કરી છે એમ આજના અર્થશાસ્ત્રીઓ આપણને સમજાવે છે. અને તમે જો આ રીતે ગ્રામઉદ્યોગની અર્થરચના ઉપર જશો તો જીવનને અગવડભરે લું જ રાખશો એમ તેઓ કહે છે. પણ ગામડામાં થોડાક માણસોએ ‘ટૉર્ચ લાઇટ’ વાપરી, થોડાક જુ વાનિયાએ ‘રિસ્ટ વૉચ’ બાંધી અથવા ખિસ્સામાં ‘ફાઉન્ટન પેન’ રાખી અથવા થોડાકના ઘરમાં ‘પ્રાઇમસ’ સળગ્યો અથવા ગામમાં ‘પૅટ્રોમૅક્સ’નું અજવાળું વારતહે વારે થયું અથવા ગામના થોડાક નવરા જુ વાનિયાઓએ હોટેલમાં બેસીને ચાના કપ પીધા કે સિગારે ટો ફૂંકી અથવા થોડાક માણસોએ મોટરબસમાં મુસાફરી કરી તેથી શું લોકનાં દળદર ફીટ્યાં છે? લોકોને પેટપૂર ખાવાને અન્ન શું વધારે મળતું થયું છે? સારાં શાકભાજી લોકોને શું ખાવાને મળે છે? અથવા લોકોના પેટમાં દૂધ-ઘી શું વધારે જાય છે? એટલે આપણે પસંદગી તો પેલી અવળચંડી ચેનબાજી અને પૌષ્ટિક ખોરાક, શોષણ અને સલામતી, ગુલામી અને આઝાદી, એની વચ્ચે કરવાની છે. આ સ્વદેશી નીતિ અથવા ધર્મ સામે એમ કહે વામાં આવે છે કે આ નીતિ તો તમારી આસપાસ દીવાલો ઊભી કરી તેની વચ્ચે ગોંધાઈ મરવા જ ેવી છે. પોતાનાનું સાચવવા માટે પારકાનો દ્વેષ કરવાની આ નીતિ છે, એમ પણ કહે વામાં આવે છે. પણ આ શંકાઓ સ્વદેશીનો સાચો અર્થ ન સમજવાથી જ થાય છે. વિશાળ અથવા ઉદાર દૃષ્ટિ રાખવાને માટે ચોરને ચોરી કરતો અથવા લૂંટારાને લૂંટ કરતો ન અટકાવવો એમ તો કોઈ ન જ કહે . અત્યારનો વેપાર ચોર અને લૂંટ જ ેવો નથી તો બીજુ ં શું છે? આપણે સ્વદેશીનું પાલન કરી ગ્રામઉદ્યોગના સિદ્ધાંત ઉપરની અર્થરચના કરીએ તેથી સ્વદેશી કે વિદેશી મિલોવાળાના ધંધા ન ચાલે એમ બને. પણ તેથી દુનિયાને શું નુકસાન થવાનું હતું? દુનિયામાંથી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]
એટલું શોષણ અને એટલી આપખુદી ઓછી થશે. અયોગ્ય રીતે જ ેઓ અર્થ સાધતા હોય અને સત્તા જમાવતા હોય તેમના એ અર્થનો અને સત્તાનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે. જ ે પાડોશીઓ વચ્ચે આપણું જીવન રાતદિવસ જાય છે, જ ેમની અને આપણી વચ્ચે અનેક બાબતોમાં સંબંધો ઊપજ્યા છે અને ઊપજતા રહે છે, તેમની સાથે જ આપણો પહે લો વહે વાર ઘટે છે. આવા વહે વારની અવગણના કરી આખી દુનિયા સાથે વહે વાર બાંધવા જતાં દંભ અને ડોળ જ થાય અને સ્વદેશીથી જ ે વહે વાર છોડવાનું કહે વામાં આવે છે તે તો શોષક અને શોષિત વચ્ચેનો, જાલિમ અને ગુલામ વચ્ચેનો વહે વાર છે, પરાણે બંધાયેલો અથવા કુ ટિલ પ્રયોગોથી બંધાયેલો વહે વાર છે. બાકી સ્વાવલંબી અને તુલ્યબળ સમાજો એકબીજા સાથે સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ વ્યવહાર બાંધે તેની સ્વદેશીમાં ના છે જ નહીં. ગાંધીજી કહે છે કે : “સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂ વામાં ડૂ બી નહીં જાય. જ ે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જવું એમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં. સંપૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી — એ પ્રેમમાંથી, અહિં સામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.” જ ે આર્થિક સંબંધો સ્વદેશીને અંગે છોડવાના આવે છે તે તો જ ેમાં ખોટો સ્વાર્થ રહે લો છે, શોષણ રહે લું છે, દગોફટકો રહે લો છે, લૂંટ રહે લી છે, ગુલામી રહે લી છે, એ છે. બાકી શુદ્ધ આર્થિક સંબંધો જ ેટલા આવશ્યક હોય તેટલા ભલે ચાલુ રહે . અને વિદ્યા, સંસ્કાર, વગેરે અર્થેતર બાબતોને લગતા સંબંધો તો ચાલુ રહે જ. અશુદ્ધ અર્થસંબંધો બંધ થશે તો બીજા શુદ્ધ સંબંધોને વિશેષ અવકાશ મળશે. 175