વર્તમાન �ણ ડૉ. રમેશ આઈ. કાપડિયા વર્તમાન ક્ષણ મહામૂલી છે, તે જાણ સૌ કોઈને છે, પણ જાણકારીને અમલમાં મૂકવાનું કાર્ય કપરું છે. થોડા મનોમંથન સાથે વર્તમાન ક્ષણમાં જીવવાનો લહાવો લેવો હોય તો હૃદયરોગના લબ્ધપ્રતિષ્ઠિત નિષ્ણાત અને સફળ પ્રાધ્યાપક ડૉ. રમેશ કાપડિયા દ્વારા સૂચવાયેલી ફિલસૂફી ઉપયોગી થાય એમ છે. ડૉ. કાપડિયાએ ડૉક્ટર સાથે ફિલસૂફના વિરલ ગુણ જોવા મળે છે અને આરોગ્યનિર્માણ પુસ્તકમાંથી અહીં આપેલું તેમનું લખાણ તેની પુષ્ટિ કરે છે. …
ભૂત કે ભવિષ્ય નહીં પરં તુ વર્તમાન ક્ષણનો મહિમા ભવિષ્યના બીજા વિચારો આપણને વર્તમાન ક્ષણની
એટલા માટે કે અમને તેમાંથી વ્યક્તિની તંદુરસ્તી અંગેનું અદ્ભુત સમીકરણ પ્રાપ્ત થયું છે. વર્તમાન ક્ષણની વિશિષ્ટતા સાત વર્ષથી સતત ચાલતા એવા અમારા શવાસન અને ધ્યાનના પ્રયોગમાંથી સમજાઈ છે. ભૂતકાળના વિચારો અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓમાં ડૂ બી જતાં વર્તમાન વીસરી જવાય છે અને વર્તમાન ક્ષણની બધી મજા મરી જાય છે. જો આપણે વર્તમાનમાં રહે તાં શીખીએ તો જીવનનો આનંદ ભરપૂર રીતે માણી શકીએ. વર્તમાનમાં રહીએ તો આપણા વિચાર, શબ્દ અને વર્તન પર અદ્ભુત રીતે કાબૂ મેળવી શકીએ. વર્તમાન ક્ષણમાં રહીને ધ્યાનથી જમીએ તો આપણા માટે શું હિતાવહ નથી એનો પૂરેપૂરો ખ્યાલ રહે અને જ ે જમીએ એનો સ્વાદ અને આનંદ પૂરેપૂરો માણી શકીએ અને વધારે પડતું ખવાઈ પણ ન જાય. વર્તમાનમાં રહે વાની ટેવ પડી એટલે ધ્યાનમાં રહે વાનો મહાવરો પડે. ઘણી વાર આપણે ભૂતકાળનાં સુંદર સ્મરણોને વર્તમાનમાં વાગોળતા હોઈએ છીએ. તો કેટલીક વાર ભવિષ્યમાં પ્રવાસ માટે ઘણી હોંશથી વિચારતા હોઈએ છીએ. પણ એ બધું વર્તમાન ક્ષણની જ પ્રવૃત્તિ બની રહે છે. એટલે એ તનાવ ઉપજાવતી નથી, ઊલટાનો આનંદ આવે છે પણ જ્યારે વર્તમાન ક્ષણની પ્રવૃત્તિ બીજી હોય અને એ સમયે ભૂત અને नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]
પ્રવૃત્તિમાં મગ્ન થતાં રોકે તો એ બરાબર નથી. એટલે ભૂતના વિચારો અને ભવિષ્યની આશાઓ જો આપણી વર્તમાનની પ્રવૃત્તિને પુષ્ટિ આપે તો એ બધું વર્તમાન ક્ષણને માણવાના આનંદમાં વધારો કરે છે. ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જોડાણ છે. જ ે ઇચ્છનીય નથી તે એ છે કે ભૂત અને ભવિષ્યના વિચારો તમને વર્તમાનની પ્રવૃત્તિથી અળગા કરે . વર્તમાન ક્ષણને સ્વીકારવી એ તંદુરસ્ત રહે વા માટેનું એક અગત્યનું લક્ષણ સમજાયું છે. વર્તમાન ક્ષણનું નિર્માણ તેની અગાઉ વીતી ગયેલી અગણિત ક્ષણો પર આધારિત છે. હવે પછીથી ઉદ્ભવતી ક્ષણ મહદંશે વર્તમાન ક્ષણનાં વિચાર, વાણી અને વર્તન ઉપર આધારિત હશે એવું સમજાય છે. વર્તમાન ક્ષણમાં આપણા વિચારોમાં અલગતાપણાની ભાવના હશે; કોઈ પ્રત્યે ઘૃણા, અણગમો, તિરસ્કાર, ક્રોધ કે મતભેદ હશે તો આવતી ક્ષણ પણ એવું જ સ્વરૂપ લેશે. વર્તમાન ક્ષણમાં શબ્દો જાણીબૂજીને નિકટતાના કે જોડાણના વાપરીશું અને વિચાર અલગતાના હશે તો આવતી ક્ષણ આપણા વિચારોને અનુસરશે, શબ્દોને નહીં. અને જો આપણા શબ્દો પ્રેમભર્યા અનુકંપાસભર હોય પણ જો આપણા વર્તનમાં કડવાશ હશે, સંકુચિતતા હશે તો આપણી ભવિષ્યની આવતી ક્ષણ આપણા વર્તનને અનુસરશે અને નહીં કે શબ્દોને. 419