÚ †íÜÜÓÃÜíÜÜÓ ‹ÆÜܲíÜÜÏÜÜØ †ÜíÜå “å. †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ ÏÜÜÓàØ ôÜØïÜÜåÁÜÃÜ ÏÜÇ †Ü ÄÜÂسÜÏÜÜØ Óèâ ‘ÓåêÜàØ “å. ÏÜ÷Ü´ÏÜÜ¢†å †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ ôÜÓ¹ÜÓ ¡å²å †ÃÑÜÜÑÜ ‘ÑÜÜåÚ “å, ´ÜåíÜàØ ‘åüêÜÜ‘ êÜÜå‘ÜåÃÜàØ ÆÜÂÝ´ÜÆÜܹÃÜ †Ü ÄÜÂØ³Ü ê܃ÜíÜÜ ÏÜÜüå ÏÜÃÜå ÆÜÂåÓ±ÜÜ †ÜÆÜÃÜÜÓ ÆÜÝÓËÜìÜåÏÜÜØÃÜàØ †å‘ ÏÜ÷¶íÜÃÜàØ ´Ü¶íÜ “å. †ÜíÜÜå †ÃÑÜÜÑÜ ³ÜÑÜÜå ÷ÜåÑÜ ´ÜÜå ÏÜ÷Ü´ÏÜÜÃÜÜ ÆÜÜæµÜ ´ÜÓß‘å ´ÜåÃÜàØ ³ÜÜå²àØ íÜì´ÜÓ œÜâ‘íÜß ¹åíÜÜÃÜàØ íÜÜèËÜß ÄܱÜÜÑÜ. †Ü ‹ÆÜÓÜØ´Ü ÆÜÜå´ÜÜÃÜÜ ÓÜóü×ÃÜÜ ™Ü²íÜæÑÜÜ ÆÜ´ÑÜåÃÜàØ ÃÜÜÄÜÝÓ‘ ¸±Ü œÜâ‘íÜíÜÜÃÜÜå ÆÜ±Ü ÏÜÇ ÆÜÂÑÜÜôÜ ‘ÑÜÜåÚ “å. [ÆÜÂô´ÜÜíÜÃÜÜÏÜÜسÜß üâØ‘ÜíÜßÃÜå]

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

ÓÜèÏÜÜå÷ÃÜ ÄÜÜØÁÜß

427


નવજીવનનાં નવાં પ્રકાશનો પાંચ પ્રેરક જીવનચરિત્રોને રજૂ કરતું પુસ્તક આતમનાં અજવાળાં • લે. મુકુલ કલાર્થી મુકુલભાઈ કલાર્થીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે પોતાની કલમથી જીવનચરિત્રો, જીવનપ્રસંગો, જીવનઘડતરનાં પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય તથા બાળસાહિત્યનાં ઉત્તમ પ્રકાશનોનું સર્જન કર્યું છે. પાંચ પ્રેરક જીવનચરિત્રો ધરાવતાં પુસ્તક આતમનાં અજવાળાં તેમાંનું જ એક મોતી છે. આ પુસ્તકમાં જ ે પાંચ મહાનુભાવોનાં જીવન લઘુસ્વરૂપે લખાયાં છે, તેમાં એક છે લોકમાન્ય ટિળક. સ્વરાજનો મંત્ર જ ેટલે દરજ્જે તેમણે જપ્યો તેટલે દરજ્જે બીજા કોઈએ નથી જપ્યો. સ્વરાજ મેળવવાની પોતાની અધીરાઈનો ચેપ તેમણે પ્રજાને લગાડ્યો. મુકુલભાઈએ એ જ રીતે સરળતા અને નમ્રતાની મૂર્તિ સમા, સ્વતંત્ર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજ ેન્દ્રપ્રસાદનું જીવન પણ આ પુસ્તકમાં રસપ્રદ રીતે આલેખ્યું છે. સ્વામી વિવેકાનંદનું જીવન હરહં મેશ પ્રેરણાદાયી રહ્યું છે અને માનવસેવાની ભેખ ધરનારા સ્વામી વિવેકાનંદનાં જીવનને આ પુસ્તકમાં લઘુસ્વરૂપે રજૂ કરીને વિવેકાનંદનાં જીવનની જાણવાલાયક વિગતોને મુકુલભાઈએ આપણી સમક્ષ મૂકી આપી છે. આ ઉપરાંત પાલિ ભાષાના પ્રખર પંડિત ધર્માનંદ કોસંબીજી અને માનવપ્રેમ, પરોપકાર, સેવાભાવના સરોહર જયશંકર પીતાબંરદાસ ત્રિવેદીનાં જીવનની ઝલક પણ આ પુસ્તકમાં મળે છે. [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 128, રૂ. 100] ક્ષણભંગુર જીવનનાં અસત્યને અને શાશ્વત જીવનનાં સત્યને સમજાવતું પુસ્તક સૉક્રેટિક ડાયલૉગ્ઝ

