કમિશનરે આપેલી ધમકીઓ વિશે લખ્યું કેૹ કમિશનર સાહે બે ધમકી ખૂબ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, એ ધમકી પોતે ખરી પાડી દેશે. એટલે તેઓ સાહે બ પ્રતિજ્ઞા કરનારાઓની બધી જમીન ખાલસા કરશે અને તેમના વારસોને પણ ખેડા જિલ્લામાં જમીનની માલિકી ભોગવવાને બિનહકદાર ઠરાવશે. આ ઘોર વચન છે, ક્રૂ ર છે, કઠોર છે. હં ુ માનું છુ ં કે આ વચનમાં અતિ તીવ્ર રોષ ભરે લો છે, જ્યારે કમિશનર સાહે બનો રોષ શાંત થશે ત્યારે આ ઘોર વચનને સારુ તેઓ પસ્તાશે. …ખેડા જિલ્લાની આ લડતનો પડઘો મુંબઈની ધારાસભામાં પડી ચૂક્યો હતો. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ અને ના. ગોકુ ળદાસ પારે ખે એ પ્રશ્ન ગવર્નર અને છેક વાઇસરૉય સુધી પહોંચાડ્યો હતો. ગાંધીજી આ પ્રશ્ન અંગે દેશના આગેવાનો સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યા હતા. તેથી દેશનેતાઓનું ધ્યાન આ લડત તરફ આકર્ષાયું હતું. તા. ૨૩મી એપ્રિલે મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણા નીચે લડત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા એક મોટી જાહે રસભા મળી હતી. તેમાં ગાંધીજીએ લડતનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો હતો. આ સભાની વિશેષતા એ હતી કે ખેડા જિલ્લાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો અને નિષ્પક્ષ તપાસનું પરિણામ આવે ત્યાં સુધી મહે સૂલની વસૂલાતનું કામ મુલતવી રાખવાની સરકારને ભલામણ કરતો ઠરાવ લોકમાન્ય ટિળકે મૂક્યો હતો. આ દિવસોમાં યુરોપનું મહાયુદ્ધ અંતિમ તબક્કે પહોંચ્યું હતું. વાઇસરૉયના ખાસ નિમંત્રણથી ગાંધીજી યુદ્ધપરિષદમાં હાજરી આપવા મુંબઈથી સીધા દિલ્હી ગયા. તેમની ગેરહાજરીમાં વલ્લભભાઈ લડતનું સંચાલન કરી રહ્યા હતા. તેમની કુ શળ દોરવણી પ્રમાણે કાર્યકર્તાઓ રાત-દિવસ ગામડે नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]
લડતનું સમાધાન થયું પરંતુ સરકારી અમલદારોને તે પરાણે કરવું પડતું હોય તેમ લાગ્યું. સત્યાગ્રહને
અંતે જે મીઠાશ અને ખેલદિલીનો અનુભવ થવો જોઈએ
તે
ન
થયો.
યુરોપમાં
ચાલી
રહે લા
મહાયુદ્ધને કારણે બ્રિટિશ સલ્તનત કટોકટીભરી સ્થિતિમાં
હતી.
યુદ્ધપરિષદમાં
વાઇસરૉયને
ગાંધીજીની મદદની ખાસ જરૂર હતી. એટલે ઉપરના દબાણથી નીચેના અમલદારોને ન છૂ ટકે
સમાધાન કરવું પડ્યું હોય એવી તેમની મનોદશા હતી
ગામડે ફરી રહ્યા હતા. ખેડૂતો સરકારની વધતી જતી દમનનીતિ સામે ટક્કર ઝીલી રહ્યા હતા. પુરુષોની સાથોસાથ સ્ત્રીઓ પણ સત્યાગ્રહની લડતનો મર્મ સમજવા લાગી હતી અને પોતાનાં ઢોરઢાંખર, ઘરે ણાં તથા વાસણ વગેરે હોંશભેર જપ્ત થવા દેતી હતી. આ બધું જોઈને મુંબઈનાં વર્તમાનપત્રના પ્રતિનિધિઓ દિંગ થઈ ગયા અને તેમણે સત્યાગ્રહી સ્ત્રીપુરુષોની ત્યાગભાવના અને હિં મતની પ્રશંસા કરતા લેખો લખ્યા. ગાંધીજી ચંપારણથી ત્રીજી જૂ ને નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે પહોંચ્યા. તે જ વખતે મામલતદાર તેમને મળવા આવ્યા. પ્રાસ્તાવિક વાત થયા પછી મામલતદારે કહ્યું કે, “જો પહોંચતા ખેડૂતો મહે સૂલ ભરી આપે તો ગરીબ ખેડૂતોનું મહે સૂલ મુલતવી રાખવા સરકાર તૈયાર છે.” ગાંધીજીએ એ દરખાસ્ત લેખિતરૂપે આપવા કહ્યું અને મામલતદારે એ પ્રમાણે લખી આપ્યું. ગાંધીજીએ આ બાબતમાં વલ્લભભાઈ વગેરે સાથીઓ સાથે વાતચીત કરીને કલેક્ટરને પત્ર લખ્યો. તેમાં જણાવ્યું કે, “આવી જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં 81