હોવા છતાં આત્માને તે મુક્ત કરનારાં છે અને તેને વિશે હં ુ સભાન રહં ુ છુ ,ં જ ે બીજી કોઈ રીતે હં ુ રહી શકું નહીં. બ્રહ્મને અને માયાને એક સાથે ભજી શકાય જ નહીં એ વચનનો અર્થ આ વાતો પછી મને વધારે સ્પષ્ટ અને ઊંડો સમજાયો છે.
હં ુ એમ નથી કહે વા માગતો કે બધાને માટે એ આવશ્યક છે. પણ મારે માટે તો એ છે જ. જો એ વ્રતો હં ુ તોડુ ં તો મને લાગે છે કે હં ુ તદ્દન નકામો થઈ પડુ.ં [ સરોજિની નાયડુને પત્ર ]
શરીરના લાડથી હં ુ નિરાશ થઈ આ શરીરની કેવળ સમાપ્તિ ઇચ્છું છુ ં અને મારી દશા ઉપરથી બીજાની દશાનું માપ હં ુ સારી રીતે કરી શકું છુ .ં તમને હં ુ મારા અનુભવનો સંપૂર્ણ લાભ આપીશ. તમારાથી લેવાય તેટલું તમે લેશો અને એ બધું તમે આવશો ત્યારે જ થઈ રહે શે. [ હરિલાલ ગાંધીને પત્ર ]
માણસ અભિમાની થઈને ઈશ્વરની સહાય નથી માગી શકતો પણ પોતાનું દીનપણું સ્વીકારીને જ માગી શકે છે. આપણે કેટલા તુચ્છ છીએ, કેવા રાગદ્વેષથી ભરે લા છીએ, કેવા વિકારો આપણને ડોલાવ્યા કરે છે એનો સાક્ષાત્કાર પથારીમાં પડ્યો હં ુ હં મેશાં કર્યા કરું છુ .ં ઘણી વખત મારા મનની હલકાઈથી મને શરમ આવે છે. ઘણી વખત મારા
કીડીઓની જ ેમ અજ્ઞાનમાં ધસ્યા કરીએ છીએ. કચરાયા કરીએ છીએ. આવા વિચારો આવતાં છતાં આપણા કર્તવ્ય વિશે મને એક ક્ષણભર પણ શંકા આવતી નથી. આપણે પ્રવૃત્તિરહિત રહી શકતા નથી, એટલે આપણું કર્તવ્ય પારમાર્થિક વૃત્તિ માટે જ હોઈ શકે. એવી પ્રવૃત્તિ કરનાર માણસ પરમ શાંતિ અનુભવી શકે છે. એવી પ્રવૃત્તિ આપણે આશ્રમમાં પણ કરવી રહી. તમારી પાસે જાર વાવવા વિશે અને વણાટકામ વિશે જ ે સૂચના આવી છે તે વિશે જ ે યોગ્ય લાગે તે કરજો. જ ે કરો તે મને લખજો, રસોડાને સારુ નોકરની જરૂર જણાય તો તમે રાખી શકો છો તે યાદ રાખજો. [ મગનલાલ ગાંધીને પત્ર ]
…આમ છતાં જો તબિયત ઠેકાણે ન આવે તો પાંચ વસ્તુનું વ્રત છોડવાથી આવે તેમ આપણાથી કહે વાય જ નહીં, એટલે હવે કોઈને કંઈ કહે વાપણું રહે તું નથી. આ બધા ફે રફારોની અસર શી થાય છે એ આપણે ધીરજથી જોવાની રહી. આમ છૂટ તો મૂકી, છતાં એક ક્ષણ પણ અંતરાત્મા પૂછ્યા વિના રહે તો નથી, ‘આટલો પરિશ્રમ શાને સારુ?’ ‘જીવીને શું કરવું?’ ‘કયો સુધારો કરવાની પાછળ મથવું?’ જર્મનીના કેસરની સ્થિતિનો જ્યારે હં ુ વિચાર કરું છુ ં ત્યારે જ ેમ આપણે કોડીઓની સાથે રમત કરીએ છીએ તેમ આપણી સાથે કોઈ મહાવ્યક્તિ કેમ જાણે રમત કરતી ન હોય એમ લાગે છે. એક ગોળાની ઉપર ફરતી કીડીઓ જ ેટલી નાની છે એના કરતાં પ્રમાણમાં આ ગોળા ઉપર આપણે બહુ વધારે નાના છીએ અને
[ ગાં. અ. ૧૫માંથી ]
नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]
59