કેટલીક છોકરીઓએ કિશોરલાલ મશરૂવાળાને પૂછ્યું કે છોકરાંઓ કોઈ કોઈ વાર અમારી છેડતી કરે છે, તો અમારે શું કરવું? એનો સામનો કેવી રીતે કરવો? તેમણે અહિં સક રીતે સામનો કરવાનો ઉપાય પૂછ્યો હતો. કિશોરલાલભાઈએ કહ્યું, “તમારા પગમાં ચંપલ તો હોય છે ને? તે કાઢીને મારો.” છોકરીઓ તો આ સાંભળીને દંગ થઈ ગઈ. કિશોરલાલભાઈ જ ેવા અહિં સામાં માનનાર હિં સાનો માર્ગ બતાવે? એટલે છોકરીઓએ કહ્યું, “આ તો હિં સા થઈ. એ તો અમે જાણીએ છીએ. અમારે તો અહિં સક ઉપાય જાણવો છે.” કિશોરલાલભાઈએ જવાબમાં કહ્યું, “આ વિશે તમને કાંઈ શંકા હોય અથવા તમને આથી સમાધાન ન થતું હોય તો બાપુને જ પૂછી લો.” છોકરીઓ બાપુ પાસે ગઈ. બાપુએ કહ્યું, “બસ, કિશોરલાલે આ જ બતાવ્યું? હં ુ તો કહં ુ છુ ં કે કોઈ તમારા પર બળાત્કાર કરવા જાય તો તમારી પાસે છરી હોય તો તે ભોંકી દો. એને હં ુ તમારે માટે અહિં સા જ કહીશ.” બાપુ છોકરીઓને નિર્ભયતાનો પાઠ શીખવવા માગતા હતા. અને નિર્ભયતા જ અહિં સાનો ખરો ગુણ છે. બાપુની ‘અદ્ભુત સહનશીલતા'નો અને દીર્ઘદૃષ્ટિનો એક પ્રસંગ આલેખીને હરિભાઉ લખે છે: ગાંધીજીએ સત્ય અને શુદ્ધિને ખાતર ઝેરના આવા[અહીં આર્યસમાજ અને મુસ્લિમો વચ્ચે ખટરાગના] કેટલાયે ઘૂંટડા પીધા છે. એમનામાં જ ેમ સત્યની તલવાર ઉઠાવવામાં નિર્ભય બળ અને હિં મત હતાં તેમ બીજાનાં અયોગ્ય હુમલા, વાંધા, શંકાને સહી લેવાનું અપાર અહિં સા-બળ પણ હતું. 158
ગાંધીજી સમયપાલન અને નિયમપાલનમાં કેટલા ચોક્કસ હતા તે તો બધા જાણે છે. એવા પ્રસંગો પણ હરિભાઉએ જણાવ્યા છે. કૌટુબિ ં ક જીવનમાંથી સામાજિક અથવા સામૂહિક જીવન તરફ પ્રગતિ કરવી જોઈએ એમ ગાંધીજી માનતા હતા. એમના રામરાજ્યનું આ એક પગથિયું હતું. બાપુ પાસે આશ્રમના નાનામોટા કેટલાય સવાલો આવતા. નાનામાં નાની બાબત તરફ પણ ધ્યાન આપ્યા વિના એમને ચેન પડતું નહીં. સવાલોનો ઉકેલ કરવાની એમની રીત પણ અદ્ભુત હતી. કોઈ કામ સત્ય-અહિં સાના સિદ્ધાંતની વિરુદ્ધ ન થવા પામે; એનો એવો ઉકેલ કાઢવામાં મારાથી દબાઈ જઈને તો કોઈ વ્યક્તિ અમુક વાતમાં હા નથી કહે તી ને? એનું એ ખૂબ ધ્યાન રાખતા. એવા અનેક પ્રસંગો હરિભાઉએ આ પુસ્તકમાં જણાવ્યા છે. બાપુના ટૉલ્સ્ટૉય ફાર્મ, ફિનિક્સ વસાહત, સાબરમતી, કોચરબ અને સેવાગ્રામ બધે આરં ભમાં વેરાન જમીન હતી. એથી સાપ, વીંછી, કાનખજૂ રા અને છછુ દં ર, કોળ, કીડી, ઊધઈ વગેરે બીજાં જીવજંતુઓનો સથવારો રહ્યા કરતો. કેમ કે એ એમનું અસલ ઘર હતું. તેમની જન્મભૂમિમાં આશ્રમવાસીઓ ઘૂસી ગયા અને પોતાનો અડ્ડો જમાવ્યો; એટલે તેઓ પોતાની લડાઈ કોઈ ને કોઈ રૂપે ચાલુ રાખતા જ હતા. પરં તુ આશ્રમવાસીઓ તો અહિં સામાં શ્રદ્ધા ધરાવતા હતા. એટલે સાપ, વીંછી, કાનખજૂ રાને પકડીને દૂર દૂર મૂકી આવતા હતા. આ અહિં સાભાવને લીધે સાપ પણ મર્યાદા રાખતા. ત્યાં સાપ કરડવાના બે જ દાખલા બન્યા હતા. એમણે ડંખ પણ અહિં સાભાવે જ માર્યો હતો, કેમ કે, એથી કોઈનું પણ મરણ થયું નહોતું. આવા પ્રસંગોએ અહિં સાની દિશામાં કેટલી પ્રગતિ કરી છે તે જણાઈ આવતું. સાબરમતીમાં ચોરીનો ઉપદ્રવ [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