• લે. પ્લેટો, ભાષાંતર : ચિતરં જન વોરા

પ્લેટોએ લખેલા આ ચાર વાર્તાલાપમાં સૉક્રેટિસનાં જીવનની ઝલક છે. તેમાં પ્લેટોને સહજસિદ્ધ સર્જક-કલાનાં સામર્થ્યથી સૉક્રેટિસની જીવંત અને આદર્શરૂપ ગણાય તેવી મહાન પ્રતિભાનું યથોચિત નિરૂપણ પણ થયું છે. જોકે પહે લા ત્રણ વાર્તાલાપમાં સૉક્રેટિસની વાણીના શબ્દેશબ્દનો અહે વાલ ક્યાંક ચુકાયો પણ હોય; તેમ છતાં, તેમાં સૉક્રેટિસનાં નિરાડંબર વ્યક્તિત્વની ભવ્યતાનું વાચકને સચોટ આકલન થાય છે, એમાં શંકા નથી. સૉક્રેટિસના પ્રશ્નો, એમની પ્રખર બૌદ્ધિક તર્ક-પદ્ધતિ, ચર્ચામાં એમની ખંડન અને પ્રસ્થાપનાની પારદર્શક રીત તેમ જ એમની નૈતિકતા માટે રસમય શોધમાં લઈ જતી અદભુત સંવાદ-કલા તથા તેમની વક્રોક્તિ અને સંસ્કારિતા; બધું જ બતાવે છે કે સૉક્રેટિસ કેવા હતા! જ્યારે , બીજી બાજુ , છેલ્લા વાર્તાલાપ ‘ફીડો’માં આપણે ઇતિહાસ–પુરુષ સૉક્રેટિસનું ઊર્ધ્વીકરણ પામેલું રૂપાંતર જોઈએ છીએ, તેમાં એક આદર્શ તત્ત્વજ્ઞાની તરીકે એ દેખાય છે. પ્લેટોના મનમાં વિકાસ પામેલા સૉક્રેટિસના આદર્શવાદ કે અધ્યાત્મવાદી તત્ત્વજ્ઞાનના વિચારનું જ તેમાં એક વિશિષ્ટ પ્રતિનિધિત્વ જોવા મળે છે. [પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 168, રૂ. 200]

428

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ખરો વિકાસ કોને કહે વાય તેની સ્પષ્ટતા કરતું પુસ્તક દેશ : દર્શન અને માર્ગદર્શન • લે. ધીરુભાઈ મહે તા, સંપાદન : અપૂર્વ દવે જવાહરલાલજીને આધુનિક ભારત જોઈતું હતું અને સરદાર પટેલને મજબૂત ભારત જોઈતું હતું; કોઈને પણ ગાંધીજીના સ્વપ્નનું ભારત નહોતું જોઈતું, આ દેશની પૂર્ણ વિશ્વમાં જ ે આબરૂ છે એ ‘પોતડીધારી ફકીર’ અને તેણે કહે લી વાતો માટે છે, ગાંધીજી આજ ે પ્રસ્તુત છે કે નહીં એ સવાલ નથી, સવાલ એ છે કે એમને રસ્તે ચાલવાની આપણી તૈયારી કેટલી છે? આવાં આ પુસ્તકમાંના વિધાનો અને તેમાંની બીજી કેટલીય વાતો ક્યાંક સંદર્ભ બને એવાં છે તો ક્યાંક પ્રેરણા અને ક્યાંક અભ્યાસનો વિષય બને એવાં છે. ટૂ કંમાં, આ પુસ્તકના પાને પાને એક સ્પષ્ટ વક્તાના વિચારો ઝળકે છે. [અપૂર્વ દવે લિખિત પુસ્તકની પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 138, રૂ. 175]]

