વખત રોકે છે કે પડોશની ભાષાઓ શીખી લેવાનું જરૂરી અને આનંદદાયક કર્તવ્ય તેઓ ભૂલી જ જાય છે. અને તેથી આ ત્રણ ભાષાના ગ્રંથોના પણ પરસ્પર અનુવાદો કરી આપવા પડે છે. ભાષાંતરકાર અથવા અનુવાદક ખરું જોતાં સંસ્કૃતિક્ષેત્રના એલચીઓ હોય છે. પરસ્પર સૌમનસ્ય અને આત્મીયતા વધારવી એ પવિત્ર કાર્યને તેઓ વરે લા હોય છે. બે ભાષાનું ફક્ત ઉપલકિયું જ્ઞાન હોય તો માણસ એ કામ કરી ન શકે. બે ભાષાની ખૂબીઓ, એના વાક્પચાર અને એમનાં હાર્દ સાથે ગાઢ પરિચય હોવો જોઈએ. બંને સમાજ સાથે સરખી જ આત્મીયતા પણ હોવી જોઈએ, બંને સમાજના સ્વભાવના વિશેષો સાથે કેવળ પરિચય જ નહીં પણ સહાનુભૂતિ પણ હોવી જોઈએ. આટલી યોગ્યતા સાથે કરે લા અનુવાદો ખરે ખર જ સંસ્કૃિતની દૃષ્ટિએ આશીર્વાદ સમા હોય છે. અને અહીં તો મૂળ બંગાળી લખાણ રવીદ્રનાથ જ ેવા વિશ્વકવિની પ્રતિભાના પ્રતિનિધિરૂપ છે. બંગાળીના મારા મરાઠી અનુવાદ પરથી કરે લા આ ગુજરાતી અનુવાદમાં પણ એક જાતનો ત્રિવેણી સમન્વય સધાયો છે. આ અનુવાદ ચિ. સરોજિનીએ પ્રેમપૂર્વક કર્યો છે. અઢાર વરસ થયાં ચિ. સરોજ ે મારી તમામ પ્રવૃત્તિઓમાં મને સાથ આપ્યો છે. પ્રવાસને અંગે ખેડલ ે ી પ્રવૃત્તિઓ ઉપરાંત પત્રવ્યવહાર અને સાહિત્યસેવા, દરે કમાં એનો હિસ્સો છે જ. એટલે ‘વખત નથી મળતો’ એમ કહે વાનો અધિકાર મારા કરતાં એને વધારે છે. વૃદ્ધ પિતાની ખાવાપીવાની વગેરે સગવડ ઉપર દેખરે ખ રાખવી એ જ દીકરી માટે આખું ધ્યાન માગનારી પ્રવૃત્તિ છે. તે સાચવીને નિત્યના કાગળો લખવા અને રોજ ઊઠીને ઊભી રહે તી મુસાફરીની તૈયારીઓ કરવી એ પ્રવૃત્તિ પણ ઓછો વખત ખાઈ નથી જતી. 362
આ બધું સાચવીને ચિ. સરોજ ે કેવળ બે મહિનાની અંદર આ આખી ચોપડી મરાઠી પરથી ગુજરાતીમાં ઉતારી આપી, અને નવજીવનને સોંપી દીધી. આ આખું ભાષાંતર હં ુ એક વાર ધ્યાનપૂર્વક જોઈ ગયો છુ .ં મારે એમાં વિશેષ ફે રફાર કરવા જ ન પડ્યા. કેમ કે મારા વિચાર અને શૈલી સાથે ચિ. સરોજ એટલી ઓતપ્રોત થઈ છે કે બીજી રીતે લખવા એ ધારત તોપણ ન કરી શકત. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુ ક પીંછીથી ચીતરે લાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારે માં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારે માં વધારે થવાની છે. દરે ક પ્રકરણને અંતે રસગ્રહણ તરીકે મેં મારો આસ્વાદ નોંધી રાખવાની ધૃષ્ટતા કરી છે. પણ એમાં ધૃષ્ટતા કરતાં આનંદ અને કૃ તજ્ઞતા વધારે છે. સંગીતની ભાષા વાપરીએ તો સતારના પડદા તળેના તારોનું એ કુ દરતી અનુરણન છે. આમ જ ે વ્યાપાર સ્વાભાવિક છે તેનું સમર્થન કરવાની જરૂર काका कालेलकर ન હોય. નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા નવેમ્બર, ૨૦૧૬
નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી ભીખાભાઈ ના. સગર, બાઇન્ડિંગ વિભાગ, •
૧૦ – ૧૧ – ૧૯૫૪
શ્રી કાંતિભાઈ પૂ. પારઘી, પ્રકાશન વિભાગ,
• ૧૦– ૧૧ – ’૫૬
શ્રી હરિશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ,
• ૧૮– ૧૧ – ’૬૨
[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