Navajivanno Akshardeh January 2017

Page 29

જવાના સંજોગો રહે લા છે. અમારું ધ્યેય તેનાથી આગળ વધીને રોગ થતા અટકાવવા માટે-પ્રિવેન્શન માટે છે. કારણ કે રક્તવાહિની સાંકડી થવાની પ્રક્રિયા ઘણાં વર્ષો અગાઉથી શરૂ થાય છે. કૉરોનરી હૃદયરોગ અને યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામની પાયાની સમજ આપતાં મારાં કુલ દશ પુસ્તકો છેલ્લા બે દાયકામાં સમયાંતરે પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકોને સુંદર આવકાર અને પ્રોત્સાહક પ્રતિભાવો મળ્યા છે. મારા ઘણા દર્દીઓ, શુભેચ્છકો, સ્વજનોની ઇચ્છા હતી કે આ બધાં પુસ્તકોનું એક સર્વગ્રાહી, સુશ્લિષ્ટ સંકલન થાય તો ખૂબ સારું, જ ેથી એકસાથે જ સઘળી સમજ, માર્ગદર્શન અને વિગતો મળી રહે . તે હે તુથી આ પુસ્તક તૈયાર થયું છે. અલબત્ત અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ છે જ. … આ સંકલન-સંપાદન કરવાનું મહત્ત્વનું અને અટપટુ ં કાર્ય શ્રી રમેશભાઈ સંઘવીએ નિષ્ઠાપૂર્વક અને પરિશ્રમ લઈને કર્યું છે. એમની સંપાદન શક્તિની સહાય વિના આ પુસ્તક પ્રકાશમાં આવી ન શકત. … વ્યક્તિ પોતાની આંતરિક શક્તિનો ઉપયોગ તંદુરસ્તીના નિર્માણ માટે કેટલી સહે લાઈથી કરી શકે છે તે આ પુસ્તક સમજાવે છે. અમારા વિશાળ વાચક વર્ગને અનેક શુભેચ્છાઓ સાથે વંદન કરું છુ .ં

શરીર અને મનને શાંત કરી વ્યક્તિને શરીર અને મનને જીવંત રાખતી ચેતનાનો સ્પર્શ કરાવે છે અને ચેતનાનો સ્પર્શ થતાં ચેતનાના ગુણોથી વ્યક્તિ નિર્ભય બને છે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે એ વધુ ને વધુ સ્પષ્ટ થયું. કાર્યક્રમ ચાળીસ મિનિટનો છે પણ મહાવરો થયા પછી ફક્ત પાંચથી સાત મિનિટના શવાસનથી ચેતનાનો સ્પર્શ થતાં અદ્ભુત ફાયદાઓ થાય છે જ ે હૃદયરોગ મટાડવા ઉપરાંત ઘણા જ વધુ અગત્યના બની રહે છે. દરરોજ હળવેથી આંખો મીંચીને થોડો સમય મનોમન સ્વસ્થપણે એકલા બેસીએ અને સ્વાભાવિક શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પ્રત્યે જાગરૂક થઈએ એવી સરળ શિસ્ત દ્વારા માનવનું જ ે અનુપમ અને અજોડ સ્વરૂપ છે તેનો સાધારણ માણસને પણ આવિષ્કાર થાય છે. વિચારો તો આવે અને જાય પરં તુ શ્વાસોચ્છ્વાસ કે જ ે પ્રાણશક્તિ છે તેના પ્રત્યે જાગરૂકતા જળવાઈ રહે તો એ સમયે વ્યક્તિ પોતાના પરિમિત વ્યક્તિત્વના અપરિમિત આયામનો અનુભવ કરે છે. અમારો અભિગમ આધુનિક ઍલોપથિક ઉપચાર પદ્ધતિને વધુ સક્ષમ બનાવવાનો છે. ઍપેન્ડિક્સનું ઑપરે શન તે ઍપેન્ડિસાઇટિસનો ફાઇનલ ઉપાય છે, જ્યારે બાયપાસ સર્જરી કે ઍન્જિયોપ્લાસ્ટીમાં એવું નથી. તેમાં રક્તવાહિનીઓ ફરી વાર રૂંધાઈ

[હૃદયરોગૹ સર્વાંગી અભિગમ માંથી]

ડૉ. રમેશ કાપડિયાનાં અન્ય કે ટલાંક પુસ્તકો આહારનો ઉપભોગ તોપણ હૃદય નીરોગ આરોગ્યનિર્માણ હૃદયરોગનો પાયાનો ઉપચાર હૃદયરોગની સમસ્યા—એક નવી દિશા

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

_ 40.00 _ 45.00 _ 50.00 _ 50.00

હૃદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મ હૃદયની વાત હૃદયપૂર્વક હાર્ટઍટેક અટકાવો શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ

_ 25.00 _ 15.00 _ 30.00 _ 20.00 29


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.