વિરલ વિભૂતિઓના વિચારો-કાર્યોને રજૂ કરતું પુસ્તક ગાંધીજન તો એને રે કહિયે… • લે. ધીરુભાઈ મહે તા, સંપાદન : અપૂર્વ દવે

ગાંધીજીની નિકટ રહે લા તથા તેમના વિચારોને જીવનમાં વણી લેનારા અનેક લોકો જોવા મળશે, ...ધીરુભાઈ પણ એ જ સંગતમાં રહે નારી વ્યક્તિ છે. તેમણે પણ ગાંધીવિચારોને જીવનના મૂળ મંત્રો બનાવ્યા છે. આ એવા લેખો છે, જ ે લખવાનું કોઈએ કહ્યું ન હતું, પરં તુ વખતોવખત એ વિરલ વિભૂતિઓના વિચારો-કાર્યોની પ્રસ્તુતતા વર્તાઈ ત્યારે હૃદયમાંથી ઊભરે લી ધીરુભાઈની લાગણીઓનું એ શબ્દસ્વરૂપ છે. પુસ્તકમાં ગાંધીજી અને તેમનો પરિવાર તથા કસ્તૂરબા ગાંધીના નામે રચાયેલી સંસ્થાઓના કાર્યની ઝલક પણ આવે છે, કારણ કે ગાંધીજીને વ્યક્તિ તરીકે મૂલવીએ ત્યારે તેમનાં કાર્યોની વાત આવ્યા વગર રહે નહીં. જ ેવું બોલ્યા એવું ચાલ્યા એ સંત હતા. ગાંધીજી ફક્ત આઝાદી અપાવીને ચાલ્યા ગયા નથી, તેમણે આઝાદ ભારતને કેવી દેન આપી છે, તેમના કારણે લોકોનાં જીવન કેવાં બદલાયાં અને તેને લીધે એ લોકોએ અન્યોનાં જીવનને સુધારવા માટે કયાં કયાં કાર્યો કર્યાં તેની વાતો દરે ક વાચકને સમૃદ્ધ કરશે. [અપૂર્વ દવે લિખિત પુસ્તકની પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 112, રૂ. 125]

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૯]

429


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍક્સ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટ રૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લો તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

430

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વર્ષૹ ૦૭ સળંગ અંકૹ ૮૦ •

અંકૹ ૧૨ ડિસેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે

ગાંધી – સરદાર – નેહર‌ુ

૧. મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી. . . . . . . . . . . . . . . . . . . . . . પ્રકાશ ન. શાહ . . ૩૯૯

૨. દેશના સરદાર, ગાંધીજીના સિપાઈ . . . . . . . . . . . . . . . . . . . . . ઉર્વીશ કોઠારી . . ૪૦૩ ૩. લોકાધિકારી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ . . ૪૧૧

સાજસજ્જા

૫. ‘ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ–૧૯૧૪-૧૯૪૮’ : પુસ્તકની ભીતર.સોનલ પરીખ . . ૪૧૮

કપિલ રાવલ અપૂર્વ આશર

૬. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી : ભાગ-૬. . . . . . . . . ડૉ. રં જના હરીશ . . ૪૨૧

૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં . . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૪૨૪ ૯. નવજીવનનાં નવાં પ્રકાશનો . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૪૨૮

વાર્ષિક લવાજમ ઃ

લવાજમ અંગે

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

િાડીલાલ ડગલી

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

વિદેશ િસિાટનાં સંભારણ

દુિનયાના દેશો િવશેની માિહતી તો સંખ્યાબંધ ટૂ�રસ્ટ ગાઇડોમાં મળે છે. દરેક દેશ ઉપર સંખ્યાબંધ પુસ્તકો પણ મળે છે તો �વાસકથાની શી જરૂર? તમને �પાન ઉપર બસો પુસ્તકો મળે, પણ રવીન્�નાથ �પાન �ય ત્યારે તેમની આંખે નવું જ �પાન દેખાય. વ્ય�ક્તએ વ્ય�ક્તએ �વાસકથા બદલાતી રહે. �વાસકથાનું ખરું મૂલ્ય એ છે કે એ �દેશનો લેખકના િચ�માં શો �િતભાવ પડ્યો? આવો �િતભાવ �ટલો આગવો તેટલી �વાસકથા સાિહત્યની વધુ ન�ક.

વિતેન્દ્ર દેસાઈ

વિદેશ િસિાટનાં સંભારણાં

વિતેન્દ્ર દેસાઈ

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������������������������������� ૪૩૦

લવાજમ મોકલવાનું સરનામું

ભાઈશ્રી જિતેન્દ્ર દેસાઈ લંડ ન કૉલેિ ઑફ જરિનન્ટગ ં માં મુદ્રણકળા શરીખવા માટે ગયા તે દરજમયાન તેમણે ઇંગલૅંડ મનનરી આંખ ઉઘાડરી રાખરી હતરી. એક વરસ પછરી દેશ આવયા તયારે તે રિવાસનરી માં લેખમાળા શરૂ કરરી. હવે ‘જવદેશ વસવાટનાં સંભારણા ગ્ંથરૂપે આવયું છે તે આપણ ં’ રી ભાષા માટે સારા સમાચ ાર છે. રિવાસકથાનું ખરં મૂલય એ છે કે એ રિદેશનો લેખકના જચત્તમ ાં શો રિજતભાવ પડ્ો? આવો રિજતભાવ િ ેટલો આગ વો તેટલરી રિવાસકથા સાહહ તયનરી વધુ નજીક. લેખકનરી આંખમાં જશશુસહિ કુ તૂહલ છે. આવા કુ તૂહલ સાથે ઝરીણ રી આંખે જોવાનરી ટેવ ભળે તયારે કજવતા અને જીવન એકસાથે વહે વા માંડ.ે આથરી એમનરી રિવાસકથા બુજધિ અને હૃદય બંનેને સંતોષ પમાડ ે છે. આ રિવાસકથામાં એક રિકારનરી એવરી નક્કરતા છે કે આપણને લાગે કે કશું પાનાં ભરવા માટે અહીં લખયું નથરી. જવલાયતનરી વાસતજવકત ા પામવાનો ગંભરીર રિયતન અહીં િણાય છે. આ બધાંને કારણે આ રિવાસકથા કયારે ક કયારે ક તો સથળકાળનાં બંધનો ફગાવરી દઈ શુધિ સાહહતય તરરીકે જવહરે છે.

૮. નવજીવનમાં સરદારકથા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દિવ્યેશ વ્યાસ . . .૪૨૬

આવરણ ૪ કલ્યાણ રાજ્યમાંથી લોકરાજ્યની દિશામાં [હરિજનબંધુ, ૦૭-૦૧-૧૯૫૬]

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

િાડીલાલ ડગલી

વિદેશ િસિાટનાં સંભારણાં

આવરણ ૧ સરદાર પટેલ

૪. અજોડ સરદાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .પ્યારે લાલ . . ૪૧૪

વિતેન્દ્ર દેસાઈ

પરામર્શક

વિદેશ િસિાટનાં સંભારણાં

તંત્રી

ૅંડ ં માં મુદ્રણકળા શરીખવા માટ ે ઇંગલ િ ઑફ જરિનન્ટગ માં શ ભાઈશ્રી જિતન્ે દ્ર દેસાઈ લંડન કૉલે દે પછરી વરસ એક . આંખ ઉઘાડરી રાખરી હતરી ગયા તે દરજમયાન તેમણે મનનરી ં સંભારણાં’ ા શરૂ કરરી. હવે ‘જવદેશ વસવાટના માળ ખ લે નરી રિવાસ તે ે આવયા તયાર . છે ા માટ ે સારા સમાચાર ગ્ંથરૂપે આવયું છે તે આપણરી ભાષ ાવ પડ્ો? રિદેશનો લેખકના જચત્તમાં શો રિજતભ કે રિવાસકથાનું ખરં મૂલય એ છે એ લેખકનરી ક. નજી વધુ રી તયન સાહહ તેટલરી રિવાસકથા આવો રિજતભાવ િ ેટલો આગવો વ ભળે ટે નરી જોવા ે ા કુ તૂહલ સાથે ઝરીણરી આંખ આંખમાં જશશુસહિ કુ તૂહલ છે. આવ ધિ અને જ બુ કથા રિવાસ નરી એમ રી આથ વહે વા માંડ.ે તયારે કજવતા અને જીવન એકસાથે છે કે રતા નક્ક એવરી રિવાસકથામાં એક રિકારનરી હૃદય બંનેને સંતોષ પમાડે છે. આ લખયું ીં અહ ે માટ ા ભરવ ં પાના ં કશુ આપણને લાગે કે ભરીર ગં વાનો પામ ા નથરી. જવલાયતનરી વાસતજવકત ે આ કારણ ે ન ં બધા આ . છે ાય િણ ીં રિયતન અહ ધનો બં નાં કાળ સથળ રિવાસકથા કયારેક કયારેક તો . છે ે જવહર ે તરરીક તય સાહહ ધિ શુ ફગાવરી દઈ

ISBN 978-81-7229-118-1

9

788172

291181

_ 200

ISBN 978-81-7229-118 -1

9

સુજ્ઞ વાચકોને . . .

788172

291181

_ 200

પા. 224+2 (રં ગીન) | 140 × 215 mm

સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૯૮

િવદેશ વસવાટનાં સંભારણાં ₨ ૨૦૦

પુસ્તકો મેળવવા ઃ ઑન-લાઇન www.navajivantrust.org ઇમેલ  |  ફોન sales@navajivantrust.org · રૂબરૂ

૦૭૯–૨૭૫૪૦૬૩૫, ૨૭૫૪૨૬૩૪

નવ�વન �કાશન મં�દર ગૂજરાત િવ�ાપીઠ પાછળ, આ�મ રોડ, અમદાવાદ–૧૪

‘કમર્ કાફે ’ (મંગળ–રિવ, 12થી 9) • નવજીવનના વેચાણ િવભાગ (સોમ–શિન, 10થી 5)

૪૩૧

વિતેન્દ્ર દેસાઈ


પરમેપાને શ્વરીઆઝાદીની સત્તાનું અનુલડતની કરણ હાકલ... ‘નવજીવન’ના

વર્ષૹ ૦૭ અંકૹ ૧૨ સળંગ અંકૹ  ૮૦ •  ડિસેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

“જવાહરલાલ જ ેવા આળા સ્વભાવના અને તોછડા મિત્રના વફાદાર સાથી; સરકારના સુકાની અને રાજાઓના રાજશ્વેર; ભારતના પ્રહરી, ઐક્યવિધાયક અને સંરક્ષક; નેહરુની સાથોસાથ અંગ્રેજી સલ્તનતના વારસદાર; સ્વાધીનતા અગાઉ મહાત્માનું સ્થાન લઈને કૉંગ્રેસની નીતિના ઘડવૈયા; અહમદનગરના જ ેલખાનામાં અજંપાથી આંટા મારતો સિંહ; ‘ભારત છોડો’ આંદોલનના અવિશ્રાંત સંયોજક; કૉંગ્રેસ પક્ષ અને મુખ્યપ્રધાનોના કડક સ્વામી; અંગ્રેજી રાજના કેદી ને તેની સામે પડકાર ફેં કનાર; બારડોલીના ઓજસ્વી સેનાપતિ; ગાંધીજીના અડીખમ સહાયક; સંભાળ રાખનાર મિત્ર અને મશ્કરી કરવામાં એક્કા; બીજાઓ માટે હં મેશાં હસતા મુખે ખસી જનાર— જિદં ગીની શરૂઆતમાં વિઠ્ઠલભાઈ માટે અને પાછળથી જવાહરલાલ માટે જગા કરી આપનાર; અમદાવાદ વકીલમંડળના સખત ચહે રાવાળા, છેલ્લી ફૅ શનનાં વસ્ત્રોમાં સજ્જ અને તોછડા વિજ ેતા; હં મેશાં મહત્ત્વાકાંક્ષા ધરાવનાર; લંડનમાં મોટી ઉંમરના અને મોજશોખમાં ક્ષણ પણ ન બગાડનાર વકીલાતના વિદ્યાર્થી; ગોધરા અને બોરસદમાં બધાને ડરાવનાર વકીલ; ઉદાસ, વહાલસોયી અને રહસ્યમાં વીંટળાયેલી યુવાન ઝવેરબાના મૂક પતિ; પોતાની જાત પર સખ્તાઈ આચરનાર અને પોતાને તુચ્છ ગણનારને પાઠ ભણાવનાર યુવાન; નોંધપાત્ર કિશોર; ગરીબ ખેડૂત કુ ટુબ ં નો ઉપેક્ષિત ચોથો છોકરો; નડિયાદનાં લાડબા અને કરમસદના ઝવેરભાઈને ત્યાં જન્મેલો બાળક.” — રાજમોહન ગાંધી [‘સરદાર : એક સમર્પિત જીવન’માંથી]

૪૩૨ ૩૨૦


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.